Home Blog Page 1423

સેક્સી નહી નશીલો મેકઅપ : આ પાવડર લગાવતાની સાથે જ યુવતીઓ ભુલી જતી ભાન અને…

Sexy not intoxicating makeup

  • ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સને પાર્સલ થકી થતું હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના જોઇન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કરવામાં આવ્યુ છે.

ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સને (Drugs abroad) પાર્સલ થકી થતું હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે (Crime Branch) પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના (Crime Branch and Customs Department) જોઇન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું (Ketamine hydrochloride drugs) પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કરવામાં આવ્યુ છે.

ક્રાઇમ બ્રાન્ચે જે કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ પડકયું છે. આ ડ્રગ્સનો ઉપયોગ યુવાનો ઝડપી નશો કરવા માટે અને ખાસ કરી રેવ પાર્ટીઓમા થતો હોય છે. સાથે જ વિદેશમાં સૌથી વધુ આવા ડ્રગ્સની માંગ હોવાથી તેની હવે ગુજરાતમાંથી હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલીવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ જથ્થો પકડાયો છે. શહેર ક્રાઇમ બ્રાંચને એક બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગ જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અમદાવાદમાંથી 2.95 કરોડ રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે, ડ્રગ્સની હેરાફેરી કસ્ટમના પાર્સલ થકી થાય છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે આ પાર્સલ કસ્ટમ વિભાગના અધિકારીઓને હોલ્ટ કરાવ્યું હતું. કસ્ટમ ફોરેન પોસ્ટ શાહીબાગ ઓફિસ ખાતે તપાસ કરતા કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સની હેરાફેરી થતું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં આ પાર્સલ માં ચૂર્ણના 2 પ્લાસ્ટિકના ડબ્બા જેનું વજન 590 ગ્રામ જેટલું હતું તેની પર શંકા જતા FSLમાં તેનું પૃથ્થકરણ પણ ક્રાઇમ બ્રાન્ચે કરાવ્યું.

જે અંગે FSLના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે આ ડ્રગ્સ કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ છે..જે ડ્રગ્સ રાજસ્થાન પુષ્કરમાંથી સોનુ ગોયલ નામના શખ્સે પાર્સલ મોકલ્યું હતું. જે નવસારીથી USA મોકલવાનું હતું. પરતું ક્રાઇમ બ્રાંચની ટીમને આ અંગે માહિતી મળતા પાર્સલને અટકાવી કસ્ટમના અધિકારીને ડ્રગ્સ હોવાની માહિતીથી વાકેફ કરી તપાસ શરૂ કરી.

ક્રાઇમ બ્રાંચની ટીમે ડ્રગ્સ સપ્લાય કરનાર સોનુ ગોયલની પકડી લઈ ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં પાર્સલ થકી અનેક વખત ડ્રગ્સ વિદેશ પહોંચ્યું હોવાની આશંકા છે. જે દિશામ ક્રાઇમ બ્રાંચે અગાઉ ગયેલા પાર્સલના ડેટાના આધારે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી ભારતમાંથી વિદેશમાં મોકલાતા માદક પદાર્થના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે.

Sexy not intoxicating makeup

KL રાહુલ બાદ ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખરાબ સમાચાર, હવે આ સ્ટાર ખેલાડી થયો બહાર  

0

One more for Team India after KL Rahul

  • IND vs SA:  ટીમ ઈન્ડિયા ગુરુવારથી દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 સિરીઝમાં ટકરાશે. પરંતુ આ સીરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને એક પછી એક બે જોરદાર ઝટકા લાગ્યા છે.

ટીમ ઈન્ડિયા (Team India) ગુરુવારથી દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 સિરીઝમાં ટકરાશે. પરંતુ આ સીરીઝની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન કેએલ રાહુલ (Captain KL Rahul) આ સીરીઝમાંથી બહાર થઈ ગયો. પરંતુ રાહુલના બહાર થયા બાદ ભારતીય ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો વધુ એક મહાન ખેલાડી આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

રાહુલ બાદ આ ખેલાડી પણ આઉટ થયો હતો :

કેએલ રાહુલના બહાર થયા બાદ હવે ટીમ ઈન્ડિયાનો સ્ટાર લેગ સ્પિનર ​​કુલદીપ યાદવ પણ આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે કુલદીપ પણ ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ટી-20 સીરીઝની શરૂઆત પહેલા જ આ બંને ખેલાડીઓનું બહાર થવું ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે. તમને જણાવી દઈએ કે IPL 2022માં કુલદીપ યાદવનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું, જેના કારણે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી, પરંતુ હવે તે ઈજાના કારણે આ સીરીઝમાં રમી શકશે નહીં.

IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું :

IPL 2022માં કુલદીપ યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તે એક સમયે પર્પલ કેપ જીતવાનો પણ મોટો દાવેદાર હતો. IPL 2022માં કુલદીપે 14 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. તેનું પ્રદર્શન ઘણું અદ્ભુત હતું, પરંતુ કુલદીપનું નસીબ ફરી એકવાર ખૂબ જ ખરાબ રહ્યું છે. આ ખેલાડી લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં વાપસીની રાહ જોઈ રહ્યો હતો.

પંતને પ્રથમ વખત કેપ્ટનશીપ મળી છે :

કેએલ રાહુલના બહાર થયા બાદ ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. પંત છેલ્લા બે વર્ષથી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે. પરંતુ આ મોટી શ્રેણીમાંથી કેએલ રાહુલને બાકાત રાખવો એ ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો છે કારણ કે આ ખેલાડી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો અને દરેકને અપેક્ષા હતી કે તે દક્ષિણ આફ્રિકા સામે પણ શાનદાર પ્રદર્શન કરશે.

દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયા :

ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અવેશ કુમાર, પટેલ, હર્ષ પટેલ. અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

One more for Team India after KL Rahul

આખરે વડોદરાની ક્ષમાએ પોતાની જ સાથે કરી લીધા લગ્ન- ઇતિહાસમાં પહેલીવાર દુલ્હા વગર જ દુલ્હને લીધા સાત ફેરા , જુઓ લગ્નની તસ્વીરો 

0

Eventually Vadodara’s Kshma got married

ગુજરાતના વડોદરા (Vadodara, Gujarat) ની ક્ષમા બિંદુ (Kshama Bindu) એ આખરે બુધવારે પોતાની જ સાથે લગ્ન કર્યા. ક્ષમાએ અગાઉ 11 જૂને પોતાની જ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વિવાદથી બચવા માટે તેણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા.

વિવાદોના વંટોળ વચ્ચે ઘેરાયેલી ક્ષમા બિંદુએ આખરે પોતાને જ આપેલું વચન પૂરું કર્યું અને એક ખાસ લગ્ન સમારોહમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. લગ્ન દરમિયાન હલ્દી, મહેંદીની વિધિ સાથે સાત ફેરા પણ થયા. વડોદરાના ગોત્રી સ્થિત તેમના ઘરે, ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. જોકે, આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત. આ લગ્નમાં ક્ષમાના કેટલાક ખાસ મિત્રોએ પણ હાજરી આપી હતી.
કોઈ વિવાદ ન થાય એ માટે બદલી તારીખ :

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ પ્રકારના પ્રથમ લગ્ન છે. ક્ષમાએ અગાઉ 11 જૂને તેના લગ્નની જાહેરાત કરી હતી. ત્યારથી તેના ઘરે લોકોનો સતત ધસારો રહેતો હતો. આ અંગે તેના પડોશીઓએ વિરોધ કર્યો હતો. ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. ક્ષમાએ કહ્યું કે, તે તેના ખાસ દિવસને બગાડવા માંગતી નથી. આથી તેણીએ બુધવારે જ લગ્ન કરી લીધા હતા.

ક્ષમાએ અગાઉ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાજપના નેતાના વિરોધ બાદ તેણે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પંડિતે લગ્નની વિધિ કરાવવાની પણ ના પાડી દીધી. આ પછી ક્ષમાએ ટેપ પર મંત્ર વગાડીને લગ્ન કરવાનું નક્કી કર્યું.

Eventually Vadodara’s Kshma got married

ફેસબુકમાં પોતાની જ પત્ની સાથે પડ્યો લફરામાં પોલીસ ઓફિસર – પત્નીએ આ રીતે કર્યો પતિની કાળી કરતૂતનો પર્દાફાશ

0

Lafra fell in love with his own wife

મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) ઈન્દોર (Indore) માં પત્નીએ રંગીન મિજાજ પોલીસ કોન્સ્ટેબલ પતિની કરતુતનો પર્દાફાશ કરવાની અનોખી રીત અપનાવી. પત્નીએ પહેલા ફેસબુક પર નકલી નામથી આઈડી બનાવી હતી. આ પછી પતિને રીક્વેસ્ટ મોકલી (Request sent) અને એક્સેપ્ટ થતા જ બંનેએ વાત કરવાનું શરૂ કર્યું. વાત કરતી વખતે પોલીસકર્મીએ તેની પત્નીને બીજી છોકરી સમજીને KISS અને સે*સની માંગણી કરતો. પરંતુ જયારે પત્નીએ સત્ય કહ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

ઈન્દોરના સુખલિયાની રહેવાસી મનીષા ચાવંડના લગ્ન સત્યમ બહેલ સાથે 2019માં થયા હતા. થોડા દિવસો સુધી સત્યમે મનીષાને સારી રીતે રાખી, પરંતુ તે પછી ટોર્ચરનો ગાળો શરૂ થઈ ગયો. જે દિવસે પોલીસ જવાન તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. તે તેની પત્નીને નાની-નાની વાત પર કલાકો સુધી બાથરૂમમાં બંધ રાખતો હતો. કલાકો સુધી જમીન પર બેસાડી માર મારતો.

police constable husband wife did sting by posing as another woman policeman2 - Trishul News Gujarati indore, madhya pradesh, ફેસબુક

કંટાળી ગયેલી યુવતીએ તેના માતા-પિતાને ફરિયાદ કરી, જેના વિશે મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિની ફરિયાદ નોંધાવવામાં આવી. 28 નવેમ્બર 2020ના રોજ નોંધાયેલી એફઆઈઆરમાં એવું લખવામાં આવ્યું હતું કે પતિ તેમને ઘરમાં પેપર પણ નહોતો વાંચવા દેતો. આટલું જ નહીં દહેજમાં મહિલા પાસેથી સતત મોટરસાઇકલની માંગણી કરવામાં આવી રહી હતી. આ કેસમાં પતિની ધરપકડ કરવાના આદેશ પણ આપ્યા હતા. હાલ આરોપી જામીન પર બહાર છે. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.

જ્યારે પીડિતા મનીષાને માતાના ઘરે રહેવા દરમિયાન તેના પતિ પર શંકા ગઈ, ત્યારે તેણે તેને નકલી ફેસબુક આઈડી બનાવી રીક્વેસ્ટ  મોકલી. સોશિયલ મીડિયા પર પોતાને સિંગલ ગણાવનાર સત્યમ હવે રોજ આ મહિલા સાથે વાત કરવા લાગ્યો. પરંતુ તે નહોતો જાણતો કે તે તેની જ પત્ની સાથે વાત કરી રહ્યો છે. એક દિવસ ફેસબુક ચેટ પર પોતાની જ પત્નીને અન્ય યુવતી સમજીને પોલીસકર્મીએ કિસ સાથે સે*સની માંગણી કરી હતી. પીડિતાની પત્નીએ વોટ્સએપ પરની ચેટને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરી હતી, જેના પર જિલ્લા અદાલતે નોંધ લીધી હતી.

પીડિતાના આરોપો પર ઈન્દોર જિલ્લા અદાલતે આરોપીઓ સામે પ્રોટેક્શન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. સોમવારે અરજી પર સુનાવણી કરતા કોર્ટે પતિને 2 લાખ રૂપિયા તેમજ ભરણપોષણ માટે દર મહિને 7 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો.

ઈ- પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Lafra fell in love with his own wife

 સાળંગપુરમાં ભારે પવનના લીધે રોડ પર ગેટ ધરાશાયી, કોઈ જાનહાની નહીં ; વાહન-વ્યવહાર ખોરવાયો , જુઓ તસ્વીરો 

0

The gate collapsed on the road due

  • સાળંગપુરમાં ભારે પવનના લીધે બોટાદ જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો.

સાળંગપુરમાં (Salangpur) ભારે પવનના લીધે ગેટ પડ્યો હોવાની ઘટના સામે આવી છે. સાળંગપુરથી બોટાદ (Botad from Salangpur) જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો હતો. જેના લીધે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. જો કે, બાદમાં આ મામલે તંત્રને જાણ કરાતા JCBની મદદથી ગેઇટ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે, દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.

સૌરાષ્ટ્રમાં જામ્યો છે વરસાદી માહોલ : ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાણે કે પ્રી-મૉન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ હોય એમ ગઈ કાલે અમરેલી, સાવરકુંડલા, લાઠી, ભાવનગર અને પાટણ પંથકમાં વરસાદ પડ્યો હતો. તેમાં પણ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં આસપાસના વિસ્તારોમાં ઠંડકનો માહોલ થઇ ગયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં નવાં નીર પણ આવ્યાં હતાં.

ગઇકાલે ભાવનગરના જેસર તાલુકામાં બપોરે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો જેસરના દેપલા, છાપરિયા, સેરડા સહિતનાં ગામમાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગઢડાના ઢસા, બોટાદ, બરવાળા અને ભાલ પંથકમાં પણ વરસાદે રેલમછેલ કરી નાખી હતી. બોટાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે ધોધમાર વરસાદ :

The gate collapsed on the road due

રમતા-રમતા 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું બાળક, જુઓ ઓપરેશનની દિલધડક તસ્વીરો

0

A child falls into a 300-foot-deep borewell

ભારતીય સેના (Indian Army) શ્રેષ્ઠ એમ જ માનવામાં આવતા નથી, તેઓના કાર્યને કારણે તેઓને શ્રેષ્ઠ ગણવામાં આવે છે . હાલમાં ભારતીય સેનાને એવું જ કામ કરી બતાવ્યું છે. હકીકતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના દુદાપુર ગામ (Dudapur village) ની સીમમાં આવેલી એક વાડીમાં મંગળવારે સાંજના સાત વાગ્યાની આસપાસ અઢી વર્ષનો શિવમ (Shivam) રમતાં રમતાં 300 ફૂટથી વધુ ઊંડા બોરમાં પડી ગયો હતો. જેને ભારતીય સેના દ્વારા 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું.

ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. આ અંગેની જાણ ધ્રાંગધ્રા ખાતેના આર્મી યુનિટને કરવામાં આવી હતી. જાણ થતા જ તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. તેથી આર્મીના જવાનોએ 40 મિનિટ સુધી ઓપરેશન હાથ ધરીને શિવમને હેમખેમ બહાર કાઢ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુરની સીમમાં ખેતરમાં મજૂરી કામ કરતા અને મધ્યપ્રદેશ રહેતા મુનાભાઈનો દીકરો શિવમ, જેની ઉંમર અંદાજિત બે વર્ષ જેટલી છે. સાંજના સમયે શિવમની માતા રસોઇ બનાવી રહ્યા હતા અને પિતા ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા. આ દરમિયાન બાળક રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગયો હતો. બોરવેલમાં 30 ફૂટે બાળક ફસાયેલો હતો. આ ઘટના બનતાં ત્યાં મજૂરીકામ કરતા અને શિવમની માતાને જાણ થતાં તેને ગામના લોકોને વાત કરી હતી. બાદમાં રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું .

10 2 - Trishul News Gujarati Dhrangadhra, Dudapur village, indian army, surendranagar

આ દરમિયાન આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ બાદ શિવમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદમાં તેને સુરેન્દ્રનગર રિફર કરાયો હતો. શિવમ હેમખેમ બહાર આવતા તમામ લોકોએ સેનાના કાર્યની બિરદાવી હતી. આર્મીના આવા કાર્યને કારણે જવાનોને ખરેખર સલામ કરવાનું મન થાય.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો :

A child falls into a 300-foot-deep borewell

ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં પક્ષપલટાની આફત, 4 પાટીદાર સહિત 7 MLA કેસરિયા કરવાના મૂડમાં

0

Defection in Saurashtra Congress before elections

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતા.

ગુજરાતમાં વિધાનસભાની (Legislative Assembly in Gujarat) ચૂંટણી આવે એ પૂર્વે ભાજપમાં શરૂ કરાયેલા કોંગ્રેસના ભરતીમેળામાં હાર્દિક પટેલ (Hardik Patel) બાદ હવે કેટલાંક પાટીદાર MLA ઉપર પણ ધ્યાન એકત્રિત કરાઈ રહ્યું છે . રાજ્યમાં સૌરાષ્ટ્રમાં (Saurashtra) ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફતના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLA ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતા. પાટીલના મિશન 182ને લઇ કોંગ્રેસના કેટલાંક MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA કેસરિયા કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે.

પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ :

4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી શક્યતા. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે.

તદુપરાંત 182 બેઠક જીતવા માટે ભાજપ હાઈકમાન્ડે શક્ય તમામ બાંધછોડ કરવા પ્રદેશ નેતાઓને છુટ્ટો દોર આપી દીધો છે. પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર ધારાસભ્યો આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપની ટિકિટની ખાત્રી માંગી રહ્યાં હોવાથી અમુક ધારાસભ્યોનો પેચ ફસાયો છે. તો સામે બીજી બાજુ ટિકિટ નહીં લેનાર કોંગ્રેસના ધારાસભ્યને અન્ય રીતે ‘સાચવી’ લેવા માટે પણ ‘ગોઠવણ’ કરવામાં આવી રહી છે.

સૌ કોઇ ધીરે-ધીરે ભાજપમાં જોડાય તે માટે હાર્દિકને જ સક્રિય કરાયો ! 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલના જોરે ચૂંટાયેલા અને એક સમયના તેના જ સાથીદારો ધીરે-ધીરે ભાજપમાં જોડાય તે માટે હાર્દિકને જ અંદરખાને સક્રિય કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ સમગ્ર ગેઈમ પ્લાન એક બિનરાજકીય પાટીદાર નેતાના આશિર્વાદથી ચાલી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
Defection in Saurashtra Congress before elections

બેંકોના શેરોમાં આવી શકે છે તેજી, જાણો ક્યો સ્ટોક છે સૌથી શ્રેષ્ઠ

0

Bank stocks may rise

  • RBI monetary policy : આરબીઆઇ (RBI)ના રેપો રેટમાં વધારો કરવાનો અને CRR નહીં વધારવાનો નિર્ણય બેન્કિંગ સેક્ટરને (Bank Share) પસંદ આવ્યો છે. ઉપરના લેવલને તોડ્યા બાદ બેન્ક નિફ્ટી (Bank Nifty) માં 1000 અંકોનો વધારો જોવાને મળી શકે છે .

આરબીઆઇએ પોલિસી રેટ (RBI Policy Rate) કે રેપો રેટ (Repo Rate)માં વધારો કર્યો છે, પરંતુ કેશ રિઝર્વ રેશિયો (CRR)માં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન (No Change in CRR) હતો. પોલિસીની જાહેરાત પૂરી થતાં જ તેની સીધી અસર બેન્કિંગ સેક્ટરના શેર (Banking Sector Stocks) પર જોવા મળી રહી છે. સવારે લગભગ બધી જ બૅન્કો લાલ રંગમાં ટ્રેડ કરી રહી હતી. પરંતુ થોડા જ સમયમાં બધા શૅર ઉપરની તરફ જવા લાગ્યા હતા. જો કે, બપોરે 12 વાગ્યા બાદ ફરી એકવાર બેન્કિંગ શેરોમાં વેચવાલી શરૂ થઈ હતી.

બપોરે બેન્ક નિફ્ટી ફરી નેગેટિવ થઇ ગયો હતો. પરંતુ જાહેર ક્ષેત્રની બેન્કોએ બપોરે 3 વાગ્યા સુધી સારી તેજી જાળવી રાખી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને કેનેરા બેન્કમાં પીએસયુ બેન્કોમાં સારી તેજી જોવા મળી હતી. ખાનગી બેન્કોની વાત કરીએ તો બિઝનેસ સેશનના અંત સુધી માત્ર એચડીએફસી બેન્ક જ સારો ગ્રોથ જાળવી શકી હતી.

RBIના નિર્ણયને બેંકિંગ સેક્ટરે વધાવ્યો :

બજારના જાણકારોનું કહેવું છે કે, આરબીઆઇના રેપો રેટમાં વધારો કરવાનો અને CRR નહીં વધારવાનો નિર્ણય બેન્કિંગ સેક્ટરને પસંદ આવ્યો છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, આ એક સારી વાત છે કે આરબીઆઈએ ગ્રોથની સંભાવનાને સંપૂર્ણપણે નકારી નથી. જો ફુગાવો ઘટે તો ફરી એકવાર આપણને ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે. આ સ્થિતિમાં અર્થતંત્રમાં ધિરાણની માગ વધતી જોવા મળશે. જેનો ફાયદો બેન્કિંગ સેક્ટરને મળશે.

બેંકો માટે વિન-વિન સ્થિતિ :

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર જીસીએલ સિક્યોરિટીઝના રવિ સિંઘલનું કહેવું છે કે, આજની આરબીઆઇની પોલિસી જાહેરાતમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને સીઆરઆરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આશા છે કે આનાથી બેંકિંગ બિઝનેસને ફાયદો થશે. જો સીઆરઆર વધારવામાં નહીં આવે તો બેન્કોને લોન આપવા માટે વધુ દેવું થઇ જશે. આ સાથે જ રેપો રેટમાં વધારાને જોતા તે પોતાના વ્યાજ દરોમાં વધારો કરી શકશે. બેન્કિંગ સેક્ટર માટે આ સ્થિતિ સારી છે.

બેંકો જાળવી શકશે લિક્વિડીટી :

લેડરઅપ વેલ્થ મેનેજમેન્ટના રાઘવેન્દ્ર નાથનું કહેવું છે કે, સીઆરઆરમાં વધારાની અપેક્ષા હતી. પરંતુ એવું લાગી રહ્યું છે કે આરબીઆઇએ હાલ પૂરતી બેન્કો સાથે લિક્વિડિટી જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે સીઆરઆરમાં વધારો કરવામાં આવ્યો નથી. ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવુ છે કે નિફ્ટી બેન્ક હાલ 34,700 – 35,500ની રેન્જમાં જોવા મળી રહી છે. તેના ઉપરના લેવલને તોડ્યા બાદ બેન્ક નિફ્ટીમાં 1000 અંકોનો વધારો જોવાને મળી શકે છે. સુમિત બગડિયાનું કહેવુ છે કે, સીઆરઆર ન વધારવાનો નિર્ણય બેંકોને ખુશ કરવાનો છે. આ કારણે બેન્કિંગ સ્ટૉકમાં તેજી જોવા મળી શકે છે.

ક્યાં શેરોની ખરીદી કરાવી શકે છે ફાયદો ?

જીસીએલ સિક્યોરિટીઝના રવિ સિંઘલનું કહેવું છે કે, આરબીઆઇ પોલિસીની જાહેરાત બાદ રોકાણકારોએ એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્કના શેર પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરવા જોઇએ. તમે તેમાં સારી તેજી જોઈ શકો છો. રવિ સિંઘલ કહે છે કે, જે લોકો તેમના પોર્ટફોલિયોમાં કેટલાક બેંકિંગ સ્ટોક ઉમેરવા માંગે છે, તેઓએ એસબીઆઈને પ્રથમ પસંદગી આપવી જોઈએ. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્ક પર નજર રાખવી જોઈએ.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો :

Bank stocks may rise

અનોખું મંદિર ! 8 મહિના પાણીમાં જ ડૂબેલું રહે છે આ રહસ્યમય મંદિર, ઐતિહાસિક મહાત્મય જાણીને લાગશે નવાઈ

Unique temple! Remains submerged

  • હિમાચલમાં કાંગડા જિલ્લાના જવાલી નજીક સ્થિત પૌંગ ડેમ તળાવમાં બાથૂ કી લડી મંદીર આવેલુ છે.માન્યતા છે કે, આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું. આ મંદિર વર્ષમાં 8 મહિના પાણીમાં જ ડૂબેલુ રહે છે.બાકી ચાર મહિના આ મંદિરના દર્શન થાય છે.
પઠાન કોટથી (Pathan Kot) લગભગ 80 કિલોમીટર દુર બાથૂ કી લડી મંદીર (Bathu Ki Ladi Templ) પૌંગ ડેમના તળાવમાં બનેલુ છે. 70ના દાયકામાં તળાવ બનવાને કારણે આ મંદિર તળાવના પાણીમાં આવી ગયુ હતું. જ્યારે વરસાદમાં તળાવમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે જળસ્તર આ મંદિરને પાણીમાં ડૂબાવી દે છે. એપ્રીલથી લઈને જુન સુધી પાણીનું સ્તર નીચુ હોવાથી આ મંદિર ફરી દેખાવા લાગે છે. તે દરમિયાન શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા આવે છે. આટલા વર્ષોથી પાણીમાં હોવા છતા મહાભારત કાળનું આ મંદિર આજે પણ પોતોનુ અસ્તિત્વ જાળવી રાખ્યું છે.
વર્ષના 8 મહિના નથી  દેખાતુ આ મંદિર  :

કાંગડા જીલ્લાના જવાલી નજીક આવેલ બાથૂ કી લડી મંદિર વર્ષમાં 8 મહિના પૌંગ ડેમના તળાવમાં મળી જાય છે. ફક્ત 4 મહિના જ તે તળાવની બાર આવે છે. માન્યતા છે કે આ મંદિરોને પાંડવોએ મહાભારત કાળનાં એકાંતવાસ દરમિયાન બનાવ્યું હતું. અને અહિંયા 11 મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.

તળાવના મધ્યમાં આવેલ છે આ મંદિર  :

આ દરમિયાન પાંડવોએ સ્વર્ગ જવા માટે એક સીડીનો નિર્માણ પણ કરાવ્યું હતું.જે કોઈ કારણવશ સ્વર્ગના રસ્તાથી માત્ર થોડા અંતર સુધી બની હતી.આ મંદિરમાં જવા માટે પઠાનકોટથી કાંગડા તરફ જસૂરથી જવાલી તરફ જવું પડે છે.અને જવાલીથી લગભગ 15 કિલોમીટર દૂર પૌંગ ડેમના તળાવની વચ્ચો વચ્ચ આ મંદિર આવેલુ છે.

મંદિર સુધી જવાનો એક માત્ર સહારો હોડી :

ચારો તરફ તળાવનું પાણી અને વચ્ચે ટાપૂનુમા જગ્યા પર બનેલા બાથૂ કી લડી મંદિરોના દર્શન કરવા લોક દૂર દૂર આવે છે.આ મંદિરમાં જવા માટે એક માત્ર વિકલ્પ હોડી હોય છે,જેના પર સવાર થઈને લોકો મંદિર પહોચે છે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Unique temple! Remains submerged

9 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને વિષ્ણુ ભગવાનની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

0

June 9, 2022, Horoscope Gujarat Guardian

મેષ :
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

વૃષભ :
આદ્યત્મિકતામાં વધારો થતો જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુન :
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃદ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃદ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્ક :
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શત્રુઓથી સાવધ રહેવું.

સિંહ :
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યા :
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉખ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલા :
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિક :
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થસે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ, શાંતી, સમૃદ્ધિ જળવાય, સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધન :
નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતોજણાય. આવક-જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર :
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતા કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જૂની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃદ્ધિ થાય.

કુંભ ;
દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીન :
શેખચલ્લી જેવા વિચારો ટાળવા, મીઠાઇ, ઠંડા પીણાનો શોખ વધતો જણાય, વાણિજ્ય, દુર સંચાર, જળ આધારીત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ, પત્ની સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂં રહેશે. આંખની કાળજી રાખવી.

June 9, 2022, Horoscope Gujarat Guardian