Home Blog Page 1352

એલર્ટ થઇ જજો ! ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસનો આ સ્ટ્રેન, રિસર્ચમાં થયો ખુલાસો

0

Be alert! This strain of corona

  • તમને જણાવી દઇએ કે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાન 2726 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી વધુ 6 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર હાલ 14.38 ટકા ચાલે રહ્યો છે.

દેશમાં કોરોના વાયરસના (Corona virus) કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા લોકો તેને કોરોનાની ચોથી લહેર કહી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી (Delhi) સહિત દેશના વિભિન્ન રાજ્યોમાં કોરોનાના કેસ વધતાં જોઇ સરકારી સંસ્થા ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કંસોર્ટિયમ (Genomics Consortium) પર રિસર્ચ કરશે. સંસ્થા તરફથી કોવિડ 19 વેરિએન્ટના જીનોમિક દેખરેખના ડેટાની સમીક્ષા કરવામાં આવશે.

મૂળ વેરિએન્ટની તુલનામાં 30 ટકા વધુ ખતરનાક :

મેડિકલ એક્સપર્ટોના અનુસાર દિલ્હી એનસીઆરમાં હાલ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના ઘણા સ્ટ્રેનના કેસ સામે આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે સ્ટ્રેન મૂળ ઓમિક્રોન વાયરસની તુલનામાં 20-30 ટકા વધુ ખતરનાક છે.

બિમારી ફેલાઇ રહી છે પરંતુ મોત ઓછા :

કોવિડ વર્કિંગ ગ્રુપ નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યૂનાઇઝેશનના ચેરપર્સન ડો.એનકે અરોરાએ કહ્યું કે ‘હાલ સ્ટ્રેન જે ચારેય તરફ ચક્કર લગાવી રહ્યો છે, તે ઓમિક્રોન સબ-વેરિએન્ટની તુલનામં 20-30 ટકા વદુહ સંક્રમક છે. તેમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઇ તો રહી છે પરંતુ હોસ્પિટલમાં ભરતી થવું અને મોત હજુ થયા છે.

કોરોનાની ચોથી લહેરમાં ઓમિક્રોનનો મોટો હાથ :

ડો.અરોરાએ કહ્યું હતું કે સબ-વેરિએન્ટ BA.4, BA.5, BA.2.75, BA.2.38 છે. જોકે હોસ્પિટલમાં ભરતી થવું અથવા કોઇ પણ બિમારીની ગંભીરતામાં કોઇ ઉછાળો હજુ સુધી જોવા મળ્યો નથી.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

INSACOG તરફથી 11 ઓગ્સ્ટના રોજ જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર દેશમાં કોરોનાની ચોથી લહેરને ફેલાવવામાં ઓમિક્રોન અને તેના વિભિન્ન સ્ટ્રેનનો મોટો હાથ જોવા મળ્યો છે. ડો. અરોરાએ કહ્યું ‘BA.2.75 સબ વેરિએન્ટે SARS-CoV-2 ના સ્પાઇક પ્રોટીન અને અન્ય વેરિએન્ટની દેખરેખ રાખવામાં આવી રહી છે.

4 સરકારી સંસ્થાઓએ શરૂ કરી દેખરેખ :

INSACOG ને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને બાયોટેકનોલોજી વિભાગે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ અને ભારતીય તબીબી સંશોધન પરિષદની સાથે સંયુક્ત રૂપથી મળીને શરૂ કર્યું છે. આ સંસ્થા દેશમાં કોરોના મહામારી અને બીજી મોટી સંકર્મિત બિમારીઓની દેખરેખ અને તેમની સારવાર પર નજર રાખવામાં આવી રહી છે.

તમને જણાવી દઇએ કે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાન 2726 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી વધુ 6 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર હાલ 14.38 ટકા ચાલે રહ્યો છે.

આ પણ વાંચો :-

NDA માં ભંગાણ વચ્ચે 2024 પર ભાજપની નજર, મમતાને ગઢમાં માત આપવાનો પ્લાન

0

BJP eyeing 2024

  • એક તરફ જેડીયૂના એનડીએથી અલગ થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે તેની અસર 2024ની ચૂંટણી પર પડશે, તો ભાજપે લોકસભા ચૂંટણી 2024ને લઈને પોતાની તૈયારીઓ વધુ મજબૂત કરી દીધી છે.

બિહારમાં (Bihar) રાજકીય ભૂંકપ બાદ વિપક્ષનો જુસ્સો આસમાને છે. તો તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે બીજી પાર્ટીઓએ પણ બિહારમાંથી શીખ લેવી જોઈએ. નીતિશ કુમારે (Nitish Kumar) પણ પોતાના નિવેદનથી સંકેત આપી દીધો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં તે ભાજપ વિરુદ્ધ સક્રિય ભૂમિકા ભજવશે.

તેમણે કહ્યું હતું કે 2014મા જે આવ્યા હતા તે શું 2024માં રહી શકશે કે નહીં. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. 2019માં પશ્ચિમ બંગાળમાં ભાજપને સારી સફળતા મળી હતી. તેથી હવે પાર્ટી મમતાના ગઢને છોડવા માંગતી નથી.

પાછલી લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળની કુલ 42 સીટમાંથી 18 સીટ જીતી હતી. હવે પાર્ટીએ ત્રણ કેન્દ્રીય મંત્રીઓને પશ્ચિમ બંગાળની જવાબદારી આપી છે. તેમાં ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની અને જ્યોતિરાદિત્ય સામેલ છે. 2021 વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના કારણોને લઈને આ નેતાઓએ કામ શરૂ કરી દીધુ છે. જામવા મળી રહ્યું છે કે હાલ રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાને પણ આ જવાબદારી આપી શકાય છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહેલા જગદીપ ધનખડના રાજભનવ છોડ્યા બાદ હવે કેન્દ્ર સરકાર અન્ય ઘણી રીતે પશ્ચિમ બંગાળની સરકાર પર દબાવ બનાવવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. ભાજપ હાઈકમાન્ડે રાજ્ય સંગઠનને નિર્દેશ આપ્યો છે કે ભાજપ અને ટીએમસી વચ્ચે ડીલની અફવાઓ પર વિરામ લગાવે. નોંધનીય છે કે હાલમાં મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

ધર્મેન્દ્ર પ્રધાન પર કેમ વ્યક્ત કર્યો વિશ્વાસ :

ભાજપ નેતૃત્વે ધર્મેન્દ્ર પ્રધાનને પશ્ચિમ બંગાળની જવાબદારી એટલા માટે આપી કારણ કે રાજ્યમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી સાથે તેના સારા સંબંધ છે. તેમને રાજ્યની 42 લોકસભા સીટ પર ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રધાન પહેલા પણ અધિકારીઓ સાથે જોડાયેલા રહ્યાં છે. ત્યારબાદ તેમણે ટીએમસીને અલવિદા કહ્યુ હતું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી નંદીગ્રામથી જીત મેળવી હતી.

મહિલા મતો માટે પણ તૈયારી :

ચૂંટણીમાં મહિલાઓના મતનું ખુબ મહત્વ છે. તેવામાં ભાજપ ઈચ્છતી નથી કે મહિલાઓ પાર્ટીથી દૂર થાય. 2021મા ટીએમસીની મોટી જીત પાછળ મહિલાઓના મત પણ છે. સ્મૃતિ ઇરાનીને પ્રદેશમાં મહિલાઓની સમસ્યાઓ જાણવા અને ચૂંટણીની તૈયારી કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. ખાસ વાત છે કે ઈરાની અને પ્રધાન બંને બાંગ્લા જાણે છે.

આ પણ વાંચો :-

 હવે તો મફતમાં તો પાણી પણ નહીં મળે ! ઘરે ઘરે લાગશે મીટર, પાટનગરમાં નંખાઇ રહી છે પાઈપલાઇન

0

Now even water will not be available

  • જૂની પાણીની લાઇન જર્જરિત થઈ જતાં હવે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ, નવી પાણીની પાઇપલાઇન નાખવાની સાથે ઘરે-ઘરે પાણીના મીટર પણ મૂકવામાં આવશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) હવે આગામી દિવસોએ પાણી માટે પણ પૈસા આપવા પડે તેવી કવાયત હાથ ધરાઈ છે. વિગતો મુજબ શહેરમાં જૂની પાણીની લાઇન (Old water line) જર્જરિત થઈ જતાં હવે નવી પાઈપલાઇન નાખવામાં આવી રહી છે.  જોકે નવી પાણીની પાઈપલાઇન (Pipeline) નાખવાની સાથે ઘરે-ઘરે પાણીના મીટર પણ મૂકવાના હોવાથી હવે પાણી માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

વર્ષો જૂની પાઈપલાઇન જર્જરિત :

વિગતો મુજબ ગાંધીનગર શહેરની રચના સમયે નાખવામાં આવેલી પાણીની લાઇન હવે જર્જરિત થઈ ગઈ છે. જેને લઈ હવે તંત્ર દ્વારા હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નવી પાણીની પાઈપલાઇન નાખવામાં આવી રહી છે. જોકે આ પાઇપલાઇનના કામ પૂર્ણ થતાંની સાથે જ ઘેર-ઘેર પાણીના મીટર પણ મૂકવામાં આવશે. જેને લઈ આગામી દિવસોએ પાણી માટે પણ પૈસા ચૂકવવા પડશે.

મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ બિઝનેસમેનના ઠેકાણા પર ITની રેડ : 58 કરોડ રૂપિયા રોકડા, 32 કિલો સોનું સહિત કુલ 390 કરોડની સંપત્તિ જપ્ત

2023 સુધીમાં નવી પાણીની લાઇન નંખાઇ જશે: :

ગાંધીનગરમાં હવે જર્જરિત પાઈપલાઇનની જગ્યાએ નવી પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે સંભવિત જુલાઇ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. જે બાદમાં હવે શહેરના દરેક ઘરોમાં પાણી માટેના મીટર લાગી જશે. જેને લઈ હવે પાણીના વપરાશ પ્રમાણે રૂપિયા ચૂકવવા પડશે.

ગાંધીનગરના સ્થાપના ટાણે મૂકાયા હતા મીટર :

ગાંધીનગર શહેરની સ્થાપના વખતે પણ પાણીના મીટર મુકાયા હતા. જોકે જર્જરિત પાઇપલાઇનનું કામ પૂર્ણ થાય બાદ ફરી એ જ યોજના લાગુ કરવામાં આવશે. જેથી નવી પાઇપલાઇન સાથે દરેક ઘરોમાં પાણીના મીટર લાગશે. જેને લઈ હવે જેટલો પાણીનો વપરાશ થશે તેટલા રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો :-

 

 

અમદાવાદીઓ સંભાળજો ! સાબરમતી નદી પાસે નિચાણવાળા વિસ્તારોમાં ભૂલથી પણ ના જતા !

0

Take care of Ahmedabad

  • જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામા ભારે વરસાદ પડવાને કારણે તેની અસર સાબરમતી નદીમાં જોવા મળી છે.

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની (Megharaja’s mischief) બેટીંગ ચાલી રહી છે. જેમાં આ વખતે રાજ્યના મોટાભાગના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. બીજી બાજુ ઉપરવાસમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદીઓ (Ahmedabadi) માટે એક સુચના જાહેર કરવામાં આવી છે. સાબરમતી નદીમાં 12 ઓગસ્ટે એટલે કે આવતીકાલે પાણી છોડાઇ શકે છે.

નર્મદા નદીની મુખ્ય કેનાલામાંથી સાબરમતી નદીમાં પાણી છોડાઇ શકે છે. પાણી છોડાવાના નિર્ણયને પગલે સાબરમતી નદી ઉપર આવેલા વાસણા બેરેજની નિચાણવાસમાં સંબંધિતોને સતર્ક રહેવા જિલ્લા વહીવટી તંત્રએ સુચના જાહેર કરીને એલર્ટ કર્યા છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામા ભારે વરસાદ પડવાને કારણે તેની અસર સાબરમતી નદીમાં જોવા મળી છે.

મહત્વનું છે કે, ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ઘણી વખત ધરોઇમાંથી પાણી છોડવામાં આવે તે સીધુ સાબરમતી નદીમાં પહોંચે છે. જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર ઉમેરાય છે. આ વખતે સારા વરસાદને કારણે સાબરમતી નદી ભરેલી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. અમદાવાદમાં વાસણા બેરેજની નિચાણવાસમાં સંબંધિતોને પણ અલર્ટ આપવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં નર્મદાના નવા નીર ઠાલવશે ત્યારે અનેક ગામોમાં અલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

 

પૈસા કમાવાની તક, આજે  લોન્ચ થશે આ IPO, જાણો રોકાણ, GMP સહિત 10 મુખ્ય વાતો

0

Opportunity to make money

  • આખરે અઢી મહિના બાદ શેર બજારમાં આઈપીઓની એન્ટ્રી થઈ રહી છે. રોકાણકારો માટે શુક્રવારે નવો આઈપીઓ ખુલી રહ્યો છે. રોકાણ કરતા પહેલાં જાણી લો તમામ મહત્વની વાતો..

Syrma SGS Technology IPO : આખરે અઢી મહિના બાદ શેર બજારમાં આઈપીઓની એન્ટ્રી થઈ રહી છે. મહિનાઓ બાદ ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) માં પૈસા લગાવવાની શાનદાર તક આવી છે. હકીકતમાં 12 ઓગસ્ટ 2022ના સિર્મા એસજીએસ ટેક્નોલોજી લિમિટેડ (Syrma SGS Technology) નો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ઓપન થશે. તેને 18 ઓગસ્ટ 2022 સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. કંપનીએ પોતાના ઈશ્યૂનો રૂ. 209 થી 220 પ્રતિ ઇક્વિટી શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ આઈપીઓ 840 કરોડનો હશે. તો આવો જાણીએ Syrma SGS Technology IPO વિશે..

1. GMP: બજાર એનાલિસ્ટ અનુસાર સિરમા એસજીએસ ટેક્નોલોજી લિમિટેડના શેર ગ્રે માર્કેટમાં 10 રૂપિયા પ્કતિ ઇક્વિટી શેરના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.

2. Price Band : કંપનીએ પબ્લિક ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ 209થી 220 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કર્યો છે.

3. Subscription Date : રોકાણ માટે આ ઈશ્યૂ 12 ઓગસ્ટે ખુલશે અને 18 ઓગસ્ટે બંધ થશે.

4. IPO Size : કંપની આઈપીઓ દ્વારા 840 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમાંથી 766 કરોડ ફ્રેશ ઈશ્યૂના માધ્યમથી ભેગા કરવામાં આવશે.

5. Lot Size : પબ્લિક ઈશ્યૂમાં તમે ઓછામાં ઓછા એક લોટ માટે એપ્લાય કરી શકશો. એક લોટમાં કંપનીના 68 શેર સામેલ થશે.

6. Application Limit : ઓછામાં ઓછા એક લોટ અને વધુ 13 લોટ માટે અરજી કરી શકશો.

7. Investment Limit : એક રોકાણકાર ઓછામાં ઓછા એક લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. તેથી ઈશ્યૂમાં ઓછુ રોકાણ રૂ.14,960 (રૂ.220 x 68) છે, જ્યારે વધુ રોકાણ રૂ.1,94,480 [(રૂ.220 x 68) x 13] છે.

8. Allotment Date : સિરમા એસજીએસ ટેક્નોલોજી આઈપીઓના શેર 23 ઓગસ્ટ 2022ના એલોટ કરવામાં આવશે.

9. Listing Date : કંપનીના શેરને બીએસઈ અને એનએસઈ પર 26 ઓગસ્ટ 2022ના લિસ્ટ કરવામાં આવશે.

10. Registrar : લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને પબ્લિક ઈશ્યૂના સત્તાવાર રજિસ્ટ્રાર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

આણંદ : કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત

0

Anand: Accident between car

  • રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા નજીક કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો, 6માંથી 3 મૃતક તો એક જ પરિવારના હોવાનું સામે આવી રહ્યું છે.

આણંદ જિલ્લાના સોજીત્રા (sojitra)માં એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. આ ત્રિપલ અકસ્માત (Tripal Accident)માં 6 લોકોના કમકમાટીભર્યા મોત (6 people died) થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોજીત્રા પાસે કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સોજીત્રાના જ 4 વ્યક્તિના મોત નિપજ્તાં ભારે ગમગીની છવાઇ છે. ખાસ કરીને 3 મૃતક તો એક જ પરિવારના હોવાનું સામે આવી રહ્યું છે.

રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા નજીક કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના દ્રશ્યો જ કંપાવી દે તેવા છે. અકસ્માતના પગલે આસપાસના ગામના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

જોકે, અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલાં જ ઘટનાસ્થળે છ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. જે બાદ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોજીત્રા ખસેડ્યા હતા. આ ઉપરાંત અકસ્માતમાં ઘાયલ લોકોને સારવર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

યાસીનભાઈ મોહમદભાઈ વોહરા, જાનવી વિપુલભાઈ મિસ્ત્રી, વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, બોરીયાવીના યોગેશભાઈ રાજુભાઇ, તેમજ અન્ય એક વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિના મોત થયા છે.

આ સમગ્ર ઘટના અંગે ખંભાતના ડિવાયએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, સાંજે 6.30થી 7 કલાક દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 6 લોકોનાં મોત થયા છે. જેમાં રીક્ષાચાલક, રીક્ષામાં સવાર ત્રણ પેસેન્જર્સ અને બાઇક પર સવાર બે લોકો સહિત કુલ છ લોકોના મોત થયા છે.

અકસ્માત કિયા ગાડી દ્વારા સર્જાયો છે. આરોપીની વધુ પૂછપરછ કરતાં ખ્યાલ આવશે કે શું ઘટના બની હતી. અત્યારે આરોપી આણંદ હોસ્પિટલમાં છે. કાર કેતન નામના વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડ્રાઇવર નશાની હાલતમાં હતો કે કેમ તે રિપોર્ટ પરથી ખ્યાલ આવશે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ, 12 ઓગસ્ટ 2022 : શિરડી સાંઈબાબાની કૃપાવર્ષાથી આ રાશીના લોકોને મળશે સફળતાના માર્ગ

Today’s Horoscope, August 12, 2022 Gujarat Guardian

મેષઃ

આવકનું પ્રમાણ જળવાય. નાના ભાઇ બહેનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં શાંતિ, નોકરીમાં બઢતી, પ્રગતિ સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. મિત્રવર્ગ તરફથી સાથ-સહકાર મળે.

વૃષભઃ

દિવસ દરમ્યાન મોજશોખનું વાતાવરણ રહે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટાળવી.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતિથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળે. આવક આવતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાય.

કર્કઃ

બપોર સુધી આવક જળવાય. જીવનસાથી સાથે આનંદ. બપોર બાદ ઉદાસીનતા નો અનુભવ થાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસી થી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા.

સિંહઃ

પારિવારિક ક્ષેત્રે આનંદ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આવક અંગે સારો દિવસ છે. બપોર સુધી વિચારોમાં નકારાત્મકતા રહે. તથા આરોગ્ય કથળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

કન્યાઃ

સ્વભાવમાં સરળતા વર્તાય. નાણાંનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.

તુલાઃ ‌

આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. સ્થાવર જંગમ મિલકત માટે બપોર સુધી સારૂં.

વૃશ્ચિકઃ

આનંદ ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. પારિવારિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર બાદ સ્થાવર જંગમ મિલકતના કાર્ય અંગે શુભ સમય છે. આરોગ્ય જળવાય.

ધનઃ

સેવાકીય ક્ષેત્રે પ્રવૃત્ત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચકોટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવવો શક્ય બને.

મકરઃ

ખેડૂતોને લાભ. ખોળ-કપાસીયાથી ફાયદો. બાગ બગીચાની શોભા શોભા વધે. ધન પ્રાપ્તિ થાય.સત્તા, હોદ્દો, માન, સન્માન વધતા જણાય. સંતાન સાથે લાગણીશીલતા વધે. હાડકાના દુઃખાવાથી સાચવવું જરૂરી.

કુંભઃ

બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય દિવસ. બપોર બાદ આનંદ ઉત્સાહ વધે. જમીન-મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ.

મીનઃ

બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવક અટકતી જણાય. ખર્ચ વધે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. બપોર બાદ સાવધાની જરૂરી.

આ પણ વાંચો :-

Drugsના ઓવરડોઝના લીધે યુવકનું મોત, અંતિમ વીડિયોમાં કરી સ્ફોટક કબૂલાત

Death of a young man due to

  • ગુજરાતમાં બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ હવે વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનના થયેલા શંકાસ્પદ મોતે ચકચાર જગાવી મુકી છે. ત્યારે હવે વડોદરાનો યુવક ડ્રગ્સનો ઓવરડોઝ લેતા પહેલા ડ્રગ્સ ડિલર સમક્ષ વીડિયોમાં પોતે જાતે ડ્રગ્સનો ઓવર ડોઝ લેતો હોવાની કબૂલાત કરતો વીડિયો સામે આવ્યો છે.

તાજેતરમાં ગુજરાતના બરવાળા અને બોટાદમાં (Barwala and Botad) સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતા. હજુ સુધી એ ઘટનાના પડઘા શાંત થયા નથી. ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે યુવક શંકાસ્પદ મોતે (Youth suspicious death) ખળભળાટ મચાવી દીધો છે. જોકે હવે ડ્રગ્સનો ઓવર ડોઝ (Overdose of drugs) લેતાં પહેલાં મૃતકે પોતે અંતિમ વિડીયોમાં સ્ફોટક કબૂલાત કરી છે. સમગ્ર ઘટનનાને પગલે ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સમા વિસ્તારમાં રહેતા યુવક વિવેક કરણનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે શંકાસ્પદ મોત નિપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મૃતકે અંતિમ વીડિયો શૂટ કરીને સ્ફોટક કબૂલાત કરી છે. જેમાં મૃતક વિવેક કરણનું ડ્રગ્સ ડીલરે કબુલનામુ રેકોર્ડિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

ગુજરાતમાં બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ હવે વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનના થયેલા શંકાસ્પદ મોતે ચકચાર જગાવી મુકી છે. ત્યારે હવે વડોદરાનો યુવક ડ્રગ્સનો ઓવરડોઝ લેતા પહેલા ડ્રગ્સ ડિલર સમક્ષ વીડિયોમાં પોતે જાતે ડ્રગ્સનો ઓવર ડોઝ લેતો હોવાની કબૂલાત કરતો વીડિયો સામે આવ્યો છે.

અંતિમ વીડિયોમાં વિવેક કહી રહ્યો છે કે હા ભાઈ મેં અપને હિસાબ સે પી રહા હું, મુજે કોઈ પિલા નહી રહા હૈ.. મેં ખુદ માલ ઔર સીરીંઝ લેકે આયા હું. તો બીજી તરફ પોલીસે બલજીત, નેહા અને કૈલાસ ઉર્ફે પરિન ભંડારીનું નિવેદન નોંધ્યું હતું.

કોમનવેલ્થ ગેમમાં શાનદાર પ્રદર્શન કરી દેશ માટે મેડલ જીતનાર ખેલાડીઓનું વતન પરત ફરતાંની સાથે જ કરાયું જોરદાર સ્વાગત ..

પરિન ભંડારીએ વિવેક પાસે કબુલાવી વિડિયો બનાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મૃતક વિવેક કરણ પીને આવ્યો હોવાથી ફ્લેટ પર રોકાવાની અમે ના પાડી હોવાછતાં પણ રોકાયો હતો, જેથી અમે પોતાની સેફટી માટે વિડિયો બનાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ ડીલર બલજીત રાવતના મકાનમાં નેહા અને પરિન ભંડારી સપ્લાયનું કામ કરતા હોવાની ચર્ચા છે. બલજીત રાવત પોતાના ડિફેન્સ કોલોનીના ઘરમાં લાંબા સમયથી ડ્રગ વેચવાનો ધંધો કરતો હતો, જેમાં નેહા અને પરીન ભંડારી પણ હતાં. તેઓ ડિલિવરીનું કામ પણ કરતા હતા. સમા પોલીસને ચોપડે દ્રગ્સ નેટવર્ક ચલાવતા હોવાના મામલે બલજીત રાવત, નેહા અને પરીન ભંડારી સામે ગુના નોંધાયા છે.

આ પણ વાંચો :-

ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતા આ સ્થળે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી, આરામ માટે નવાબોની હતી પહેલી પસંદ

0

Considered as the mini Kashmir

  • બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઇને બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે. બનાસકાંઠામાં સતત ચાર દિવસથી અવિરત વરસાદને લઈ નદીઓ અને ચેકડેમ છલકાયા છે. મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.

રાજ્યમાં આ વખતે મનમૂકીને વરસાદ (Random rain) ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યના 33 જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે ઠેર-ઠેર નદી-નાળા, ચેકડેમો અને ધોધ છલકાયા છે. ત્યારે રાજસ્થાન (Rajasthan) અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાલનપુર નજીક આવેલી બાલારામ નદી (Balaram River) ફરી જીવંત બની છે. બે વર્ષ બાદ યાત્રાધામ બાલારામ મહાદેવના બાલારામ નદીમાં નવા નીરની આવક થઇ છે. નદીઓમાં પાણી આવતા પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી ઉઠી છે.

બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઇને બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે. બનાસકાંઠામાં સતત ચાર દિવસથી અવિરત વરસાદને લઈ નદીઓ અને ચેકડેમ છલકાયા છે. મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. જેને પગલે પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પર્યટકો સંખ્યામાં વધારો થયો છે.

અત્યારે તેની આજુ-બાજુ ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે. નજીકમાં આવેલા ધારમાતા પાસેથી પણ આ બાલારામ નદીનું પાણી બાલારામ મહાદેવના મંદિર પાસે આવે છે. શ્રાવણ માસમાં બાલારામમાં શિવભક્તો અને પ્રવાસીઓ મોટાભાગે પિકનિક મનાવવા આવતા હોય છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

કુદરતના સાંનિધ્યમાં આવેલું આ ભક્તિસ્થળ મનને શાંતિનો અનુભવ કરાવે છે. જ્યાં જુઓ ત્યાં હરિયાળા વૃક્ષોની ચાદર વચ્ચે બાલારામમાં આહલાદક અનુભવ થાય છે.

બાલારામમાં આવેલું છે મહાભારત કાળનું 500 વર્ષ જૂનું શિવમંદિર :

બનાસકાંઠાના પાલનપુરથી 12 કિલોમીટર દૂર બાલારામ મહાદેવનું પવિત્ર મંદિર આવેલું છે. મહાભારત કાળના 5000 વર્ષ જૂના શિવ મંદિર કહેવાય છે. એવું કહેવાય છે કે પાંડવો પણ આ સ્થળે આવ્યા હતા અને અહીં થોડો સમય રોકાયા છે. આ મંદિર તેના સુંદર સ્થાન માટે જાણીતું છે, તે લીલાછમ હરિયાળીથી ઘેરાયેલા છે અને તેની બાજુ વહેતી નાની નદી છે. કુલ શાંતિ અને શાંતિની લાગણી તે પિકનિક સ્થળ માટે આદર્શ સ્થળ બનાવે છે.

આરામ માટે અહીં આવતા હતા નવાબો :

એવું માનવામાં આવે છે કે પાલનપુર અથવા બનાસકાંઠાના પ્રદેશ પર રાજ કરનારા લોહાની નવાબ, તેમના મનપસંદ આરામ સ્થળ તરીકે બલરામ પેલેસનો ઉપયોગ કર્યો હતો. ઐતિહાસિક અહેવાલો દાવો કરે છે કે બાલારામ પેલેસ પાલનપુરના 29 મા દાયકામાં, 1922 અને 1936 ની વચ્ચે બંધાવવમા આવ્યો હતો.

આ ભવ્ય મહેલની અંદરનું સ્થાપત્ય નિયો-ક્લાસિકલ અને બરોક શૈલીનાં સ્થાપત્યથી પ્રેરિત છે. આ મહેલનું બાંધકામમાં કુલ 542 ચોરસ મીટરમાં કરવામાં આવ્યું છે. આ ભવ્ય મહેલની આસપાસ લીલાછમ જંગલો અને બગીચા છે.

આ પણ વાંચો :-

પોલીસકર્મીઓ માટે મોટા સમાચાર, 15 ઓગસ્ટ પહેલાં ગ્રેડ પે મુદ્દે ગુજરાત સરકાર કરી શકે છે મોટી જાહેરાત

0

Big news for policemen

  • 15 ઓગસ્ટ પહેલાં પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે.

પોલીસ ગ્રેડ પેને લઇને ગુજરાતના પોલીસકર્મીઓ (A policeman from Gujarat) માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કારણ કે રાજ્ય (Gujarat) સરકાર 15 ઓગસ્ટ પહેલા પોલીસકર્મીઓને મોટી ભેટ આપી શકે છે. સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દે મહત્વની જાહેરાત કરી શકે છે.

વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે :

જણાવી દઇએ કે, વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે. પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકારનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. આથી, પોલીસ ગ્રેડ પે બાબતે ખુદ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, પોલીસ ગ્રેડ પેની દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ! 58 કરોડ તો ખાલી રોકડા

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ‘ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે’ :

ઉલ્લેખનીય છે કે, પોલીસ ગ્રેડ પેને લઇને થોડાક દિવસો અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ ગ્રેડ પે બાબતે વિચારણા ચાલુ છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.’

ગ્રેડ પે અમારો અધિકાર થકી સોશિયલ મીડિયામાં આંદોલન કર્યુ હતું :

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600  ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી.

આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ માંરફતે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-