Home Blog Page 1215

અરે શું વાત છે ! આ કંપની 797 રૂપિયાના રિચાર્જ પર આપી રહી છે 365 દિવસની વેલેડિટી, સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા

The company is offering 365 days validity

  • ટેલિકોમ કંપની 797 રૂપિયાના રીચાર્જ પ્લાનની કિંમતમાં એક વર્ષની વેલેડિટી સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા આપી રહી છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે..

આપણે દરેક લોકો મોબાઈલ (Mobile) વાપરીએ છીએ અને હાલ મોબાઈલ અને તેમાં ઈન્ટરનેટ વિના જીવવું શક્ય નથી. એવામાં ભારતમાં ફોનના બિલમાં ટૂંક સમયમાં વધારો આવી શકે છે. ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Vi જલ્દી જ એમના રિચાર્જ પ્લાનની (Recharge plan) કિંમતમાં વધારો કરી શકે છે.

ટેલિકોમ કંપનીના આ ભાવ વધારાની સામે જ એક એક ટેલિકોમ કંપની છે જેના ઘણા પ્લાન સામાન્ય લોકોના બજેટમાં ફિટ થાય છે. આ ટેલિકોમ કંપની 797 રૂપિયાના રીચાર્જ પ્લાનની કિંમતમાં એક વર્ષની વેલેડિટી સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા આપી રહી છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે.

જો તમે બીએસએનએલની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરો છો. આવી સ્થિતિમાં આ સમાચાર તમારા કામના છે. આજે અમે તમને BSNL ના એક શાનદાર રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. BSNLના આ રિચાર્જ પ્લાનમાં ઘણા મોટા ફાયદાઓ મળી રહ્યા છે જેવા કે આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળે છે.

હાલની પરિસ્થિતિમાં દેશમાં મોટી સંખ્યામાં લોકો Jio, Airtel અથવા Viની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરે છે અને આ ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન ઘણા મોંઘા છે એવામાં લોકો BSNLની ટેલિકોમ સેવાઓનો રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. અન્ય ટેલિકોમ કંપનીઓની તુલનામાં BSNL તેના રિચાર્જ પ્લાનમાં ઘણી સસ્તી કિંમતો પર ઘણા શ્રેષ્ઠ લાભો ઓફર કરી રહી છે.

BSNLના આ રિચાર્જ પ્લાનની કિંમત 797 રૂપિયા છે. આ પ્લાનમાં તમને એક વર્ષની વેલિડિટી મળી રહી છે આ સાથે જ બીજા ઘણા ફાયદા મળી રહ્યા છે.

BSNLના આ પ્લાનમાં ઈન્ટરનેટ વપરાશ માટે દૈનિક ડેટા લિમિટનો લાભ પણ મળે છે. જણાવી દઈએ કે આ પ્લાનમાં તમને દરરોજ 2GB ઈન્ટરનેટ ડેટા મળે છે જે 60 દિવસ સુધી ઉપલબ્ધ છે.

આ સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે.

આ સિવાય પ્લાનમાં દરરોજ 100 SMSની સુવિધા પણ મળી રહી છે.

જો તમે લાંબી વેલિડિટી સાથે સસ્તો અને સારો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો તો BSNLના આ પ્લાન સાથે રિચાર્જ કરી શકો છો.

આ પણ વાંચો :-

પેન્સિલના છોતરાથી માસૂમ બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો, ડોક્ટરને પણ ન આવ્યો વિશ્વાસ

0

It was the turn of an innocent girl to lose  જ્યારે સંબંધીઓ બાળકીને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા તો ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. આ મામલો હમીરપુરના કોતવાલી સ્થિત ગામનો છે. અહીં રહેતા નંદકિશોર નામના વ્યક્તિનો દીકરો અને બે દીકરીઓ ટેરેસ પર ભણતા હતા. તે દરમિયાન આ છ વર્ષની બાળકી આ અકસ્માતનો શિકાર બની હતી.

ક્યારેક ક્યારેક નાના બાળકો અત્યંત જોખમી કૃત્યો કરે છે અને માતાપિતાને ખબર પણ નથી હોતી. બાળકના જોખમી કૃત્યને ધ્યાનમાં ન લેવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આવો જ એક દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે જ્યાં પેન્સિલના છોતરાને લીધે એક બાળકીનું મૃત્યુ થયું છે.

પેન્સિલ મોઢામાં જ છાલકા મારી રહી હતી !

વાસ્તવમાં આ ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હમીરપુરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બધુ ત્યારે થયું જ્યારે છોકરી તેના મોંમાં પેન્સિલ છોલી રહી હતી.. આ બાળકી છ વર્ષની છે અને તે તેના ભાઈ સાથે ઘરની ટેરેસ પર ભણતી હતી. આ દરમિયાન તેણીએ તેની પેન્સિલ છાલવાનું શરૂ કર્યું.

બાળકીના ગળામાં છોલ ફસાયો :

આ છોકરી મોઢામાં કટર ચોંટાડીને પેન્સિલની છાલ કાઢી રહી હતી. પરંતુ કમનસીબે કે બાળકીના ગળામાં પેન્સિલનો છોલ ફસાઈ ગયો. જેથી ગૂંગળામણ થવા લાગી. બાદમાં બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યાં બાળકીનું મૃત્યુ થઈ ગયું.

જ્યારે સંબંધીઓ બાળકીને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા તો ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર આ મામલો હમીરપુરના કોતવાલી સ્થિત ગામનો છે. અહીં રહેતા નંદકિશોર નામના વ્યક્તિનો દીકરો અને બે દીકરીઓ ટેરેસ પર ભણતા હતા. તે દરમિયાન આ છ વર્ષની બાળકી આ અકસ્માતનો શિકાર બની હતી.

આ પણ વાંચો :-

હેલમેટ સહિત ટ્રાફિકના નિયમો પાળવા લાગજો ! ટ્રાફિકની નવી પોલિસી થઈ શકે છે જાહેર 

0

Start obeying traffic rules including helmet

  • અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા.

ગુજરાત સરકાર આગામી દિવસોમાં ટ્રાફિકની નવી પોલિસી (New traffic policy) જાહેર કરી શકે છે. જેને લઈ હવે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજીયાત થશે. આ સાથે ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓના ઘરે જ મેમો આવશે. મહત્વનું છે કે, આગામી દિવસોમાં હવે બોડિ વોર્ન કેમેરા (Body Worn Camera) સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ (Traffic Police) તૈનાત રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાલમાં ગૃહ વિભાગ દ્વારા નવા નિયમોની તૈયારી ચાલી રહી છે. જેથી હવે આગામી દિવસોએ રોંગ સાઈડમાં ગાડી ચલાવતા વાહન ચાલકો સામે પણ એક્શન લેવાશે. આ સાથે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત થશે. ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓના ઘરે જ મેમો આવશે.

નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે સરકાર  :

નોંધનીય છે કે સરકાર આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે. જે મુજબ ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પણ ફરજીયાત હેલમેટ પહેરવા પડશે. આ સાથે નિયમોના ભંગ બદલ સીધા ઘરે જ મેમો આવશે તો બોડિ વોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ રહેશે. અહી ઉલ્લેખનીય છે કે 35 ટકા કેસોમા હેલ્મેટ ન પહેરવાથી મોત થાય છે. શહેરી વિસ્તારોમાં રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એક્શન લેવાશે.

મહત્વનું છે કે અમદાવાદમાં BRTS અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી ટ્રાફિક પોલીસે 41 વાહનો ડિટેઇન કર્યા છે. આ સાથે વાહનો ડિટેઇન કરવા સાથે 14 હજાર રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો છે.

આ પણ વાંચો :-

સરકારના એક નિર્ણયથી ઉત્તર ગુજરાત તરસ્યુ બનશે, પાણી માટે વલખા મારવા પડશે

0

Due to a decision of the government

  • રાજસ્થાનમાં ઊભા થયેલા આ વિવાદના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીના પગલે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. ત્યારે તમામને ખેડબ્રહ્મા પોશીના તેમજ વિજયનગરના આદિવાસી આગેવાનોએ સાબરકાંઠાના ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને પણ પોતાનું આવેદનપત્ર આપી ચૂક્યા છે.

સમગ્ર ઉત્તર ગુજરાત (North Gujarat) માટે ધરોઈ યોજના એકમાત્ર જીવાદોરી સમાન યોજના છે. જોકે રાજસ્થાન સરકાર દ્વારા 2558 કરોડના ખર્ચે સાબરમતી (Sabarmati) તેમજ સેઈ નદી (Sei River) ઉપર ચકસાર માઢિયા અને બુજા જળાશય યોજના બનાવવા બજેટમાં જોગવાઈ કરતા હવે ગુજરાત સહિત રાજસ્થાનમાં (Rajasthan) ભારે વિરોધ શરૂ થયો છે. જોકે સ્થાનિકોનું માનીએ ડેમ રોકવા માટે કોઈપણ હદ સુધી લડી લેવાની તૈયાર કરી લીધી છે.

1972 માં સાબરકાંઠાના વડાલી નજીક ધરોઈ જળાશય યોજના બનાવવામાં આવી હતી. તેમજ ધરોઈ જળાશય યોજનાના પગલે ઉત્તર ગુજરાતના 9 મોટા શહેર સહિત 700 થી વધારે ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ. સાથોસાથ સમગ્ર ઉત્તર ગુજરાત માટે યોજના સિંચાઈ તેમજ પીવાના પાણી માટે એકમાત્ર આશાસ્પદ પાણીનો સ્ત્રોત બની રહ્યો.

જોકે રાજસ્થાન સરકાર દ્વારા ધરોઈ જળાશય યોજના સાબરમતી અને સેઈ મુખ્ય બે નદી ઉપર રાજસ્થાન સરકાર દ્વારા ચકસાર માઢીયા તેમજ બુજા ડેમ બનાવતા હવે આગામી સમયમાં ધરોઈ જળાશય યોજના નામ માત્રની બની રહે તેવી સંભાવનાઓ છે. જોકે રાજસ્થાનમાં સ્થાનિક ગ્રામ પંચાયતો સહિત તાલુકા કક્ષાએ ભારે વિરોધ શરૂ થયો છે. સ્થાનિકોનું માનીએ તો મરતે દમ તક જગ્યા ખાલી ન કરવા સહિત કોઈ પણ ભોગે સંજોગે ડેમ ન બનાવવા લોકો મક્કમ બન્યા છે.

રાજસ્થાન સરકાર દ્વારા 1972 માં ધરોઈ જળાશય યોજના બની રહી હતી. ત્યારે એક કરાર મુજબ ધરોઈ જળાશય યોજનાથી 300 માઈલ સુધીમાં કોઈપણ પ્રકારની જળાશય યોજના બનાવવામાં ન આવે તે પ્રકારનો કરાર કરાયો છે. સાથો સાથ હાલના તબક્કે સ્થાનિકોની પરવાનગી વગર બની ધરોઈ જળાશય યોજના અંતર્ગત ભારે વિરોધાભાસની પણ શરૂઆત થયો છે.

જોકે આ મામલે સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. સ્થાનિકોનું માનીએ તો બંને નદી ઉપર જો જળાશય બનાવવામાં આવે તો અંદાજિત એક લાખ પચાસ હજારથી વધારે લોકો વિસ્થાપિત થવાની સંભાવના છે.

રાજસ્થાનમાં ઊભા થયેલા આ વિવાદના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીના પગલે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. ત્યારે તમામને ખેડબ્રહ્મા પોશીના તેમજ વિજયનગરના આદિવાસી આગેવાનોએ સાબરકાંઠાના ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને પણ પોતાનું આવેદનપત્ર આપી ચૂક્યા છે. તેમજ ખેડૂતોમાં પ્રાંત અધિકારીએ વિષયની ગંભીરતા જોતા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીએ પણ આવેદનપત્રને અગ્રિમતા આપી ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર મોકલી આપેલ છે.

રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલ રાજ્સ્થાનની હદના બે ગામો બુજા, ચકસાર માઢીયા પાસે રાજસ્થાન સરકાર ડેમ બનાવશે. જેને લઈને રાજસ્થાનના ગામોના આધિવાસીઓ વિસ્થાપિત થશે. ડેમ બનતા પાણી બંધ થશે.

જેને લઈને ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના પોશીનાના અંદાજીત ૬૦,ખેડબ્રહ્માના ૨૫ અને બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના અંદાજીત ૧૦ ગામોમો જે નદી કિનારાના છે. તે ગામોમાં જે સિંચાઈના પાણીથી વંચિત થશે. તો ધરોઈમાં પાણી આવતું બંધ થવાથી પીવાના અને સિંચાઈમાં અસર ઉભી થઇ શકે છે તેવું નાડા ગામના સરપંચ રૂમાલભાઈ ધ્રાંગીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

પ્રેમ લગ્ન કર્યા બાદ યુવક નાની સાળી સાથે ફરાર, કન્યા આઘાતમાં…..

0

Young man absconds with younger

  • ચોંકાવનારી વાત છે કે યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેમ છતાં તેને છોડી દીધી. ત્યારબાદ બબાલ એટલી વધી કે યુવતીએ સાસરી અને પીયર બંને છોડી દીધું. પછી પંચાયતમાં મામલો પહોંચ્યો અને અનોકો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો.

વર-કન્યા અને પછી લગ્ન બાદ થનારા વિવાદો વચ્ચે વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં વરરાજો પોતાની નાની સાળી સાથે ફરાર થઈ ગયો છે. આ ઘટના ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) અમરોહાની (Amrohani) છે, જ્યાં એક વ્યક્તિએ પ્રેમ લગ્ન કર્યા હતા અને સાથી જીવવા-મરવાના સમ ખાધા હતા પરંતુ કંઈક એવું થયું કે તે પોતાની પત્નીને છોડીને નાની સાળી સાથે ફરાર થઈ ગયો.

બંનેએ કર્યાં હતા પ્રેમ લગ્ન :

વાસ્તવમાં આ ઘટના ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની છે. અહીંના કોતવાલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં તેની પ્રેમિકા સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ યુવકને નાની સાળી સાથે પ્રેમ થઈ ગયો અને તેની સાથે ભાગી ગયો. મળતી માહિતી મુજબ લગભગ છ મહિના પહેલા અહીં રહેતા એક વ્યક્તિએ તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા અને તેઓ સાથે રહેતા હતા.

નાની બહેન સાથે પ્રેમસંબંધ :

આ દરમિયાન વરરાજાને નાની સાળી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ બધું ત્યારે થયું જ્યારે યુવક પોતાના સસરાના ઘરે અવરજવર કરવા લાગ્યો હતો. જ્યારે આ અંગેની જાણ થઈ ત્યારે હોબાળો મચી ગયો હતો. બહેન પતિ સાથે ફરાર થઈ ગઈ હોવાની જાણ થતાં રોષે ભરાયેલી પત્નીએ સાસરિયાં અને પીયર બંનેને છોડી દીધાં હતાં.

પંચાયતે સંભળાવ્યો આ ચુકાદો !

તે પોતાની એક મિત્રને ત્યાં પહોંચી ગઈ અને બધા સાથે વાત કરવાનું બંધ કરી દીધુ. બીજી તરફ બંને પરિવારો વચ્ચે પણ મામલો ઉગ્ર બની ગયો હતો. ઘટનાને લઈને પંચાયતમાં તે નક્કી થયું કે યુવક પત્નીને છુટાછેડા આપીને સાળી સાથે લગ્ન કરશે. આ મામલામાં બંને પક્ષોએ પોલીસને દૂર રાખી હતી. બંને પરિવારોની ઈચ્છા હતી કે પંચાયત જે નિર્ણય આપશે તે સ્વીકારવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે પરિવાર દ્વારા યુવતીને સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો :-

કોરોના કહેર વચ્ચે મોદી સરકાર એક્ટિવ મોડમાં, આજે ફરી મનસુખ માંડવિયાની બેઠક, જાણો શું લેવાઈ શકે નિર્ણય

0

Modi government in active mode amid Corona crisis

  • ચીનમાં કોરોનાના નવા પ્રકારને કારણે થયેલા નુકસાનને જોઈને ભારત સરકાર ખૂબ જ સાવધ, બેઠકોનો દોર પણ યથાવત.

ચીનમાં કોરોનાના નવા પ્રકારને કારણે થયેલા નુકસાનને જોઈને ભારત સરકાર (Government of India) ખૂબ જ સાવધ બની ગઈ છે. આ તરફ બેઠકોનો દોર પણ યથાવત છે. આ દરમ્યાન એક સમાચાર આવ્યા છે કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandvia) આજે (23 ડિસેમ્બર) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરશે. આ બેઠકમાં પરિસ્થિતિનો સામનો કરવા અને કોઈ પણ મોટી મુશ્કેલીથી બચવા માટે એક યોજના બનાવવામાં આવશે. માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં ભારતની તૈયારીઓ પર સ્વતઃ સંજ્ઞાન લઈને નિવેદન આપ્યું હતું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે, અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. અત્યારે ચીન અને ભારત વચ્ચે સીધી ફ્લાઈટ નથી પરંતુ લોકો અન્ય રૂટથી આવે છે. આવી સ્થિતિમાં અમે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ કે વાયરસનું કોઈ અજ્ઞાત સ્વરૂપ ભારતમાં પ્રવેશ ન કરે અને તે જ સમયે મુસાફરીમાં કોઈ અવરોધ ન આવે.

આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન સાથે કેન્દ્રીય પ્રધાનની બેઠકના એક દિવસ પહેલા બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે ગુરુવારે કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોવિડ-19ના કેસોમાં વધારાની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે આરોગ્ય અધિકારીઓ, ડોકટરો અને મેડિકલ કોલેજોના ડિરેક્ટરો સાથે રાજ્યમાં કોવિડની સ્થિતિની પણ સમીક્ષા કરી અને જો તે ફેલાતો હોય તો નવા પ્રકારનો સામનો કરવા માટે તૈયાર થવા જણાવ્યું. યાદવે કહ્યું કે, બિહારની હોસ્પિટલો પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, તપાસ અને રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચો :-

WhatsApp લિંક ખોલતા ઉડયા 9 લાખ રૂપિયા, આવી ભૂલ તમે ન કરતાં, આવી રીતે નિવૃત્ત મહિલા સાથે થઇ ઠગાઈ

9 lakh rupees flew away by opening a WhatsApp link

  • મુંબઈમાંથી એક નવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નિવૃત બેંક કર્મચારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. યુવતીને એક WhatsApp લિંક મોકલવામાં આવી હતી.

ઓનલાઈન છેતરપિંડીના (Online fraud) કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. દરરોજ કંઈક નવું સામે આવે છે. ક્યારેક ઓટીપીના નામે છેતરપિંડી તો ક્યારેક કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતી વખતે છેતરપિંડી થઈ રહી છે. હાલમાં જ મુંબઈમાંથી એક નવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નિવૃત બેંક કર્મચારી (Retired Bank Employee) સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે.

9 લાખની છેતરપીંડી :

મામલો મુંબઈના બોરીવલી ઈસ્ટનો છે. જ્યાં સાયબર ઠગોએ પૂર્વ બેંક કર્મચારી સાથે 9 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. આ મામલે FIR નોંધવામાં આવી છે. દહિસર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 419 અને 420 અને આઈટી એક્ટની કલમ 66 (સી) અને 66 (ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

એક ભૂલ અને છેતરપિંડી કરનારાઓને નંબર મળી ગયો :

પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. છેતરપિંડીનો ભોગ બનેલી યુવતીને એક WhatsApp લિંક મોકલવામાં આવી હતી. જેમાં તેણીએ તેની ઈન્ટરનેટ બેંકિંગ વિગતો ભરી હતી. જેમાં બેંક યુઝર આઈડી અને પાસવર્ડ જેવી વિગતો પણ માંગવામાં આવી હતી.

પીડિતા પોતે નિવૃત્ત બેંક કર્મચારી છે. પુષ્પલતા પ્રદીપે તેના પ્રોવિડન્ટ ફંડની બચતની ફિક્સ ડિપોઝીટ કરી હતી. તેને ફિક્સ ડિપોઝિટ સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના પછી તેણે બેંકમાં ઓનલાઈન ફરિયાદ કરવાનું નક્કી કર્યું.

યુનિયન બેંકની સાઈટ પર ફરિયાદ નોંધાવતી વખતે તેને વારંવાર ભૂલોનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પ્રક્રિયામાં પીડિતાએ પોતાનો ફોન નંબર જણાવ્યો હતો. જે બાદ તેના નંબર પર બે કોલ આવ્યા હતા.

વોટ્સએપ પર લિંક મોકલી :

આ કોલ્સ છેતરપિંડી કરનારાઓ તરફ હતા, જેમણે કેટલાક એ બેંક એક્ઝિક્યુટિવ તરીકે જણાવ્યું હતું. ગઠીયાએ તેમને કહ્યું કે વોટ્સએપ પર એક લિંક મોકલવામાં આવી છે. ફોન કરનારે તેને લિંક ખોલીને એપ ડાઉનલોડ કરવાનું કહ્યું અને તેના પર તેની ફરિયાદ નોંધાવી. પુષ્પલથાએ એપ ડાઉનલોડ કરવાની રીત પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ ગઠીયાએ તેને પોતાની વાતમાં ફસાવી અને તેને એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. ગઠિયાઓએ પીડિતાની આ ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા.

એપ પર વિગતો માંગવામાં આવી :

પીડિતાએ કહ્યું, ‘મેં એક એપ ડાઉનલોડ કરી, જેમાં એક ફોર્મ ખુલ્યું. આ ફોર્મમાં મેં મારા ઈન્ટરનેટ બેંકિંગ લોગઈન પાસવર્ડની વિગતો અને યુઝર આઈડી દાખલ કર્યો છે. મેં આ ફોર્મ જમા કરાવતાં જ એક મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતું કે પૈસા ડેબિટ થઈ ગયા છે. જ્યારે પીડિતાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો અને બીજા ફોનથી યુનિયન બેંક કોલ સેન્ટરને જાણ કરી.

આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ :

ઈન્ટરનેટ અને ઓનલાઈનના આ યુગમાં આવી ઘટનાઓ દરરોજ સામે આવે છે. આવી સ્થિતિમાં યુઝર્સે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારે કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરતા પહેલા વિચારવું જોઈએ. યુઝર્સે હંમેશા કોઈ પણ એપને માત્ર વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ ડાઉનલોડ કરવી જોઈએ. ત્યાં કોઈ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. આનાથી હેકર્સ તમારા ફોનમાં ઘૂસી શકે છે.

આ પણ વાંચો :-

એક વ્યક્તિએ કરી કમાલ, નેનો કારને બનાવી દીધું હેલિકોપ્ટર ! દુનિયાભરમાં વીડિયો વાયરલ

0

One person has done a miracle

  • નેનો કારને રોડ-ગોઈંગ હેલિકોપ્ટરનું રૂપ આપનાર આઝમગઢના સુધારનો દાવો છે કે જો સરકાર અને કંપનીઓ તેની મદદ કરે તો તે પણ આ જ રીતે હવા અને પાણીમાં ચાલતું હેલિકોપ્ટર બનાવી શકે છે.

ભારતમાં ટેલેન્ટની (talent) કમી તો બિલકુલ નથી એ વાત સાવ સાચી છે. કારણ કે લોકો એવી એવી વસ્તુઓ બનાવતા હોય છે જેની કોઈ કલ્પના પણ કરી નથી હોતી. આવી જ એક કરામત ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) આઝમગઢમાં (Azamgarh) એક વ્યક્તિએ કરી છે. સલમાન નામના સુથારે નેનો કારને હેલિકોપ્ટપરમાં તબદીલ કરી. આ વિશે વધુ માહિતી આ અહેવાલમાં વાંચો.

ઉત્તર પ્રદેશના આઝમગઢના સલમાન નામના એક સુથારે એક મોટું કારનામું કર્યું છે. તેણે નેનો કારને રસ્તા પર ચાલતા હેલિકોપ્ટરમાં તબદીલ કરી છે. સલમાને દાવો કર્યો છે કે તેમાં મુસાફરી કરનારાઓને હેલિકોપ્ટર જેવો અનુભવ થશે.

સલમાન નામના આ સુથારે જણાવ્યું કે તેને આ અનોખું હેલિકોપ્ટર બનાવવામાં 4 મહિના અને 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો. તેણે એવું હેલિકોપ્ટર બનાવ્યું છે જે રસ્તા પર ચાલશે. આ અનોખું વાહન લોકોને એટલું પસંદ આવી રહ્યું છે કે લોકો તેને ખરીદવા માગે છે. તેણે વધુમાં જણાવ્યું કે આ હેલિકોપ્ટરને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે.

સલમાનનું કહેવું છે કે જો સરકાર અને કંપનીઓ તેની મદદ કરે તો તે વધુ એર અને વોટર હેલિકોપ્ટર પણ બનાવી શકે છે. વધુમાં કહ્યું કે તે આ વિચારને આગળ લઈ જઈ શકે છે અને હજી વધુ અનોખા વાહનો બનાવી શકે છે.

આ પણ વાંચો :-

23 ડિસેમ્બર 2022, રાશિફળ : આ 6 રાશિના જાતકો પર સાંઈબાબાની અસીમ કૃપા રહેશે, જાણો તમારી રાશિ અનુસાર…

23 December 2022, Horoscope Gujarat Guardian

મેષ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારમાં તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો  સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

‌મિથુન
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્ક
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

‌સિંહ
રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાવ એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યા
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતે અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃ‌શ્ચિક
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીન
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

કપડાંને કારણે નહીં પરંતુ ઉર્ફીના સેટ પર પહોંચી હતી દુબઈ પોલીસ, પોતે સામે આવીને કરી સ્પષ્ટતા

Not because of the clothes but because

  • દુબઈ પોલીસે ઉર્ફીની અટકાયત કરી હતી. એ અટકાયત કરવા પાછળનું કારણ એમ ગણવામાં આવતું હતું. એ વાતને લઈને ઉર્ફીએ પોતે ચોખવટ કરી છે.

‘બિગ બોસ OTT’ ફેમ ઉર્ફી જાવેદ (Urfi javed) વધુ પડતાં તેના વિચિત્ર કપડાં માટે અને એ સિવાય તેના વિવાદસ્પદ નિવેદનો માટે હેડલાઇન્સ બનાવે છે. હાલ માં જ એવા સમાચાર આવ્યા હતા કે દુબઈ પોલીસે (Dubai Police) ઉર્ફીની અટકાયત કરી હતી. એ અટકાયત કરવા પાછળનું કારણ એમ ગણવામાં આવતું હતું કે કે ઉર્ફી જાવેદ ખૂબ રિવિલિંગ કપડાં (Revealing clothes) પહેર્યા હતા. જો કે એ વાતને લઈને ઉર્ફીએ પોતે ચોખવટ કરી છે. ઉર્ફીએ જણાવ્યું છે કે દુબઈ પોલીસે તેની અટકાયત કેમ કરી હતી.

ઉર્ફી જાવેદે દુબઈમાં પહેર્યા હતા રિવિલિંગ કપડાં :

હાલમાં જ ઉર્ફી દુબઈ પહોંચી હતી અને ત્યાં તેના આવનર પ્રોજેક્ટ માટે શૂટ કરવાનું હતું પણ દુબઈ પહોંચતા જ ઉર્ફી જાવેદ મુશ્કેલીમાં મુકાઈ હતી. સમાચાર આવ્યા કે દુબઈ પોલીસ ઉર્ફીના સેટ પર પહોંચી કારણ કે શુટ દરમિયાન ઉર્ફી જાવેદે ઘણા રિવીલિંગ કપડાં પહેર્યા હતા.

ઉર્ફીએ જણાવ્યું કે શું હતી સમસ્યા :

આ બાબતે ચોખવટ કરતાં ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે સેટ પર શું થયું. ઉર્ફીએ કહ્યું છે કે દુબઈ પોલીસ ચોક્કસપણે તેના સેટ પર પહોંચી હતી પણ તેના રિવીલિંગ કપડાંને કારણે નહીં. જ્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું તે લોકેશનની સમસ્યા ને કારણે પોલીસ ત્યાં આવી હતી.

શૂટ પબ્લિક પ્લેસ પર થઈ રહ્યું હતું :

આ પહેલા પણ ઉર્ફીની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘દુબઈમાં તેને બનાવેલા કપડામાં ઈન્સ્ટાગ્રામ માટે એક વીડિયો શૂટ કરવાનો હતો જે દુબઈના લોકો મુજબ ઘણો રિવીલિંગ હતો. અંહિયા સમસ્યા એ આવી કે આઉટફિટમાં કોઈ વાંધો નહતો પણ વાસ્તવમાં શૂટ એક પબ્લિક પ્લેસ પર થઈ રહ્યું હતું અને દુબઈમાં લોકોને ખુલ્લા વિસ્તારમાં આવા કપડાં પહેરીને શૂટિંગ કરવા માટે પરમીશન નથી. આ માટે પોલીસ અને લોકલ ઓથોરિટીઝએ પણ ઉર્ફી સાથે વાત કરી હતી.

આ પણ વાંચો :-