Home Blog Page 83

Honorના 3 ધમાકેદાર 5G સ્માર્ટફોન લોન્ચ, 8000mAh બેટરી અને ટ્રિપલ કેમેરાથી બજારમાં મચાવી ધૂમ

0

ઓનર કંપનીએ ચીનમાં 3 નવા સ્માર્ટફોન ઓનર 600 સુપર એડિશન, Honor 600 Vitality Edition અને ઓનર 600 પ્રો લોન્ચ કર્યા છે. ઓનર 600 સીરિઝ સ્માર્ટફોનમાં 200 એમપી લેન્સ સાથે ટ્રિપર રિયર કેમેરા સેટઅપ, પાવરફુલ પ્રોસેસર, 8000mAh સુધીની બેટરી અને IP66 રેટિંગ જેવા ફીચર્સ આવે છે. ચાલો જાણીયે લેટેસ્ટ ઓનર 600 સુપર 5G સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ

Honor 600 Super Edition સ્પેસિફિકેશન
ઓનર 600 સુપર એડિશન એક પ્રીમિયમ સ્માર્ટફોન છે. જેમા 6.57 ઇંચની 1.5K LTPS Flat OLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. ડિસ્પ્લેમાં 8000nits સુધી પીક બ્રાઇટનેસ, 1800nits HBM બ્રાઇટનેસ અને 3840Hz PWM ડિમિંગ આપી છે. ફોનના બેઝલ્સ માત્ર 0.98mm છે, જેનાથી ફોનનો ફ્રન્ટ લુક ઘણું પ્રીમિયમ દેખાય છે.

ઓનર 600 સુપર એડિશન ફોનમાં Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર આવે છે, તેની સાથે Honor E2 Energy Efficiency Enhancement Chip પર આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ MagicOS 10 પર કામ કરે છે.

ફોટોગ્રાફી માટે ઓનર 600 સુપર એડિશન ફોનમાં 200MP નો સેમસંગ પ્રાયમરી કેમેરા આપ્યો છે, જે મોટો 1/1.4 ઇંચ સેન્સર અને OIS સપોર્ટ કરે છે. તેની સાથે 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે, જે 30x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 50MP નો ફ્રન્ટ કેમેરા મળે છે.

ઓનર 600 Super Edition ફોનની સૌથી મોટી ખાસિયત 8600mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે. જેમા ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર, IR Blaster, NFC, Wi-Fi 6, Bluetooth 5.4, AI Button અને USB 2.0 જેવા ફીચર્સ આવે છે. આ સ્માર્ટફોનને IP69K, IP69, IP68 અને IP66 રેટિંગ મળ્યું છે.

Honor 600 Super Edition કિંમત
ઓનર 600 સુપર એડિશન ફોનના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત CNY 3,299 (લગભગ 46,237 રૂપિયા) છે. તો 12GB + 512GB વેરિયન્ટની કિંમત CNY 3,699 (લગભગ 51,844 રૂપિયા) છે.

Honor 600 Vitality Edition સ્પેસિફિકેશન
ઓનર 600 Vitality Edition ફોનમાં 6.57 ઇંચની 1.5K LTPS Flat OLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ, 8000nits પીક બ્રાઇટનેસ અને 3840Hz PWM ડિમિંગ સપોર્ટ કરે છે. તેમા સ્નેપડ્રેગન 7 Gen 4 પ્રોસેસર અને MagicOS 10 આપ્યું છે. આ ફોનમાં 50MP OIS પ્રાયમરી કેમેરા અને 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા આવેછે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે 50MP નો ફ્રન્ટ કેમેરા આવે છે. આ ફોનમાં 7000mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

ઓનર 600 Vitality Edition ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP69K, IP69, IP68, IP66 રેટિંગ મળ્યું છે. આ ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર, NFC, IR Blaster અને Wi-Fi 6 જેવા ફીચર્સ આપ્યા છે.

Honor 600 Vitality Edition કિંમત
કિંમતની વાત કરીયે તો ઓનર 600 Vitality Edition ફોનના 8GB રેમ + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત CNY 2,699 (લગભગ 37,827 રૂપિયા) છે. તો 12GB રેમ + 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત CNY 3,399 (લગભગ 47,638 રૂપિયા) છે. આ સ્માર્ટફોન ગુડ લક ઓરેન્જ, Vitality White અને Obsidian બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Honor 600 Pro 5G સ્પેસિફિકેશન
ઓનર 600 Pro ફોનમાં 2728 x 1264 પિક્સલ રિઝોલ્યુશન વાળી 6.57 ઇંચની AMOLED 1.5K ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રશ રેટ, 3840Hz PWM ડિમિંગ અને 8000nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. તેમા મીડિયાટેક Dimensity 8550 Elite ઓક્ટા કોર પ્રોસેસર છે, જે 2.2 ગીગાહર્ટઝ થી લઇ 3.4 ગીગાહર્ટઝ સુધીની ક્લોક સ્પીડ પર રન કરવાની ક્ષમતા ધરાવે છે. ગ્રાફિક્સ માટે આ 5G ફોનમાં Mali G720 MC8 GPU છે, તેમા Snapdragon 8 Elite Gen 4 ચિપસેટ આપી છે.

ઓરન 600 પ્રો 5જી ફોનમાં 8000mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ, 50W વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં F/1.9 અપર્ચર વાળો 200MP OIS કેમેરો છે, જે F/2.8 અપર્ચર વાળા 50 મેગાપિક્સલperiscope telephoto અને F/2.2 અપર્ચર વાળા 12 મેગાપિક્સલ ઓલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ સાથે મળીને કામ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 50 એમપીનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

Honor 600 Pro 5G કિંમત
ઓન 600 પ્રો 5G ફોન 3 વેરિયન્ટમાં રજૂ કરાયો છે. જેમા 12GB RAM + 256GB Storage સ્ટોરેજની કિંમત 3899 યુઆન (લગભગ 54,650 રૂપિયા0 છે. તો 12GB + 512GB વેરિયન્ટ 4299 યુઆન (લગભગ 60,200 રૂપિયા) તેમજ ટોપ વેરિયન્ટ 16GB RAM + 512GB Storage સાથે 4699 યુઆન (લગભગ 65,799 રૂપિયા) માં ખરીદી શકાય છે.

ગુજરાતના શહેરોને મળ્યા નવા મેયર, નવસારીથી જામનગર સુધી નવા ચહેરાઓની જાહેરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 દિવસ બાદ હવે મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતની મહા નગરપાલિકાઓમાં નવા શાસકોની વરણીને લઈને ચાલી રહેલી ઉત્સુકતાનો આખરે અંત આવ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે તમામ મહા નગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે મેયર બનવાનું બહુમાન થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને મળ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)

ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં નવા પદાધિકારીઓની ટીમ સજ્જ થઈ ગઈ છે:

  • મેયર: હિતેશ બારોટ (થલતેજ વોર્ડ)
  • ડેપ્યુટી મેયર: અંજુબેન શાહ (સાબરમતી વોર્ડ)
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશ પટેલ (ખોખરા વોર્ડ)
  • શાસક પક્ષના નેતા: જશુભાઈ ઠાકોર (શાહીબાગ વોર્ડ)
  • દંડક: અતુલ મિશ્રા (ચાંદખેડા વોર્ડ)

જામનગર મહાનગરપાલિકા

જામનગર મનપામાં પણ નવી ટીમના નામો પર મહોર લગાવી દેવામાં આવી છે:

  • મેયર: મોનિકા વ્યાસ
  • ડેપ્યુટી મેયર: રાકેશ ડેર
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કિરણ મોનાણી
  • શાસક પક્ષના નેતા: અમર મોદી
  • દંડક: પ્રવિણાબેન રૂપડિયા

મોરબી મહાનગરપાલિકા

મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર ૮ના કોર્પોરેટરની પસંદગી કરાઈ છે:

  • મેયર: ઉત્તમ સુરાણી (વોર્ડ નંબર 8)
  • ડેપ્યુટી મેયર: ચિરાગ રાણપરા (વોર્ડ નંબર 6)
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: જયંતીભાઈ પડસુંભિયા (વોર્ડ નંબર 1)
  • શાસક પક્ષના નેતા: અર્પિતાબા જાડેજા
  • દંડક: જયેશભાઈ દેસાઈ

નવસારી મહાનગરપાલિકા

નવસારી મનપાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાના નામની જાહેરાત થઈ છે:

મેયર: અશોક ધોરાજીયા (વોર્ડ નંબર 2)
ડેપ્યુટી મેયર: કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1)
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5)
શાસક પક્ષના નેતા: નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8)
દંડક: રાકેશ પટેલ (વોર્ડ નંબર 7)

ગાંધીધામ મહાનગરપાલિકા

કચ્છના ઔદ્યોગિક નગર ગાંધીધામ મનપાના સુકાનીઓ પણ નક્કી થઈ ગયા છે:

  • મેયર: દિવ્યા નાથાણી
  • ડેપ્યુટી મેયર: નવીન જરૂં
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: તેજસ શેઠ

અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 દિવસ બાદ હવે મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી કરવામાં આવી છે.

અમદાવાદના મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરાઈ છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરાઈ છે.

અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત થયા બાદ હિતેશ બારોટે શહેરના વિકાસ, ટ્રાફિકની ગંભીર સમસ્યા, ચોમાસાની પૂર્વતૈયારીઓ અને ભવિષ્યના મેગા પ્રોજેક્ટ્સને લઈને એક ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને તેને ગ્લોબલ લેવલ પર વધુ વિકસિત બનાવવું એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.’ આ ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ ખાતે આયોજિત થનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને લઈને પણ તેમણે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

અમદાવાદના નવા મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરના દરેક નાગરિકની જે કોઈ પાયાની જરૂરિયાત છે, તે પૂરી કરવી એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. આપણું અમદાવાદ પહેલેથી જ અગ્રેસર છે, પરંતુ તેને દેશનું સૌથી વધુ વિકસિત અને સુવિધાજનક શહેર બનાવવા માટે હું અને મારી ટીમ સતત પ્રયાસ કરીશું.’

આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ પલટી, 6 લોકોના મોત

0

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં મંગળવારે સવારે (26 મે) એક મોટો માર્ગ અકસ્માત થયો. ઉન્નાવના ઔરસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર કિલોમીટર નંબર 262 પર એક ડબલ ડેકર બસ પલટી ગઈ. આ અકસ્માતમાં એક સબ-ઇન્સ્પેક્ટર અને એક કેદી સહિત છ લોકોના મોત થયા છે, જ્યારે 21 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણ કોન્સ્ટેબલ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ડ્રાઇવરને ઊંઘ આવી જવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ડબલ ડેકર બસ ડિવાઇડર તોડીને વિરુદ્ધ લેનમાં પલટી ગઈ હતી. માહિતી મળતાં, UPEIDA અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.

ગંભીર ઘાયલોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં દાખલ
ઉન્નાવ જિલ્લા મેજિસ્ટ્રેટ ઘનશ્યામ મીણા અને પોલીસ અધિક્ષક જયપ્રકાશ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે.

RBIના ઇન્સ્ટિટ્યૂટમાં સહાયક પ્રોફેસરની ભરતી, ₹1.23 લાખ સુધી મળશે પગાર

0

સારા ઇન્સ્ટિટ્યૂટમાં સહાયક પ્રોફેસરની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબર છે. ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ (IGIDR) એ ફેકલ્ટી ભરતી માટે રોલિંગ જાહેરાત બહાર પાડી છે. જેના હેઠળ રેગ્યુલર, કોન્ટ્રાક્ટ અને વિઝિટિંગ સહાયક પ્રોફેસરની જગ્યાઓ ભરવામાં આવશે. યોગ્ય ઉમેદવારો સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જઈ અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. અરજી કરવાની કોઈ નિશ્ચિત છેલ્લી તારીખ નથી અને વર્ષભર અરજી કરી શકાય છે.

IGIDR સંસ્થાની સ્થાપના ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવી હતી. આ કારણે તેને RBIના સંસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને તેને માન્ય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો હતો. આ ભરતી દ્વારા ઉમેદવારોને આ પ્રતિષ્ઠિત સંસ્થામાં નોકરી મેળવવાની તક મળી રહી છે. માત્ર નિર્ધારિત ફોર્મેટ મુજબ અરજી કરવાની રહેશે. 08 જગ્યાઓ માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને સંસ્થા તરફથી ફ્લાઇટ ભાડું પણ આપવામાં આવશે.

IGIDR ખાલી જગ્યા 2026: શ્રેણી મુજબ ખાલી જગ્યાઓ

શ્રેણીખાલી જગ્યા
એસસી03
એસટી01
OBC-નોન ક્રીમી લેયર (OBC-NCL)03
ઇડબ્લ્યુએસ01
કુલ પોસ્ટ્સ08

સહાયક પ્રોફેસરની ખાલી જગ્યા

  • લાયકાત: સંબંધિત ક્ષેત્રમાં PhD ડિગ્રી
  • અનુભવ: પરમાનેન્ટ પોઝિશન માટે PhD બાદ ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે. આ અનુભવ સહાયક પ્રોફેસર લેવલ પર ટીચિંગ અથવા રિસર્ચનો હોવો જોઈએ.
  • પગાર: લેવલ-12 મુજબ ન્યૂનતમ બેઝિક સેલરી ₹1,01,500 મળશે। ઉપરાંત DA, HRA અને TRA પણ મળશે.
  • પબ્લિકેશન: ઓછામાં ઓછા 3 પબ્લિકેશન હોવા જોઈએ, જેમાંથી 2 ABDC A/A જર્નલ અથવા Scopus Q1 જર્નલમાં હોવા જોઈએ.

કરાર સહાયક પ્રોફેસર ભરતી

  • લાયકાત: PhD ડિગ્રી
  • અનુભવ: PhD પછી 3 વર્ષથી ઓછો અનુભવ હોય તો કોન્ટ્રાક્ટ સહાયક પ્રોફેસર માટે અરજી કરી શકાય છે.
  • પબ્લિકેશન: ઓછામાં ઓછું 1 પબ્લિકેશન પ્રતિષ્ઠિત અને પીઅર રિવ્યુડ જર્નલમાં પ્રકાશિત થયેલું હોવું જોઈએ। જર્નલ Scopus / ABDC / ABS અથવા સમકક્ષ રેન્કિંગ ધરાવતું હોવું જોઈએ.
  • પગાર: એન્ટ્રી લેવલ પર પસંદ થયેલા ઉમેદવારોને લેવલ-10 મુજબ ₹70,900 પગાર મળશે। એક વર્ષ બાદ પગાર વધીને ₹73,100 થશે.

વિઝિટિંગ ફેલો (કોન્ટ્રાક્ટ) નોકરી

  • લાયકાત: જેમણે PhD Thesis સબમિટ કરી છે અને ડિગ્રીની રાહ જોઈ રહ્યા છે અથવા તાજેતરમાં PhD પૂર્ણ કરી છે, તેઓ અરજી કરી શકે છે.
  • કોન્ટ્રાક્ટ સમયગાળો: 1 વર્ષ (જરૂર મુજબ વધુ 1 વર્ષ માટે વધારી શકાય છે)
    પગાર: ₹1,23,398
  • સહાયક પ્રોફેસર ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
  • આ ભરતી માટે અરજી પ્રક્રિયા IGIDR ફેકલ્ટી ભરતી પોર્ટલ પર પૂર્ણ કરી શકાય છે. અરજી માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:

સૌપ્રથમ વેબસાઇટ પર જઈ IGIDR ફેકલ્ટી રિક્રુટમેન્ટ પોર્ટલ ખોલો.

  • જો તમે નવા યુઝર હો, તો પહેલા ઈમેલ ID દાખલ કરો। ત્યારબાદ તેને કન્ફર્મ કરીને પાસવર્ડ બનાવો.
  • Captcha Code ભરી Register કરો.
  • હવે રજિસ્ટર્ડ ઈમેલ ID અને પાસવર્ડથી Login કરો.
  • અરજી ફોર્મમાંમાં વ્યક્તિગત, શૈક્ષણિક, અનુભવ અને અન્ય વિગતો ધ્યાનથી ભરો.
  • કવર લેટર, સીવી, શૈક્ષણિક અને અનુભવ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટોગ્રાફ, સહી અને રિઝર્વેશન સંબંધિત દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
  • અંતમાં ફોર્મ સબમિટ કરતા પહેલાં તમામ વિગતો એકવાર સારી રીતે ચેક કરી લો.

પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું: 11 દિવસમાં ચોથી વખત ભાવ વધારો, કિંમત ₹100ને પાર પહોંચી

0

આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને, તેલ કંપનીઓએ હવે વધુ આયાતનો બોજ સામાન્ય લોકો પર હપ્તામાં નાખવાનું શરૂ કર્યું છે.

આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. 25 મે 2026 ના રોજ સવારે 6 વાગ્યાથી, દિલ્હીમાં પેટ્રોલ ₹2.61 મોંઘુ થઈને પ્રતિ લિટર 102.52 પર પહોંચી ગયું છે. ડીઝલ ₹2.71 વધીને પ્રતિ લિટર ₹95.20 પર પહોંચી ગયું છે.

સૌથી નોંધપાત્ર વધારો એ છે કે છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથી વખત વધારો છે. પહેલો વધારો 15 મેના રોજ લગભગ ૩ રૂપિયાનો, પછી 19 મેના રોજ લગભગ ₹90નો, ફરી 23 મેના રોજ લગભગ ₹90નો અને હવે ફરી 25 મેના રોજ નોંધપાત્ર વધારો થયો છે. એકંદરે, છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ ₹7.35 અને ડીઝલ ₹7.53 પ્રતિ લિટર મોંઘુ થયું છે.

શહેરવાર પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ

  • નોઇડામાં, ડીઝલનો ભાવ ₹95.56 પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર, XP95નો ભાવ ₹110.68 પ્રતિ લિટર અને XGનો ભાવ ₹101.17 પ્રતિ લિટર છે.
  • ભોપાલમાં, ડીઝલનો ભાવ ₹99.64 પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ ₹114.57 પ્રતિ લિટર, XP95નો ભાવ ₹123.88 પ્રતિ લિટર અને XGનો ભાવ ₹104.90 પ્રતિ લિટર છે.
  • ચંદીગઢમાં, ડીઝલનો ભાવ ₹89.47 પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ ₹101.51 પ્રતિ લિટર અને XGનો ભાવ ₹94.65 પ્રતિ લિટર છે.
  • ગુજરાતમાં, ડીઝલનો ભાવ ₹98.13 પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ ₹102.01 પ્રતિ લિટર, XP95નો ભાવ ₹110.57 પ્રતિ લિટર અને XGનો ભાવ ₹103.37 પ્રતિ લિટર છે.

જેસલમેરમાં 300 ગાયોના મૃતદેહોથી ખળભળાટ, ડમ્પિંગ યાર્ડમાં બેદરકારીનો મોટો ખુલાસો

0

જેસલમેર જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલા કચરા ડમ્પિંગ યાર્ડમાં 300થી વધુ મૃત ગાયોના મૃતદેહો મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે આ અંગે માહિતી આપી છે. રવિવારે નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં સડી રહેલા મૃતદેહો મળી આવ્યા બાદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાએ મૃત પશુઓના અવશેષોના નિકાલ માટે જવાબદાર અધિકૃત કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે.

નગર પરિષદના અધિકૃત મૃત પશુ કોન્ટ્રાક્ટર દ્વારા ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ ન કરવામાં આવતા સામાન્ય લોકો અને ગૌપ્રેમીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને જેસલમેર જિલ્લા કલેક્ટર અનુપમા જોરવાલે તથ્ય આધારિત રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ, નગર પરિષદ કમિશનર લાજપાલ સિંહ સોઢાએ ઘટનાનો સંજ્ઞાન લઈ કોન્ટ્રાક્ટરને કારણ બતાવો નોટિસ ફટકારી સ્પષ્ટતા માંગેલી છે, કારણ કે ખુલ્લામાં પડેલા મૃતદેહોથી પર્યાવરણ પ્રદૂષણનો મોટો ખતરો ઉભો થયો છે।

પ્રશાસનની દખલ બાદ નગર પરિષદના કોન્ટ્રાક્ટરે ડમ્પિંગ યાર્ડમાંથી ગાયોના મૃતદેહોને હટાવવા અને યોગ્ય નિકાલ માટે JCB મશીનો તૈનાત કરી હતી. આ ઘટના જેસલમેર જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિલોમીટર દૂર રામગઢ રોડ પર આવેલા નગર પરિષદના ડમ્પિંગ યાર્ડમાં બની હતી. શનિવારે કેટલાક ગૌપ્રેમીઓ ત્યાં પહોંચ્યા હતા અને જમીન પર વિખરાયેલા 300થી વધુ ગાયોના મૃતદેહો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

રવિવારે વીડિયો વાયરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના પગલે જિલ્લા પ્રશાસન અને નગર પરિષદે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સ્થળ સાફ કરવાનો આદેશ આપ્યો અને સત્તાવાર નોટિસ પણ જારી કરી.

મામલાની ગંભીરતા જોતા નગર પરિષદ કમિશનર લાજપાલ સિંહ સોઢાએ મૃત પશુઓની હાડકાં ઉઠાવવાના કોન્ટ્રાક્ટર ગોપરામ પુત્ર દૂદારામ, રહેવાસી સુવાલા ગામ, બાલાસર ચોકી, શિવ તાલુકો, બાડમેર જિલ્લાને નોટિસ પાઠવી હતી. સત્તાવાર નોટિસમાં જણાવાયું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માટે ખુલ્લી હરાજી દ્વારા જેસલમેર નગર પરિષદ વિસ્તારમાં મૃત પશુઓ, ખાલ અને હાડકાં ઉઠાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

નોટિસ મુજબ જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટર મૃત પશુઓને ડમ્પિંગ યાર્ડમાં ખુલ્લામાં ફેંકી રહ્યો હતો, જેના કારણે આસપાસનું વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે અને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. જોકે ડમ્પિંગ યાર્ડમાં મૃત પશુઓ માટે વિશિષ્ટ ખાડો અને નિર્ધારિત વિસ્તાર ફાળવવામાં આવ્યો હતો, છતાં મૃત પશુઓને અન્યત્ર ફેંકવામાં આવી રહ્યા હતા. નગર પરિષદે આ કૃત્યને નિયમોના વિરુદ્ધ ગણાવ્યું છે.

ગુજરાતમાં ડીઝલ સંકટથી મીઠા ઉદ્યોગ પર અસર, અગરીયાઓમાં કામ બંધ થવાની ચિંતા

0

ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સાથે પ્રવર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પેટ્રોલિયમ ઉત્પાદનો અને ગેસનો પુરવઠો ભારે ખોરવાઈ ગયો છે. પરિણામે પેટ્રોલ, ડીઝલ અને ગેસના સ્થાનિક પુરવઠા પર ગંભીર અસર પડી છે, જેનું પરિણામ હવે પાયાના સ્તરે દેખાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં આ ઇંધણનો વાસ્તવિક પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. જેના કારણે ગુજરાતના નાના રણમાં મીઠાના ઉત્પાદનની કામગીરી પર પણ પ્રતિકૂળ અસરો દેખાવા લાગી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પત્રકારો પરિષદમાં જણાવ્યું હતું કે ડીઝલની અછતથી નાના રણના અગરિયા સમુદાય (મીઠું ઉત્પાદક મજૂરો) પર ગંભીર અસર પડી છે. દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 70 ટકા છે. નાના રણની આસપાસના ગામડાઓ જેમ કે સાંતલપુર, માળિયા, ખારાઘોડા, આદેસર, ધંધુકા, હળવદ અને રાધનપુરમાં 3,500 થી વધુ અગરિયા રહે છે. આ મીઠાના ખેડૂતો, દરેક આશરે 10 એકરના પ્લોટ ખેતી કરે છે, સામૂહિક રીતે વાર્ષિક 6 મિલિયન ટનથી વધુ ઉત્પાદન કરે છે. ડીઝલની અછતને કારણે, અગરિયા તેમના મીઠાના વાસણોમાંથી લણાયેલ મીઠું નિયુક્ત સંગ્રહ ડેપો સુધી પહોંચાડી શકતા નથી.

વધુમાં તેમણે કહ્યું કે, ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટરો મીઠાના વેપાર સાથે સંકળાયેલા લોકોને સેવાઓ પૂરી પાડવાનો ઇનકાર કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે મીઠું ઉત્પાદકો પોતે જ જરૂરી બળતણની વ્યવસ્થા કરે. જો રાજ્ય સરકાર અગરિયાઓ માટે ડીઝલનો પૂરતો પુરવઠો તાત્કાલિક ગોઠવવામાં નિષ્ફળ જશે તો આ નાના પાયે ઉત્પાદકોના વ્યવસાયિક કાર્યો જેનું મૂલ્ય ₹250 કરોડથી વધુ છે વિનાશક રીતે ખોરવાઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 50 હજારથી વધુ લોકો સીધા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જ્યારે એક લાખથી વધુ લોકો પરોક્ષ રીતે તેના પર નિર્ભર છે. ડીઝલની અછતની અસર હવે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓમાં મીઠા ઉત્પાદક ક્ષેત્રો પર સ્પષ્ટ થઈ રહી છે. ઉત્પાદકોને તેમના મીઠાના વાસણોમાં ખોદકામ કરનારા અને ટ્રક જેવી ભારે મશીનરી ચલાવવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યા ખાસ કરીને નાના અગરિયાઓ માટે ગંભીર છે. મોટા મીઠાના વાસણ માલિકો જેઓ ખાનગી કંપનીઓ પાસેથી જથ્થાબંધ ડીઝલ ખરીદતા હતા, તેમને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. નાના અગરિયા ઉદ્યોગસાહસિકોને ફક્ત 20 લિટર ડીઝલ પૂરું પાડવામાં આવી રહ્યું છે જ્યારે તેમનો વાસ્તવિક વપરાશ 500 લિટરથી વધુ છે.

બાંગ્લાદેશમાં લોખંડના સળિયોથી ભરેલો ટ્રક પલટી જતાં 15 લોકોના મોત, 10 ઘાયલ

0

બાંગ્લાદેશમાં સોમવારે વહેલી સવારે એક મુખ્ય હાઈવે પર લોખંડના સળિયોથી ભરેલો ટ્રક પલટી જતાં 15 લોકોના મોત થયા હતા, જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે લોકો ઈદ-ઉલ-અઝહાની 10 દિવસીય રજાઓ માટે પોતાના વતન તરફ જઈ રહ્યા હતા.

સ્થાનિક ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ અટાઉર રહમાને જણાવ્યું કે આ અકસ્માત જામુના પુલના પૂર્વ ભાગમાં થયો હતો, જે બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમ ભાગને મધ્ય વિસ્તાર સાથે જોડે છે. તેમણે જણાવ્યું કે ઘાયલોને સ્થાનિક લોકોની મદદથી નજીકની આરોગ્ય સુવિધા કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

ટ્રકમાં લોખંડના સળિયાઓ પર બેઠા હતા મુસાફરો
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રકમાં લોખંડના સળિયાઓ સાથે કેટલાક મુસાફરો પણ સવાર હતા. ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રક તાંગાઈલના કલિહાટી ઉપજિલ્લામાં પલટી ગયો હતો.

તાંગાઈલના એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ફૌઝિયા હબીબ ખાને જણાવ્યું કે ટ્રક દક્ષિણ-પૂર્વીય બંદર શહેર ચટ્ટોગ્રામથી ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં જઈ રહ્યો હતો. ઈદની ભીડને કારણે સંભાવના છે કે મુસાફરો રસ્તામાં અલગ-અલગ સ્થળોએ ટ્રકમાં ચઢ્યા હતા.

ઈદની લાંબી રજાઓને કારણે ભારે ભીડ
બાંગ્લાદેશમાં સોમવારથી ઈદ-ઉલ-અઝહાની 10 દિવસીય રજાઓ શરૂ થઈ છે. લોકો તહેવાર માટે પોતાના ઘરે જઈ રહ્યા હોવાથી બસો, ટ્રેનો અને નૌકાઓમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ગરીબ લોકો ઓછી કિંમત અથવા નિયમિત વાહનોમાં ટિકિટ ન મળવાને કારણે ટ્રકોમાં મુસાફરી કરતા હોય છે.

દર વર્ષે માર્ગ અકસ્માતમાં 32 હજાર લોકોના મોત
પોલીસે જણાવ્યું કે મૃત્યુ પામેલા 15 લોકોની ઓળખ તાત્કાલિક થઈ શકી નથી અને તેમની ઓળખ માટે પ્રયાસો ચાલી રહ્યા છે. બાંગ્લાદેશમાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુદર વિશ્વમાં સૌથી વધુ ગણાય છે. અકસ્માતોના મુખ્ય કારણોમાં બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ, અયોગ્ય વાહનો અને ખરાબ રસ્તાઓની સ્થિતિને જવાબદાર માનવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના 2021ના અંદાજ મુજબ, બાંગ્લાદેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં લગભગ 32,000 લોકો જીવ ગુમાવે છે.

સુરતમાં રખડતા શ્વાનોનો આતંક: 3 કૂતરાઓએ માસૂમ બાળક પર કર્યો જીવલેણ હુમલો

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રિંગ રોડ વિસ્તારમાં આવેલી બેગમવાડીની તિરૂપતિ માર્કેટમાં એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

મળતી માહિતી મુજબ, બાળક માર્કેટના પાર્કિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ત્રણ શ્વાનોએ તેના પર હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકને નીચે પાડી દીધું અને અંદાજે 40-50 સેકન્ડ સુધી બચકાં ભરતા રહ્યા હતા. હુમલા દરમિયાન બાળકને રસ્તા પર ઢસડવામાં પણ આવ્યું હતું.

બાળકની ચીસો સાંભળીને આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોકોએ લાકડીઓ અને પથ્થરો વડે શ્વાનોને ભગાડી બાળકને બચાવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તિરૂપતિ માર્કેટ અને આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી રખડતા કૂતરાઓનો ત્રાસ છે. આ મુદ્દે અગાઉ પણ સુરત મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. સીસીટીવી વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે મનપા દ્વારા માત્ર દાવા કરવામાં આવે છે, પરંતુ જમીન પર સ્થિતિ સુધરતી નથી.