HomeGujaratબાંગ્લાદેશમાં લોખંડના સળિયોથી ભરેલો ટ્રક પલટી જતાં 15 લોકોના મોત, 10 ઘાયલ

બાંગ્લાદેશમાં લોખંડના સળિયોથી ભરેલો ટ્રક પલટી જતાં 15 લોકોના મોત, 10 ઘાયલ

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

બાંગ્લાદેશમાં સોમવારે વહેલી સવારે એક મુખ્ય હાઈવે પર લોખંડના સળિયોથી ભરેલો ટ્રક પલટી જતાં 15 લોકોના મોત થયા હતા, જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે લોકો ઈદ-ઉલ-અઝહાની 10 દિવસીય રજાઓ માટે પોતાના વતન તરફ જઈ રહ્યા હતા.

સ્થાનિક ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ અટાઉર રહમાને જણાવ્યું કે આ અકસ્માત જામુના પુલના પૂર્વ ભાગમાં થયો હતો, જે બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમ ભાગને મધ્ય વિસ્તાર સાથે જોડે છે. તેમણે જણાવ્યું કે ઘાયલોને સ્થાનિક લોકોની મદદથી નજીકની આરોગ્ય સુવિધા કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

ટ્રકમાં લોખંડના સળિયાઓ પર બેઠા હતા મુસાફરો
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રકમાં લોખંડના સળિયાઓ સાથે કેટલાક મુસાફરો પણ સવાર હતા. ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રક તાંગાઈલના કલિહાટી ઉપજિલ્લામાં પલટી ગયો હતો.

તાંગાઈલના એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ફૌઝિયા હબીબ ખાને જણાવ્યું કે ટ્રક દક્ષિણ-પૂર્વીય બંદર શહેર ચટ્ટોગ્રામથી ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં જઈ રહ્યો હતો. ઈદની ભીડને કારણે સંભાવના છે કે મુસાફરો રસ્તામાં અલગ-અલગ સ્થળોએ ટ્રકમાં ચઢ્યા હતા.

ઈદની લાંબી રજાઓને કારણે ભારે ભીડ
બાંગ્લાદેશમાં સોમવારથી ઈદ-ઉલ-અઝહાની 10 દિવસીય રજાઓ શરૂ થઈ છે. લોકો તહેવાર માટે પોતાના ઘરે જઈ રહ્યા હોવાથી બસો, ટ્રેનો અને નૌકાઓમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ગરીબ લોકો ઓછી કિંમત અથવા નિયમિત વાહનોમાં ટિકિટ ન મળવાને કારણે ટ્રકોમાં મુસાફરી કરતા હોય છે.

દર વર્ષે માર્ગ અકસ્માતમાં 32 હજાર લોકોના મોત
પોલીસે જણાવ્યું કે મૃત્યુ પામેલા 15 લોકોની ઓળખ તાત્કાલિક થઈ શકી નથી અને તેમની ઓળખ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. બાંગ્લાદેશમાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુદર વિશ્વમાં સૌથી વધુ ગણાય છે. અકસ્માતોના મુખ્ય કારણોમાં બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ, અયોગ્ય વાહનો અને ખરાબ રસ્તાઓની સ્થિતિને જવાબદાર માનવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના 2021ના અંદાજ મુજબ, બાંગ્લાદેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં લગભગ 32,000 લોકો જીવ ગુમાવે છે.

Subscribe

Latest stories