HomeGujaratગુજરાતમાં 3,966 શિક્ષકોની ભરતી: 1 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

ગુજરાતમાં 3,966 શિક્ષકોની ભરતી: 1 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

Date:

Related stories

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...
spot_img

ગુજરાતના સરકારી શિક્ષણ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે લાંબા સમયની રાહનો અંત આવ્યો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક, સ્પેશિયલ એજ્યુકેટર (વિશેષ શિક્ષક) અને મુખ્ય શિક્ષકની કુલ 3,966 જગ્યાઓ પર ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે. ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા પરીક્ષા (TET-ટેટ)ના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમોના આધારે જ કરવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ પોતાના જરૂરી તમામ દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ શૈક્ષણિક ગુણાંકના આધારે આખરી મેરિટ લિસ્ટ તૈયાર કરી ઉમેદવારોને જિલ્લા પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે.

આ ભરતીમાં ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યાઓ અનામત રાખીને પ્રક્રિયા જાહેર કરવામાં આવતા, લાંબા સમયથી રોજગારીની આશા રાખીને બેઠેલા બેરોજગાર યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે એકસાથે આટલી મોટી સંખ્યામાં ભરતી બહાર પડતાં રાજ્યના લાખો લાયક ઉમેદવારો માટે આ એક સોનેરી તક સાબિત થશે.

Subscribe

Latest stories

spot_img