Home Blog Page 1379

અમરેલીની માનવ લોહીની તરસી સિંહણ પાંજરે પૂરાઈ, વન વિભાગે મેગા ઓપરેશનથી આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો

0

Amreli’s thirst for human

  • અમરેલીના બાબરકોટ ગામે માનવ લોહીની તરસી સિંહણ પાંજરે પૂરાઈ છે. 6 વ્યક્તિ ઉપર હુમલો કરનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. આખરે સિંહણ પાંજરે પૂરાઈ હતી.

અમરેલીના (Amreli) બાબરકોટ ગામે માનવ લોહીની તરસી સિંહણ (lioness) પાંજરે પૂરાઈ છે. 6 વ્યક્તિ ઉપર હુમલો કરનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન (Mega operation) હાથ ધરાયું હતું. આખરે સિંહણ પાંજરે પૂરાઈ હતી.

અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામે આંટાફેરા કરનારી સિંહણને આખરે પાંજરે પુરવામાં સફળતા મળી છે. છેલ્લા ઘણા દિવસથી સિંહણના આંટાફેરાના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સિંહણને પકડવા માટે ગઈકાલ સવારથી મેગા ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન, ધારી ગીર પૂર્વ ડિવિઝન મોટાભાગની રેન્જના અધિકારીઓ જોડાયા હતા. ત્યારે ભારે જહેમત બાદ ગઈકાલ મોડીરાત્રે સિંહણને પાંજરે પૂરી દેવામાં સફળતા મળી હતી.

માણસો પર હુમલો કરવા પહોંચાડનાર વનવિભાગનો મોટો કાફલો માઇન્સ વિસ્તારમાં પહોંચ્યો હતો. સિંહણ આક્રમણ સ્વરૂપમાં આવી જતા વનવિભાગે કોર્ડન કરી હતી. 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું. વનવિભાગ દ્વારા જાહેરાત કરાઈ હતી કે, સિંહણ અસ્થિર મગજની છે. લોકોએ બહાર ન નીકળવું ગમે ત્યારે હુમલો કરી શકે છે.

તો બીજી તરફ, સાબરકાંઠાના ઈડરના પાતડિયા ગામમાં ઝરખ પાંજરે પૂરાયું હતું. વનવિભાગની ટીમે ઝરખને પકડવા માટે કાર્યવાહી કરી હતી. ઘરેથી ખેતર જઈ રહેલી મહિલા પર ઝરખે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે વડનગર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યાર બાદ મહિલાને વધુ સારવાર માટે અમદાવાદમાં ખસેડાઈ હતી. મહિલા પરના હુમલા બાદ વનવિભાગની ટીમે પાંજરું મૂક્યુ હતું. ઝરખને પકડીને વનવિભાગની ટીમે જંગલમાં છોડી મૂક્યું હતું.

આ પણ વાંચો –

 

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને ચહલને આરામ, અશ્વિન, લોકેશ રાહુલની એન્ટ્રી

0

Virat Kohli, Jasprit Bumrah

  • વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામે થનારી ટી-20 સિરીઝમાં આપવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે, જ્યાં 3 વન-ડે અને 5 ટી-20 મેચ રમશે.

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે રમાનારી ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની (Team India) 18 સભ્યોની સ્ક્વોડની જાહેરાત થઈ ગઈ છે. 29 જુલાઈથી શરૂ થનારી પાંચ મેચની આ સિરીઝમાં વિરાટ કોહલીને (Virat Kohli) આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે ટી-20 કે વન-ડે સિરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ નહીં જાય.

બીજા કોને આરામ અપાયો :

વિરાટ કોહલી ઉપરાંત વન-ડેના નંબર વન બોલર જસપ્રીત બુમરાહને પણ ટી-20 સિરીઝમાં આરામ અપાયો છે. બુમરાહે ઈંગ્લેન્ડ સામે વન-ડેમાં 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તો લેગ સ્પિનર યુઝર્વેન્દ્ર ચહલને પણ આરામ આપવામાં આવ્યો છે.

કોની ટીમમાં એન્ટ્રી થઈ :

યુઝર્વેન્દ્ર ચહલની જગ્યાએ રવિ બિશ્નોઈની ટીમમાં એન્ટ્રી થઈ છે. જ્યારે રવિચંદ્રન અશ્વિનની પણ ટીમમાં વાપસી થઈ છએ. તે સિવાય સ્ક્વોડમાં સ્પિનર અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ પસંદ કરવામાં આવ્યો છે. તો લોકેશ રાહુલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે કુલદીપ યાદવ અને લોકેશ રાહુલે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.

કોહલીને કેમ આરામ આપ્યો તેનો કોઈ જવાબ નહીં :

વિરાટ કોહલીને ટી-20 સિરીઝમાં આરામ આપવા અંગે સિલેક્શન કમિટીએ કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે કમિટિએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પૂછીને જ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ બે મહિનામાં કોહલીને બીજીવાર આરામ આપવામાં આવ્યો છે. આ પહેલાં તેણે આઈપીએલ પછી સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરીઝ રમી નહોતી.

ઉમરાન મલિકને તક નહીં, અર્શદીપને જગ્યા :

ટીમ ઈન્ડિયાના યંગ પેસ સેન્સેશન ઉમરાન મલિકને ટી-20 સ્ક્વોડમાં જગ્યા મળી નથી. પરંતુ સિલેક્શન કમિટીએ તેની જગ્યાએ યુવા અર્શદીપ સિંહને તક આપવામાં આવી છે. તેણે ઈંગ્લેન્ડમાં ટી-20 સિરીઝની પહેલી મેચ રમી હતી. આ તેની ડેબ્યુ મેચ હતી. જેમાં તેણે બે વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝનો કાર્યક્રમ :

પહેલી ટી-20 મેચ, 29 જુલાઈ

બીજી ટી-20 મેચ, 1 ઓગસ્ટ

ત્રીજી ટી-20 મેચ, 2 ઓગસ્ટ

ચોથી ટી-20 મેચ, 6 ઓગસ્ટ

પાંચમી ટી-20 મેચ, 7 ઓગસ્ટ

આ પણ વાંચો –

25 કિગ્રા કે 25 લિટરથી વધારે વજનની પેકેજ્ડ ખાદ્ય સામગ્રી પર નહીં લાગે GST

0

GST is not levied on packaged

  • 10-10 કિલોના 3 પેકેટ હોય તો કુલ વજન 30 કિગ્રા થવા છતાં પણ પેકેટ અલગ હોવાના કારણે જીએસટી ભરવો પડશે.

જીએસટી કાઉન્સિલના (GST Council) નિર્ણય પ્રમાણે આજથી એટલે કે, 18મી જુલાઈથી લોટ, દહીં, પનીર, હોસ્પિટલના રૂમ સહિતના અનેક ઉત્પાદનો અને સેવાઓ ઉપર 5 ટકા જીએસટી લાગુ થઈ ગયો છે. આ કારણે આજથી આ વસ્તુઓની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળશે.

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC)એ જીએસટીનો નવો નિયમ લાગુ થયો તેના એક દિવસ પહેલા નોટિફિકેશન બહાર પાડીને કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી છે. બોર્ડના કહેવા પ્રમાણે જીએસટીના ક્ષેત્રમાંથી બહાર રહેલા આ ઉત્પાદનો અને સેવાઓને હવે જીએસટીમાં આવરી લેવામાં આવ્યા છે. જોકે કેટલાક નિયમો હજુ પણ આ ઉત્પાદનોને જીએસટીના ક્ષેત્રમાંથી બહાર રાખી શકશે. સીબીઆઈસીએ ગ્રાહકોને જીએસટી ભર્યા વગર આ વસ્તુઓ ખરીદવા માટેનો રસ્તો બતાવ્યો છે. તેમાં કેટલીક પ્રી-પેક્ડ પ્રોડક્ટ્સ (Pre-packaged products) છે જે પહેલેથી જ પેકિંગમાં આવે છે.

જાણો કઈ રીતે GSTમાંથી બચી શકાય :

સીબીઆઈસીના કહેવા પ્રમાણે 25 કિગ્રા સુધીનું વજન ધરાવતા લોટ, દાળ, ચોખા કે કોઈ પણ અનાજના સિંગલ પેકિંગને લેબલ્ડ પ્રોડક્ટ માનવામાં આવશે અને તેના ઉપર 5 ટકા જીએસટી લાગુ થશે. અત્યાર સુધી આ વસ્તુઓમાં ટેક્સ છૂટ મળતી હતી.

પરંતુ 25 કિગ્રાથી વધારે વજન ધરાવતા લોટ, ચોખા કે અન્ય સામગ્રીના પેકેટ પર કોઈ જ જીએસટી નહીં લાગે. લોકોની ચિંતામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે પ્રી-પેક્ડ અને લેબલ્ડ કોમોડિટીની કેટેગરી અંગે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે, 25 કિગ્રાથી વધારે વજનના લોટ, ચોખા, દાળ કે અન્ય અનાજના પેકેટને આ કેટેગરીમાં નહીં ગણવામાં આવે. આ કારણે આ પ્રકારના પેકેટ પર કોઈ જ જીએસટી નહીં લાગે.

સરળતાથી સમજીએ તો છૂટક વેચાણ માટેની 25 કિગ્રા વજનની લોટની થેલી કે બોરી ઉપર 5 ટકા જીએસટી લાગશે અને ગ્રાહકે તે મુજબ પૈસા ચુકવવા પડશે. પરંતુ જો ગ્રાહક લોટની 30 કિગ્રા વજનની બોરી કે પેકેટ ખરીદશે તો તેના પર કોઈ જ જીએસટી નહીં લાગે.

પરંતુ જો કોઈ પ્રોડક્ટનું વજન 25 કિગ્રાથી વધારે છે પણ તે સિંગલ પેકમાં નથી. તો પણ 5 ટકાનો જીએસટી ચુકવવો પડશે. મતલબ કે, 10-10 કિલોના 3 પેકેટ હોય તો કુલ વજન 30 કિગ્રા થવા છતાં પણ પેકેટ અલગ હોવાના કારણે જીએસટી ભરવો પડશે.

આ પણ વાંચો –

દાહોદ પાસે માલગાડીને અકસ્માત, 12 ડબ્બા એકબીજા પર ચઢી ગયા, દિલ્હી-મુંબઈની ટ્રેનોને અસર

0

Freight train accident near Dahod

  • દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી… 12થી વધુ ડબ્બા ખડી પડતાં મુંબઈ-દિલ્લી વચ્ચેનો રેલવેમાર્ગ ખોરવાયો… ટ્રેનના પાટા અને કેબલને ભારે નુકસાન.

દાહોદ (Dahod) નજીક દિલ્હી મુંબઇ (Delhi Mumbai) મુખ્ય રેલ્વે માર્ગના મંગલ મહુડી નજીક રેલવે અકસ્માત સર્જાયો હતો. માલગાડીનું ડિરેલમેન્ટ થતા અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. લગભગ 12 ઉપરાંત માલગાડીના (freight train) ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતા મુંબઈ દિલ્હી રેલમાર્ગ ખોરવાયો હતો. અન્ય ટ્રેનોની આવનજાવન પર મોટી અસર પડી હતી. ટ્રેન ઉપર જતા કેબલોમાં ભારે નુકશાની જોવા મળી હતી. તેમજ રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું હતું. ઘટનામાં રેલવેના અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલિક દોડતા થયા હતા.

મહત્વનું છે કે માલગાડી ડીરેલ થતાં મુંબઈ- દિલ્હી વચ્ચેનો રેલમાર્ગ ખોરવાયો છે. કારણ કે માલગાડીના 12 થી વધુ ડબ્બા પાટા પરથી ખડી પડતાં રેલવે ટ્રેકને ભારે નુકશાન થયુ છે. તો સાથે જ ટ્રેન ઉપર જતા કેબલો પણ તુટી પડતાં યાતાયાત અટકી ગયો છે. હાલ તો રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે સમારકામમાં લાગી ગયા છે.

આ પણ વાંચો –

મધ્ય પ્રદેશમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં માત્ર 14 મતથી હારનારા કોંગ્રેસના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત

0

Congress candidate

  • મધ્ય પ્રદેશમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા, મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપે પરચમ લહેરાવ્યો છે. અમુક સ્થળે કોંગ્રેસે પણ સારુ પ્રદર્શન કર્યુ છે.

આ દરમિયાન રીવામાં (Reeva) હાર મળ્યાના તાત્કાલિક બાદ આઘાતમાં એક કોંગ્રેસ ઉમેદવારનું (Congress candidate) મોત નીપજ્યુ છે. રીવાના વોર્ડ નંબર 9 ના કોંગ્રેસ ઉમેદવાર હરિનારાયણએ (Harinarayan) જીવ ગુમાવ્યો છે. તેમને અપક્ષ ઉમેદવાર સામે માત્ર 14 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો.

રીવા હનુમનાના વોર્ડ 14ના કોંગ્રેસ પાર્ટીએ હરિનારાયણને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ હનુમના મંડશના અધ્યક્ષ પણ હતા. હરિનારાયણને જીતની પૂરી આશા હતી પરંતુ રવિવારે જ્યારે પરિણામ આવ્યા તો તેમની આશા તૂટી ગઈ. અપક્ષ ઉમેદવારે તેમને 14 વોટથી હરાવ્યા.

હરિનારાયણ હારનો આઘાત સહન કરી શક્યા નહીં. તેમને હાર બાદ તરત જ હાર્ટ એટેક આવ્યો અને તેમનુ મોત નીપજ્યુ. હરિનારાયણના મોતથી તેમના પરિજનો અને સમર્થકોની ખરાબ હાલત છે. હરિનારાયણે ચૂંટણીમાં જીત માટે આકરી મહેનત કરી હતી.

આ પણ વાંચો –

હુમલો : 8 હુમલાખોરને ઝડપી લેવા સવારે SIT રચાઈ, સાંજે પાંચ ‘સરેન્ડર’.

Attack SIT formed

  • CGST અધિ.ઓ પર હુમલો કરી નામચીન શખસ સહિતની ગેંગ થઈ હતી ફરાર. ઓપરેશન પાર પાડવા ASPને વિશેષ જવાબદારી. નામચીન બંધુબેલડી હજુ ફરાર : કરોડોની કરચોરી પકડાઈ હોવાના અહેવાલ.

ભાવનગર શહેરના (Bhavnagar city) નવાપરા જુની આરટીઓ નજીકના ફ્લેટમાં બે દિવસ પૂર્વે સર્ચ ઓપરેશન (Prior to the search operation) અર્થે ગયેલાં CGSTના અધિકારીઓ પર નામચીન વલી હાલારી અને અન્ય સાત શખસોએ કરેલાં હુમલા બાદ ફરાર થયેલા તમામ આઠેય હુમલાખોરોને ઝડપી પાડવા માટે ભાવનગરના રેન્જ આઈજીએ SIT ટીમની રચના કર્યાના ગણતરીના કલાકોમાં જ આઠ પૈકીના પાંચ હુમલાખોરે (Five attackers) પોલીસની ઘોંસના પગલે ભાવનગર એલસીબી સમક્ષ સરેન્ડર કરી દિધું હતું.

તમામને ક્સ્ટડીમાં લઈને પોલીસે તેમની ધરપકડ માટે મોડીરાત સુધી તજવીજ હાથ ધરી હતી.જો કે,આ હુમલામાં મુખ્ય સૂત્રધાર એવા નામચીન શખ્સની બંધુબેલડી સહિત ત્રણ હુમલાખોર હજુ પોલીસ ગિરફતારથી બહાર હોવાનું જાણવા મળેલ છે.

બનાવની વિગત એવી છે કે,ભાવનગર શહેરના નવાપરા જુની આરટીઓ પાસે આવેલાં મહેક એપાર્ટમેન્ટના 321 નંબરના ફ્લેટમાં ગત બુધવારના રોજ CGST વિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશન અર્થે ગયા હતા.જયાં ફ્લેટના કબ્જેદાર અને નામચીન શખસ વલી હાલારીએ CGST સુપ્રિ.ભારદ્વાજ પાઠક સહિત સ્થળ પર હાજર અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હું ભાવનગરનો બાપ છું તેમ કહીને વલી ઉપરાંત તેની સહિત તોફીક હાલારી,તોસિફ્ પરમાર,ઉસ્માન ગની ખોખર, ઝફ્ર કાઝી,હારૂન તથા બે અજાણ્યા શખસોએ ગેરકાયદે મંડળી રચીને હાજર તમામ અધિકારીઓને ગાળો અને મારી નાંખવાની ધમકી આપી તેમના 52 ધોકા વડે હુમલો કરી ફ્રજમાં રૂકાવટ કર્યાની નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે છ નામધારી અને બે અજાણ્યા મળી કુલ આઠ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. તો,આ તરફ્ હુમલો કરીને તમામ હુમલાખોર નાસી ગયા હતા.

ફ્રિયાદના પગલે આજે ગત ગુરૂવારે સવારથી જ પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા રીતસર ધોંસ બોલાવી હતી.અને સવારથી જ ઠેર-ઠેર તપાસ, શકમંદોની પૂછપરછ તથા ટેકનિકલ સોર્સના આધારે હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. તો, સાંજના સુમારે ભાવનગરના ASP સફ્નિ હસને મસમોટા પોલીસ કાફ્લા સાથે નવાપરા સ્થિત હુમલાના સ્થળે જઈ બંધ મકાનનું તાળું તોડીને ઘરમાં સર્ચ કર્યું હતું. તો હુમલાખોરના નિવાસસ્થાન સહિતના સ્થળે પણ પોલીસે સર્ચ કર્યું હતું.જો કે બન્ને સર્ચ દરમિયાન પોલીસે એકમાત્ર ડીવીઆર જપ્ત કર્યું હતું.

આજે ભાવનગર રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે તમામ આઠેય હુમલાખોરને ઝડપી પાડવા માટે ASP સફ્ન હસનની આગેવાનીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કરી હતી.આજે સવારેકચેરી સમય દરમિયાન તેમણે રચના અંગેનો ઓર્ડર પણ કરી દિધો હતો. નીલમબાગ અને એલસીબી પોલીસની ટીમ સાથેની SITએ હુમલાખોરને ઝડપી લેવા રીતસર ધોંસ વધારતાં આખરે સાંજના સુમારે આઠ પૈકીના પાંચ હુમલાખોર ભાવનગર એલસીબી પોલીસ સમક્ષ સરેન્ડર થયા હોવાનું જિલ્લા પોલીસ વડા ડૉ. રવિન્દ્ર પટેલે વિગત આપતાં જણાવ્યું હતું.

તેમણે તમામને કસ્ટડીમાં લેવા તજવીજ શરૂ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો કે, સરેન્ડર થયેલાં આ હુમલાખોરમાં નામચીન શખસ અને તેનો ભાઈ સહિત ત્રણ હજુ ફરાર હોવાનું અને તેમની શોધખોળ શરૂ હોવાનું જણાવ્યું હતું.એટલું જ નહીં, આ મામલે હાલ પોલીસ તપાસ શરૂ હોવાનું તેમણે કહ્યું હતુ.જયારે, પોલીસે અંદરખાને હુમલાખોરને ઝડપી પાડવા અત્યંત ગુપ્ત કાર્યવાહી આરંભી હોવાનું જાણવા મળેલ છે. સીજીએસટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંધાજનક દસ્તાવેજો કબજે કરાયા છે. કરોડોની રૂપિયાની પકડાઈ છે.

એક શકમંદ પણ પોલીસ ગિરફ્તારમાં, તપાસ શરૂ :

એલસીબી પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર, CGST અધિકારીઓ પર હુમલા પ્રકરણે પોલીસની ધોંસના પગલે પાંચ હુમલાખોરે સરેન્ડર કર્યું હોવાનું જયારે તેની સાથે એક શકમંદ પણ ઝડપાયો હતો. જો કે, હાલ આ શખસ શકમંદ હોય તે હુમલામાં સામેલ છે કે નહીં? તે દિશામાં પોલીસે તપાસ આદરી છે. તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.

આ પણ વાંચો –

ગરીબ ખેડૂતનો દીકરો બન્યો મેયર, 18 વર્ષનો વનવાસ થયો પુરો

0

A poor farmer’s son became mayo

  • છિંદવાડામાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક જીત, ખેડૂતનો દિકરો બન્યો મેયર . કોંગ્રેસે 18 વર્ષ બાદ આ બેઠક પર હાંસલ કરી જીત.

મઘ્યપ્રદેશમાં (Madhya Pradesh) કોર્પોરેશનની (Corporation) ચૂંટણીના પહેલા તબક્કાની મતગણતરી રવિવારે થઇ. જેમાં કુલ 11 મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 મેયર પદોમાંથી ભાજપે 7, કોંગ્રેસ 3 અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. આ તમામ વચ્ચે છિંદવાડા મેયરની (Mayor of Chindwara) ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ અહાકે (Vikram Ahake) સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે  તેઓ  માત્ર 30 વર્ષની વયે શહેરના પ્રથમ નાગરિક બન્યા.. ત્યારે આવો જાણીએ વિક્રમ અહાકે વિશે વિગતવાર.

કોણ છે વિક્રમ અહાકે ?

વિક્રમ અહાકે છિંદવાડા જિલ્લાના રાજખોહ ગામના રહેવાસી છે. તેમના પિતા નરેશ અહાકે ખેડૂત છે અને માતા નિર્મલા આંગણવાડી કાર્યકર છે. માત્ર 30 વર્ષની ઉંમરે  મેયર બનનાર વિક્રમ અહાકે છિંદવાડાના પ્રથમ વ્યક્તિ હશે.. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા વિક્રમ સ્નાતક થયા છે અને ખેતી તેમનો મુખ્ય વ્યવસાય છે. અત્યાર સુધી વિક્રમ આહાકે કોંગ્રેસ ટ્રાઈબલ સેલના જિલ્લા પ્રમુખ હતા.

છિંદવાડા છે કમલનાથનો ગઢ :

છિંદવાડાને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો ગઢ માનવામાં આવે છે અને લાંબા સમય બાદ કોંગ્રેસે છિંદવાડાના મેયર પદ પર મોટી જીત નોંધાવી છે. 18 વર્ષ બાદ કોંગ્રેસને આ જીત મળી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમ આહાકેએ ભાજપના ઉમેદવાર અનંત ધુર્વેને 3786 મતોથી હરાવ્યા છે. વિક્રમને 64,363 વોટ મળ્યા જ્યારે અનંત ધુર્વેને 60577 વોટ મળ્યા હતા. મહત્વનું છે કે છિંદવાડામાં કુલ મતોની સંખ્યા 130907 છે.

શિવરાજનો જાદુ ન ચાલી શક્યો :

છિંદવાડામાં કોંગ્રેસે મેયર પદની સાથે વોર્ડ કાઉન્સિલરના 30 પદો પર જીત મેળવી છે. જો ભાજપની વાત કરીએ તો મેયરના ઉમેદવાર અનંત ધુર્વેએ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનરના પદ પરથી રાજીનામું આપીને ચૂંટણી લડી હતી. કમલનાથના ગઢમાં ભાજપે તમામ પ્રયાસો કર્યા. પ્રયાસો એવા પણ થયા કે શિવરાજસિંહ ચૌહાણ પોતે બે વખત પોતાના ઉમેદવારના સમર્થનમાં બહાર આવ્યા, પરંતુ શહેરની જનતાએ સામાન્ય નેતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો –

અમદાવાદમાં ફરી દારૂની રેલમછેલ, જાણો કોણ ચલાવે છે આ નેટવર્ક

0

Alcohol traffic again in Ahmedabad

  • અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ ફરી સામે આવી નારોલ અને દાણીલીમડા પોલીસે લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો. નારોલ પોલીસે આરોપી સાજીદહુસેન મોમીન પકડી પાડ્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) ફરી દારૂની હેરાફેરીનો (Liquor manipulation) પર્દાફાશ થયો છે. કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાના દારુનું નેટવર્ક ખુલ્યું. નારોલ અને દાણીલીમડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો. કોણ છે આ બુટલેગર (Bootlegger) અને કેવી રીતે ચાલતું હતું દારૂનું નેટવર્ક જોઈએ આ અહેવાલમાં…

અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ ફરી સામે આવી નારોલ અને દાણીલીમડા પોલીસે લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો. નારોલ પોલીસે આરોપી સાજીદહુસેન મોમીન પકડી પાડ્યો છે. જ્યારે દાણીલીમડા પોલીસે આરોપી અલમાસ છીપ્પા અને ફરદીન પઠાણને ઝડપી પાડ્યા છે. આ બન્ને વિસ્તારમાં પકડાયેલા દારૂનું એકજ કનેક્શન કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાનું ખુલ્યું છે.

આ બુટલેગરના માણસો દાણીલીમડામાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. ત્યારે બાતમીના આધારે પોલીસે રેડ કરીને લાખોનો દારૂ જપ્ત કર્યો. નારોલમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બુટલેગર આસિફ ઉર્ફે ટકલાનો દારૂ પકડાયો. રૂપિયા 4.80 લાખની કિંમતની દારૂની 960 બોટલો ઝડપાઈ હતી. પોલીસે સાજીદહુસેન મોમીન નામનાં સાણંદનાં યુવકની ધરપકડ કરીને તેની પૂછપરછમાં દારૂ દાણીલીમડાનાં આસિફ ઉર્ફે ટકલાએ ભરી આપ્યો હતો.

આ દારૂ સાણંદના શક્તિસિંહ વાધેલાને સપ્લાય કરવાનો હોવાનું ખુલ્યું હતું. જેથી નારોલ પોલીસે 10.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી. દારૂના નેટવર્કનું કનેક્શન બુટલેગર આસિફ સુધી પહોંચ્યું છે.જ્યારે આ બુટલેગર ફરાર થઇ જતા નારોલ અને દાણીલીમડા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો –

 

ગેંગરેપ : દિલ્હીમાં 3 છોકરાઓએ 16 વર્ષની છોકરી પર ચાલતી કારમાં ગેંગરેપ કર્યો, વીડિયો પણ બનાવ્યો

Gangrape: 3 boys

  • દિલ્હીમાં 3 છોકરાઓએ 16 વર્ષની છોકરી પર ચાલતી કારમાં ગેંગરેપ કર્યો.

દિલ્હીના (Delhi) વસંત વિહાર વિસ્તારમાં ચાલતી કારમાં યુવતી સાથે ગેંગરેપનો (Gangrape) મામલો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગેંગ રેપ અને પોક્સોની (Gang Rape and Poxo) કલમો હેઠળ કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ 8 જુલાઈના રોજ વસંત વિહારમાં પીસીઆર કોલ આવ્યો હતો.

પીડિતાના પરિવારજનોએ જણાવ્યું કે 6 જુલાઈના રોજ રાત્રે 8.30 વાગ્યાની આસપાસ તેમની 16 વર્ષની પુત્રી ત્રણ લોકો સાથે વેગન આર કારમાં વસંત વિહારથી નીકળી હતી.

બીજા દિવસે એટલે કે 7મી જુલાઈના રોજ સવારે લગભગ 7 વાગે યુવતી ભ્રમિત હાલતમાં ઘરે પહોંચી. જે બાદ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યારે પોલીસે તપાસ શરૂ ન કરી ત્યારે જાણવા મળ્યું કે તેને ઓળખતા બે છોકરાઓ 16 વર્ષની છોકરીને વસંત વિહારથી પોતાની સાથે લઈ ગયા હતા, બાદમાં તેમનો એક મિત્ર પણ કારમાં આવ્યો હતો. જે પછી ચારેય કારમાં દિલ્હી ફરતા રહ્યા અને પછી ગાઝિયાબાદ તરફ વળ્યા. જ્યાં કારના 2 છોકરાઓએ ચાલતી કારમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપ છે કે યુવતી સાથે મારપીટ કરતી વખતે તેણે અકુદરતી સેક્સ કર્યું અને તેનો વીડિયો બનાવ્યો.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે 6 જુલાઈના રોજ તે મોતીબાગ સ્થિત તેના મિત્રના ઘરે ગઈ હતી. બે છોકરાઓ તેને વસંત વિહાર માર્કેટ પાસે ફરવાના બહાને લઈ ગયા, ત્યાંથી રાત્રે પરત આવી રહ્યા હતા. આરોપ છે કે પીડિતાને કોલ્ડ ડ્રિંકમાં દારૂ ભેળવીને બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે આ કેસમાં 23, 25 અને 35 વર્ષની વયના 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે વેગન-આર કાર પણ કબજે કરી છે. યુવતીના 164ના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો –

આજે ગાંધીનગર વિધાનસભામાં થશે રાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન, ગુજરાતનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય કેટલું હોય છે ? જાણો અહીં 

0

Voting for the post of President

  • ગઠબંધન NDA ભાજપની આગેવાની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ છે. ગઠબંધન UPA વિપક્ષી પક્ષો ઉમેદવાર યશવંત સિન્હા છે. દેશને 15માં નવા રાષ્ટ્રપતિ મળશે. 4800 ધારાસભ્યો અને સાંસદો વોટિંગ કરશે.

આજે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મતદાન થશે. 21મી જુલાઈએ સંસદ ભવનમાં (Parliament House) મતગણતરી કરવામાં આવશે. જ્યારે 25મી જુલાઈએ નવા રાષ્ટ્રપતિ (The new president) શપથ લેશે. ગઠબંધન NDA ભાજપની આગેવાની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) છે. ગઠબંધન UPA વિપક્ષી પક્ષો ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) છે. દેશને 15માં નવા રાષ્ટ્રપતિ મળશે. 4800 ધારાસભ્યો અને સાંસદો વોટિંગ કરશે.

બેલેટ પેપરમાં કોઈ પાર્ટીનો ચિહ્ન હોતો નથી. સાંસદોને લીલા રંગનું બેલેટ પેપર ધારાસભ્યોને ગુલાબી બેલેટ પેપર, વાયોલેટ શાહી સાથે ખાસ ડિઝાઇન કરેલી પેન દ્વારા વોટિંગ કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાતો નથી. 1971ના સેન્સને આધારે ધારાસભ્યનાં મતનું મૂલ્ય નક્કી કરાશે. એક સાંસદનાં વોટનું મૂલ્ય 700 વોટ હોય છે.

ગુજરાતનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 147 વોટ (રાજ્યની વસ્તીને આધારે) ઉત્તરપ્રદેશનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 208 વોટ (રાજ્યની વસ્તીને આધારે) પંજાબનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 118 વોટ(રાજ્યની વસ્તીને આધારે ) ઉત્તરાખંડનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 64 વોટ(રાજ્યની વસ્તીને આધારે) ગોવાનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 20 વોટ(રાજ્યની વસ્તીને આધારે)દેશનાં ધારાસભ્યોના કુલ મતની સંખ્યા 5,43,231 છે.

સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ એટલે શું ?

એમાં જોગવાઈ એવી છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રમાણસરનું પ્રતિનિધિત્વ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ હશે. બંધારણના નિર્માણ વખતે આ એક પણ મિટિંગ વગર પાસ થઈ ગયો હતો. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે, એક કરતાં વધારે સીટો માટે જો ચૂંટણી થઈ રહી હોય તો પ્રમાણસરના પ્રતિનિધિત્વનો મુદ્દો ઊભો થાય છે, એક પદ માટે નહીં.

આ પણ વાંચો –