Friday, Jun 5, 2026

કેમ છો સુરત કહી પીએમ મોદીએ સભાનું સંબોધન કર્યું, સુરતના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ માવાણીને શ્રદ્ધાંજલી અર્પી

3 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ સભા સંબોધી હતી. સભાનું સંબોધન તેમણે કેમ છો સુરતથી કર્યું હતું. આ તકે તેમણે સુરતના પૂર્વ મેયર અને ધારાસભ્ય કનુભાઈ માવાણીને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.

વડાપ્રધાન મોદીએ કેમ છો મજામાં કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે સ્ટેડિયમમાં એક યુવક ચિત્ર લઈને આવ્યા હતાં તેમનું ચિત્ર સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સુરત શહેર નથી. સુરત એક સ્પીરીટ છે. પર્યાવરણને લઈને લોકોએ સરસ પોસ્ટરો બનાવ્યા છે. જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ત્યારે તેમનું મન લાગ્યું હશે. આપણા કાઠિયાવાડના લોકો અહીં સુરતમાં રહે છે. મારો તેમને આગ્રહ છે કે ખેતર બચાવો અભિયાનમાં જોડાય. સુરતવાસીઓએ મને ખૂબ સરસ ભેટ આપી છે. એક લાખ લોકોએ પાંચ દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું મારા માટે આ મોટામાં મોટી સોગાત છે. સુરતના સૌ સાથીઓ અભિનંદનના અધિકારી છે.

હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હું પહેલીવાર ગુજરાત આવ્યો છું અને સુરતમાં આવ્યો છું. હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છું અને અભિનંદન કરૂ છું. અઢી દશકથી વધુનો સમય થયો છે. તમે અમને સૌને ભાજપને નિરંતર પોતાના આશિર્વાદ આપી રહ્યાં છે. સમયની સાથે આ આશિર્વાદ વધતા રહ્યા ંછે. લોકોએ ભાજપને એટલા મત આપ્યા કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. આજે મારા રેકોર્ડ પણ તમે બધાએ તોડી નાંખ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરત ખાતે 18,800 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રદેશના માળખાગત પાયાને મજબૂત કરવાનો અને આર્થિક ગતિવિધિઓને વેગ આપવાનો છે. આ વિસ્તૃત પ્રોજેક્ટ્સ શહેરી આધુનિકીકરણ અને જાહેર સુવિધાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ સાધવા પર કેન્દ્રિત છે.

સુરતના લોકો વતી, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરું છુંઃ હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને સુરતના લોકો વતી, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરું છું. આજે સુરત પહોંચ્યા પછી, તેમણે સૌપ્રથમ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ ઉત્પાદિત સંરક્ષણ ઉપકરણોનું નિરીક્ષણ કરવા માટે L&T ની મુલાકાત લીધી, જે આપણા બધા માટે ગર્વની વાત છે. તેઓ ગુજરાતના લોકો માટે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.

TAGGED:
Share This Article