Salangpur controversy Live Update : રાજ્યભરમાં હનુમાનજીના અપમાન મુદ્દે વિરોધ, સંતોએ બેઠકમાં લીધો આ સંકલ્પ

Share this story
  • સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઈને રાજ્યભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં આ મુદ્દે સંતોની બેઠક મળી રહી છે.

સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ ૨ દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે. સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ ૨ દિવસમાં ભીંત ચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે.

ઉલ્લેખનિય છે કે ભીંત ચિત્રોના વિવાદને લઈને આજે સાધુ સંતો અને મંદિરના પ્રતિનિધિની બેઠક મળી હતી. બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીએ ભીંત ચિત્રો હટાવવા માટે ૨ દિવસનો સમય માગ્યો હતો. બે દિવમાં ભીંત ચિત્રો હટાવી દેવામાં આવશે.

ઉપરાંત તેમણે એ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે ફરીથી આવી ઘટના નહિ બને. મંદિર પ્રતિનિધિ મંડળે ટૂંક સમયમાં જ આ મુદ્દે નિરાકરણ લાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.

સાળંગપુર ભીંતચિત્રોના વિવાદને લઈને સંત પ્રતિનિધિ અને મંદિર પ્રશાસન વચ્ચે બેઠક મળી હતી. જે બેઠક પૂર્ણ થઇ છે. કોઠારી સ્વામી સહિતના સંતો બહાર આવ્યાં હતા અને મીડિયા સમક્ષ વાતચીત કરી હતી.

સાળંગપુર ભીંત ચિત્રોના વિવાદને લઈને આજે અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં દરેક સાધુ સંતોએ પોતના મત રજૂ કર્યાં હતા. મંડલેશ્વર, મહા મંડલેશ્વર આજે એક થયા અને દરેક મોરચે લડવા તૈયાર થયા છે. બેઠકમાં ઉપસ્થિત સાધુ સંતો મામલે  બની બેઠેલા સ્વામીઓએ કહ્યું હતું કે, અસુરો ભેગા થયા છે. ત્યારે જ્યોતિબાપુએ કહયું કે તમે કોઇનું નહિ સાંભળો તો બેસૂરા થઇ જશો. તેમણે કહ્યું હતું કે દરેક તબક્કે આ મુદ્દે લડવા તૈયારી છીએ.

સાળંગપુર મંદિરમાં ભીતચિત્રો વિવાદ મામલે, બરવાળા લક્ષ્મણ મંદિર સહિત અન્ય મંદિરના સાધુ સંતો સાળગપુર પોહચ્યા હતા. અહીં બંધ બારણે સાધુ સંતોની બેઠક  મળી હતી અને બાદ તેઓ રેલી સ્વરૂપે સાળંગપુર હનુમાનજીના મંદિર પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-