Home Blog Page 75

100 તોલા સોનું અને કરોડોની ભેટો છતાં દુઃખદ અંત, વકીલ યુવતીના આપઘાતથી ખળભળાટ

0

વકીલ કવિતા નાગાર્જૂનના લગ્નના ખાલી 3 મહિનાની અંદર થયેલા મોતને લઈ વિવાદ ઊભો થઈ ગયો છે. મૃતકના પિતા દક્ષિણમૂર્તિએ જબલપુર જિલ્લા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીનું મોત પ્રાકૃતિક નહીં પણ દહેજ પ્રતાડના અને કાવતરાથી કરેલી હત્યાનું પરિણામ છે. ફરિયાદમાં પતિ મેજર ઓમ નાગાર્જૂન, સસરા અને અન્ય સાસરિયા પક્ષના સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યા છે. પિતાનું કહેવું છે કે પોલીસને ફરિયાદ આપવા છતાં FIR નોંધી નથી. જે બાદ તેમને કોર્ટમાં આવવું પડ્યું.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્નના સમયે સાસરિયા પક્ષની માગ પર લગભગ 100 તોલા સોનું, 3 કરોડ રૂૂપિયા રોકડા, 20 લાખ રૂૂપિયાનો હીરાનો હાર, એક XUV-700 કાર અને લગભગ 12 લાખ રૂૂપિયાનો ઘરેલૂ સામાન આપવામાં આવ્યો હતો. તેમ છતાં પણ દહેજની માગ પૂરી જ ન થઈ. આરોપ છે કે સેનામાંથી કર્નલના પદથી નિવૃત સસરાએ હોસ્પિટલ ખોલવા માટે 50 લાખ રૂૂપિયાની માગ કરી, જેને પણ અમે પૂરી કરી. તેમ છતાં કવિતાને સતત હેરાન કરતા અને લગ્ન બાદ વધારાના 2 કરોડ રૂૂપિયાની માગ કરવા લાગ્યા. પરિવારનો આરોપ છે કે દહેજની સાથે સાથે તેની શારીરિક બનાવટને લઈ પણ તેને અપમાન કરતા હતા.

મૃતકના પિતાએ ફરિયાદમાં દાવો કર્યો કે કવિતાના માથા પર બે ગંભીર ઈજાના નિશાન હતા અને તેમાંથી એક ઈજા તો પ્રાણઘાતક હતી. તેમણે આરોપ લગાવ્યો કે ઘટનાના દિવસે મેજર ઓમ નાગાર્જૂન કવિતાને જબલપુરની જેએકે આરઆરસી મેસમાંથી સવારના લગભગ 10 વાગે લઈને નીકળ્યા હતા. પણ થોડી જ મિનિટોના અંતરે આવેલી સૈન્ય હોસ્પિટલમાં પહોંચવામાં તેમને લગભગ 3 કલાક જેવો સમય લાગ્યો. પરિવારે આરોપ લગાવ્યો છે કે આ દરમ્યાન કવિતા સાથે મારપીટ કરવામાં આવી હતી અને બાદમાં તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચાડી કાર્ડિયક અરેસ્ટ ગણાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારે કાર્ડિયક અરેસ્ટની થ્યોરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે 25 એપ્રિલ 2025ના રોજ ચેન્નાઈની રાજીવ ગાંધી નેશનલ મેડિકલ હોસ્પિટલમાં કવિતાના વિસ્તૃત સ્વાસ્થ્ય પરિક્ષણ કરાવ્યું હતું, જેમાં હૃદય સંબંધિત કોઈ સમસ્યા જોવા મળી નથી. આવા સમયે લગભગ દોઢ મહિના બાદ અચાનક કાર્ડિયક અરેસ્ટથી મોત થવાનો દાવો શંકાસ્પદ લાગ્યો. પિતાએ કોર્ટ પાસે આ કેસમાં નિષ્પક્ષ તપાસની માગ કરી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક સજાની માગ કરી છે. વળી મામલામાં લગાવેલા તમામ આરોપ પરિવારમાં વર્ણવેલા તથ્યો પર આધારિત છે, જેની પુષ્ટિ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ થઈ શકશે.

ખાનગીકરણ સામે GSRTC કર્મચારીઓનો મોરચો: 18થી 25 જૂન સુધી યોજશે વિરોધ કાર્યક્રમ

ગુજરાત એસટી મજદૂર મહાસંઘે કર્મચારીઓના પડતર પ્રશ્નો અને એસટીના ખાનગીકરણને લઈને આંદોલનનું એલાન કર્યું છે. એસટી નિગમની મુખ્ય તથા વિભાગીય કચેરીઓ અને બસ ડેપોની બહાર એસટી કર્મીઓ હાથના બાવડે કાળી પટ્ટી બાંધી ધરણાં પર બેસીને દેખાવો કરશે. તારીખ 18થી 25 જૂન સુધી એમ એક સપ્તાહ સુધી તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી છે.

એસટી નિગમની મનસૂફી સામે કર્મચારીઓએ હવે બાંયો ચડાવી છે. કરોડો ચૂકવીને ખાનગી એજન્સી પાસેથી બસ ભાડે લેવા તેમજ આઉટસોર્સિંગથી ચાર હજાર ડ્રાઈવર, કંડક્ટરની ભરતી કરવાના નિગમના નિર્ણયથી તેઓ રોષે ભરાયા છે. તેમજ વર્ષોથી પડતર પ્રશ્નો જેવા કે સાતમું પગાર પંચ લાગુ કરવા, દોઢ વર્ષથી બાકી ચડત મોંઘવારી અરિયર્સ ચૂકવવા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા વગેરે મુદ્દે આંદોલન છેડવાની તૈયારી કરી દીધી છે.

આંદોલનનું આખું શેડ્યૂલ
જેમાં 18મી, 19મી અને 20મી જૂને કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે. જ્યારે 22મી અને 23મી જૂને વિવિધ બસ ડેપો, વર્કશોપ, વિભાગીય કચેરીઓ બહાર કર્મીઓ સૂત્રોચ્ચાર કરીને ઘંટનાદ સાથે રામધૂન બોલાવશે. બાદમાં 24મી જૂને તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી તેમજ નિગમના વડાને ટેગ કરી સોશિયલ મીડિયા પર પણ આંદોલન ચલાવશે. આખરે 25મી જૂને નિગમની તમામ વિભાગીય કચેરીઓ સામે સવારે 11 વાગ્યાથી ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કરશે.

સોના-ચાંદીમાં તેજીનો ઝળહળતો ઝટકો: MCX પર ભાવ ઉછળ્યા, જાણો આજના નવા દર

0

ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને ધાતુઓમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. નબળા પડતા યુએસ ડોલર અને ક્રૂડ ઓઇલના ભાવ વચ્ચે, રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત સ્વર્ગ ગણાતા સોના અને ચાંદી તરફ વળ્યા છે. આ અસર સ્થાનિક બજારમાં સ્પષ્ટ જોવા મળી હતી, જ્યાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

MCX પર સોનું અને ચાંદી વધુ મોંઘા થયા
ગુરુવારે, ઓગસ્ટ 2026 ડિલિવરી માટે સોનું MCX પર 840 રૂપિયા વધીને 1,59,366 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું. જુલાઈ 2026 ડિલિવરી માટે ચાંદી 753 રૂપિયા વધીને 2,63,711 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. જોકે પાછલા ટ્રેડિંગ સત્રમાં સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા, પરંતુ રોકાણકારો દ્વારા વધતી ખરીદીને કારણે આજે બજાર ખુલતાની સાથે જ તેઓએ ફરીથી મજબૂતી મેળવી લીધી.

સોના અને ચાંદીના ભાવ કેમ વધ્યા?
નબળો પડતા યુએસ ડોલરે રોકાણકારો માટે સોના અને ચાંદીને વધુ આકર્ષક બનાવી છે. વધુમાં, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે બજારની પ્રવૃત્તિમાં વધારો થયો છે. અમેરિકામાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામની વધતી જતી આશાઓએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. વધુમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન સામેના યુદ્ધ અંગે યુએસ કોંગ્રેસમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોએ વૈશ્વિક બજારોમાં નવી ચર્ચા જગાવી છે.

વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ 0.7 ટકા વધીને $4,461 પ્રતિ ઔંસ પર પહોંચ્યો. દરમિયાન, યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.5 ટકા વધીને $4,487 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા હતા. ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમમાં પણ મજબૂતી જોવા મળી.

બ્રિટનમાં સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટના: તાલીમ અભ્યાસ દરમિયાન રોયલ નેવીના 3 સભ્યોના મોત

બ્રિટનમાં સૈન્ય તાલીમ અભ્યાસ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રોયલ નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર ત્રણ ક્રૂ સભ્યોના મોત થયા છે. આ દુર્ઘટના ડેવોન કાઉન્ટીમાં બની હતી. રોયલ નેવીના જણાવ્યા અનુસાર બુધવારે સવારે લગભગ 4 વાગ્યા પહેલા હેલિકોપ્ટર ડેવોનના સોર્ટન વિસ્તાર નજીક એક ખેતરમાં તૂટી પડ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સૈન્ય અધિકારીઓએ તરત જ તપાસ શરૂૂ કરી હતી.

ગ્વિન જેન્ક્ધિસએ નિવેદન જાહેર કરીને આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે રોયલ નેવીનું મર્લિન Mk4 હેલિકોપ્ટર ડેવોન નજીક અકસ્માતગ્રસ્ત થયું હતું, જેમાં ત્રણ ક્રૂ સભ્યોના જીવ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે દુર્ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને તપાસના તારણો સામે આવ્યા બાદ માહિતી જાહેર કરવામાં આવશે.

મર્લિન Mk4 હેલિકોપ્ટર રોયલ નેવીના સૌથી વિશ્વસનીય અને શક્તિશાળી હેલિકોપ્ટરોમાંનું એક માનવામાં આવે છે. તેને સંચાલિત કરવા માટે સામાન્ય રીતે ચાર ક્રૂ સભ્યોની જરૂૂર પડે છે અને તે લગભગ 24 સૈનિકોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ મુખ્યત્વે દરિયામાં દુશ્મનની સબમરીન સામે કામગીરી, સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સૈન્ય સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. આ કારણે તેને બ્રિટિશ નૌસેનાની મહત્વપૂર્ણ સંપત્તિ માનવામાં આવે છે.

મુખ્યમંત્રીના મતવિસ્તારમાં જળકાંડ! દૂષિત પાણી પીવાથી 1000થી વધુ લોકો બીમાર

0

થોડા સમય પહેલાં ઈન્દોરમાં થયેલા જળકાંડ જેવી સ્થિતિ ગુજરાતના મુખ્યમંત્રીના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયામાં સર્જાઈ છે. પીવાના દૂષિત પાણીના કારણે ગોતા અને થલતેજ વિસ્તારમાં 500થી 600 જેટલા લોકો ઝાડા-ઉલટી સહિતની બીમારીઓનો ભોગ બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ચારેક દિવસથી સ્થાનિક રહેવાસીઓ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરી રહ્યા હતા. પરંતુ તંત્રએ ફરિયાદને ગંભીરતાથી ન લેતા સ્થિતિ વકરી હતી. બે દિવસથી કેટલાક લોકોને તો 108 એમ્બ્યુલન્સ બોલાવીને દવાખાનાઓમાં સારવાર માટે મોકલવાની ફરજ પડી છે.

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા નવનિયુક્ત મેયરના વોર્ડ થલતેજ અને ગોતામાં પીવાના દૂષિત પાણીથી રોગચાળો ફેલાયો છે. બહાર આવતી ફરિયાદો અનુસાર ગોતા વોર્ડના આકાંક્ષા ફ્લેટમાં 700થી વધુ લોકો ચારેક દિવસમાં બીમાર પડ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો છે. જ્યારે વંદે માતરમ્ ફ્લેટના 100થી વધુ લોકો બીમારીમાં સપડાયા છે. જ્યારે આવી રીતે જ થલતેજ વોર્ડના નવરત્ન એવન્યુ એપાર્ટમેન્ટમાં 200 જેટલા અને વિનાયક બંગલોઝમાં 50થી વધુ લોકો ઝાડા-ઉલટી સહિતની બીમારીનો ભોગ બન્યા છે.

રોગચાળો બેકાબૂ બનતા લોકોનો આક્રોશ સામે આવ્યો હતો. જેના પગલે મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ઈજનેર વિભાગની ટીમો પણ આવી પહોંચી હતી. પીવાના દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, સ્થિતિ આ હદે વકરી ત્યાં સુધી નવા ચૂંટાયેલા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો કે મ્યુનિસિપલના અધિકારીઓમાંથી કોઈ સ્થળ પર ડોકાયું નહોતું. જેને લઈને લોકોમાં તીવ્ર રોષ વ્યાપ્યો હતો.

અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘ગત શુક્રવારથી આ પ્રશ્ન પેદા થયો છે. પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતી હતી. તેમજ પાણી ડહોળું પણ હતું. પહેલાં તો સોસાયટીઓએ પોતાની ટાંકીઓ સાફ કરાવી, પરંતુ પ્રશ્ન ઉકેલાયો નહીં. માટે મ્યુનિસિપલ તંત્રને જાણ કરી હતી. પરંતુ મ્યુનિસિપલના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. જેના કારણે રોગચાળો બેકાબૂ બન્યો હતો.’

મ્યુનિસિપલના ઈજનેર વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, જનતાનગર ફાટક પાસે પીવાના પાણીની લાઈનમાં લિકેજ થયું હતું. જેનું સમારકામ હાથ ધરાતા નીચે ગટરની લાઈન પણ તૂટેલી જોવા મળી હતી. પરિણામે પહેલાં ડ્રેનેજ લાઈન રીપેર કરાઈ હતી. સમારકામના આ સમયગાળા દરમિયાન પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજનું પાણી ભળી ગયું હતું. સમારકામનું આટલું સાદુ ગણિત સમજવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલના ઈજનેરોના કારણે રોગચાળો વકર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલના શાસનમાં ભાજપના શાસકો નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરતા વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે, ‘હજી 30થી 40 લોકો ખાનગી દવાખાનાઓમાં સારવાર હેઠળ છે. બાળકો, બહેનો, વડીલો સહિતના લોકો ઝાડા-ઉલટી સહિતની બીમારીનો ભોગ બન્યા છે. ભાજપના શાસકો પીવાનું શુદ્ધ પાણી નહીં પૂરું પાડી શકતા લોકોએ પૈસા ખર્ચી પાણીના કેરબા મંગાવવા પડે છે.’

ભીષણ ગરમીમાં પાણી માટે હાહાકાર: નોઇડાના સેક્ટર-122માં ઊંડું બનતું જળસંકટ

0

ભીષણ ગરમી વચ્ચે સેક્ટર-122ના રહેવાસીઓ માટે પાણી સૌથી મોટી સમસ્યા બની રહી છે. હાલત એવી છે કે લગભગ દર બીજા-ત્રીજા દિવસે જળપુરવઠો પ્રભાવિત થવાની સૂચના જાહેર કરવામાં આવે છે. ક્યારેક તકનીકી ખામી તો ક્યારેક વીજ પુરવઠો ખોરવાવાના કારણે પાણીની સપ્લાય બંધ રહે છે, જેના કારણે હજારો લોકોની દૈનિક જીવનશૈલી પર અસર પડી રહી છે.

RWAના મહાસચિવ નિતિન ચૌહાણે જણાવ્યું કે ઘણી વખત પાણી ખૂબ ઓછા દબાણ સાથે આવે છે, જ્યારે અનેક પ્રસંગોએ માત્ર અડધા કલાક માટે જ પાણીની સપ્લાય આપવામાં આવે છે. ઉનાળાની આ કડક ગરમીમાં આટલી ઓછી અવધિનો જળપુરવઠો મળતા લોકોને પીવાના પાણીથી લઈને ઘરેલુ જરૂરિયાતો સુધી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક પરિવારોને પાણીનો સંગ્રહ કરવાની સાથે ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવાની ફરજ પડી રહી છે.

રહેવાસીઓનું કહેવું છે કે જળપુરવઠો ખોરવાયાની સૂચનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ છે. જ્યારે પણ પાણીની સપ્લાયનો સમય વધારવા અથવા વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ કરવામાં આવે છે, ત્યારે કોઈ કાયમી ઉકેલ સામે આવતો નથી. જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.

RWAએ નોઇડા ઓથોરિટી અને સંબંધિત અધિકારીઓને માંગ કરી છે કે આ સમસ્યાને ગંભીરતાથી લઈને જળપુરવઠા વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે. લોકોનું કહેવું છે કે ભીષણ ગરમીમાં પાણી જેવી મૂળભૂત સુવિધાનો અભાવ તેમની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો કરી રહ્યો છે અને જો જલ્દી ઉકેલ નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

બિહારના મુઝફ્ફરપુરની હોસ્પિટલમાં ભીષણ આગ લાગતાં 10 દર્દીઓના મોતની આશંકા

0

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે ચાર દર્દીઓનો ભોગ લીધો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે દર્દીઓ અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આગ બાદ હોસ્પિટલના ICU સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમાડો ફેલાઈ જતાં ચાર દર્દીઓના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે 12 જેટલા ફાયર ટેન્ડરોને કામે લગાડવામાં આવ્યા હતા.

બચાવ કામગીરી દરમિયાન આશરે 15થી 20 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત કુમાર સેન, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે આ અત્યંત દુઃખદ ઘટના છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડના અધિકારી રામ નિવાસ પાંડેએ જણાવ્યું હતું કે સવારે 3:55 વાગ્યે આગ લાગ્યાની જાણ મળતાં જ ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને તમામ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ અને ધુમાડાના કારણે હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની ઝડપી કામગીરીને કારણે અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા.

આ ઘટનાને લઈને બિહાર સરકાર પણ સક્રિય બની છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાની સૂચના અધિકારીઓને આપી છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના દિલ્હીના માલવિયા નગરમાં આવેલી એક હોટલમાં લાગેલી ભીષણ આગના એક દિવસ બાદ બની છે, જેમાં 21 લોકોના મોત થયા હતા. સતત આવી રહેલી આગની ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.

કિવ પર રશિયાનો વિનાશક હુમલો: 18 લોકોના મોત, 100થી વધુ ઘાયલ, ભારે નુકસાન

લાંબા સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુધ્ધમાં અચાનક રશિયાની આક્રમકતાથી માહોલ વધુ ગંભીર બન્યો છે. રશિયાએ ડ્રોન અને મિસાઇલો દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિતના વિસ્તારો પર હુમલો કરતા ઓછામાં ઓછા 18થી વધુ નાગરીકો માર્યા ગયા છે. જયારે 100 થી વધુ લોકો ઘવાયા છે. હુમલામાં વ્યાપક નુકસાન પણ થયું છે. યુક્રેને અમેરિકા અને યુરોપના દેશોને મદદની અપીલ કરી છે. તસવીરોમાં યુક્રેનમાં સર્જાયેલી ખાનાખરાબી નજરે પડે છે.

હવામાન વિભાગનું એલર્ટ: દિલ્હી, કેરળ સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દેશભરમાં તીવ્ર ગરમી અને ચોમાસા વચ્ચે સંઘર્ષ ચાલુ છે. જૂનના પહેલા અઠવાડિયામાં દક્ષિણ ભારતમાં હવામાનનો સૌથી મોટો ફેરફાર જોવા મળશે, જ્યાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થવાની ધારણા છે. હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અનુકૂળ સિસ્ટમના કારણે કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં ભારે વરસાદ પડી શકે છે. ચોમાસુ આવતીકાલે, 4 જૂને કેરળમાં આવી શકે છે.

હવામાન વિભાગે 4 થી 6 જૂન સુધી દિલ્હી-એનસીઆર માટે વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના મોટાભાગના ભાગોમાં આવતીકાલે, ગુરુવારે, ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ઉત્તર ભારતમાં હવામાન સ્થિતિ
દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાદળોની ગતિ વધશે. ઘણા જિલ્લાઓમાં ધૂળના તોફાન અને વાવાઝોડાનો અનુભવ થઈ શકે છે. પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે.

પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનું મોજું ચાલુ રહેશે, પરંતુ સાંજે વાવાઝોડા અને હળવો વરસાદ પૂર્વ રાજસ્થાનમાં રાહત લાવી શકે છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવશે. હવામાન વિભાગે ઉત્તરાખંડના કેટલાક ભાગો માટે ચેતવણી જારી કરી છે.

પંજાબ અને હરિયાણામાં ઓરેન્જ એલર્ટ જારી
પંજાબ અને હરિયાણામાં એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે. ગુરુવારે બંને રાજ્યો માટે નારંગી અને પીળો વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી. હવામાનમાં આ ફેરફાર 6 જૂન સુધી રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી સ્વચ્છ હવામાન અને ઊંચા તાપમાનને કારણે, સિરસા સૌથી ગરમ સ્થળ હતું, જે 41.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ન પડવાને કારણે મહત્તમ તાપમાન ફરી વધ્યું છે.

ચોમાસું કેરળ પહોંચવાની ધારણા
હવામાન વિભાગ અનુસાર ચોમાસું 4 જૂને પહેલા કેરળ પહોંચવાની ધારણા છે. ત્યારબાદ, તે ધીમે ધીમે આગળ વધશે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાને પહોંચવામાં લગભગ એક અઠવાડિયા લાગી શકે છે. જો ચોમાસાની ગતિ સામાન્ય રહે તો ચોમાસાને મુંબઈ પહોંચવામાં 10 દિવસ લાગી શકે છે.

હાલમાં, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્રમાં હાલમાં છૂટાછવાયા વાવાઝોડાનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, આગામી ત્રણથી ચાર દિવસમાં, ખાસ કરીને કોંકણ અને ગોવા પ્રદેશોમાં, આ પ્રવૃત્તિમાં વધારો થવાની ધારણા છે.

મુંબઈમાં હળવો વરસાદ પડવાની શક્યતા
મુંબઈમાં હળવો વરસાદ શરૂ થયો છે. 4 જૂને મુંબઈ, નવી મુંબઈ, થાણે અને વસઈ-વિરારમાં પણ હળવો વરસાદ પડવાની શક્યતા છે. આનાથી તાપમાન અને ભેજ ઘટશે. જોકે, સંપૂર્ણ રાહત મેળવવામાં થોડા વધુ દિવસો લાગી શકે છે. 8 અને 9 જૂન પછી વરસાદ અને વાવાઝોડાની પ્રવૃત્તિની તીવ્રતા વધુ વધશે. તે સમય દરમિયાન લોકોને ગરમી અને ભેજથી નોંધપાત્ર રાહત મળવાની ધારણા છે.

તમિલનાડુના 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે બુધવાર અને ગુરુવારે તમિલનાડુના 16 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂર, વીજળી ગુલ થઈ ગઈ છે, મિલકતને નુકસાન અને ઇજાઓ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં કોઈમ્બતુર, નીલગિરિ, થેની, તિરુપ્પુર, તિરુનેલવેલી, તેનકાસી, ડિંડીગુલ, કન્યાકુમારી, ઇરોડ, સેલમ, ધર્મપુરી, કૃષ્ણગિરિ, તિરુપત્તુર, વેલ્લોર, રાનીપેટ અને તિરુવન્નામલાઈ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

અમદાવાદથી જમ્મુ-કાશ્મીર, લક્ષદ્વીપ જવું થયું મોંઘું, ફ્લાઇટ ભાડાં ₹75 હજાર સુધી પહોંચ્યાં

0

મધ્ય પૂર્વમાં તણાવને કારણે સ્થાનિક હોલીડે પેકેજની માંગમાં તીવ્ર વધારો નોંધાયો છે. ઉડ્ડયન ઇંધણના ઊંચા ખર્ચ સાથે, વિમાન ભાડા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે અને એરલાઇન્સને અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂૂટ પર સેવાઓ ઘટાડવા માટે પ્રેરિત કર્યા છે.

ટ્રાવેલ ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનને પગલે વધુ ભારતીયો સ્થાનિક વેકેશન પસંદ કરી રહ્યા છે, જેના કારણે જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, ગુવાહાટી અને બાગડોગરા જેવા સ્થળો માટે બુકિંગમાં વધારો થયો છે. પરિણામે, અમદાવાદથી જમ્મુ અને કાશ્મીરના પરત ભાડા લગભગ રૂૂ. 60,000 સુધી પહોંચી ગયા છે, જ્યારે લક્ષદ્વીપની ટિકિટ રૂૂ. 70,000-75,000 સુધી પહોંચી ગઈ છે. ગુવાહાટી અને બાગડોગરાનું ભાડું રૂૂ. 50,000 સુધી પહોંચી ગયું છે.

જયરામ ટ્રાવેલ્સના ચેરમેનએ જણાવ્યું હતું કે ભાડા-મર્યાદા પદ્ધતિના અભાવે એરલાઇન્સ પીક ટ્રાવેલ સમયગાળા દરમિયાન ભાવમાં નોંધપાત્ર વધારો કરી શકે છે, જેના કારણે પરિવારો માટે ઘણા રજા પેકેજો પરવડે તેવા નથી. તે જ સમયે, ક્રૂડ ઓઇલના વધતા ભાવે એર ટર્બાઇન ફ્યુઅલ ખર્ચમાં વધારો કર્યો છે.

ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેરિયર્સે ફ્રીક્વન્સી ઘટાડીને, સેવાઓ સ્થગિત કરીને અને ફ્લાઇટ્સને એકીકૃત કરીને પ્રતિક્રિયા આપી છે. ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના ચેરમેન દિલીપ મસરાણીએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ કેટલાક રૂૂટ પર કામગીરીમાં લગભગ 30 ટકાનો ઘટાડો કર્યો છે, જેમાં મુંબઈ અને દિલ્હી જેવા વ્યસ્ત ક્ષેત્રોનો સમાવેશ થાય છે.ગુજરાત સમાચાર

અમદાવાદથી ન્યુયોર્ક અને ન્યુજર્સી વાયા દિલ્હીની દૈનિક ફ્લાઇટ્સ અઠવાડિયામાં માત્ર બે સેવાઓ સુધી ઘટાડી દેવામાં આવી છે, જ્યારે અમદાવાદથી મુંબઈ વાયા અમેરિકાની ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે. મુંબઈ-શિકાગો સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. દિલ્હીની બે અને મુંબઈની ત્રણ ફ્લાઇટ્સ પાછી ખેંચી લેવામાં આવી છે, જ્યારે એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ કામગીરી ઘટાડી છે.