Home Blog Page 1194

 વસતી નિયંત્રણ કાયદો ન લવાયો તો. હિંદુ નેતા પ્રવિણ તોગડિયાએ શું કહ્યું જાણો

0

If population control law is not introduced

  • વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ એવું જણાવ્યું કે રામમંદિરને સુરક્ષિત રાખવા વસતી નિયંત્રણ કાયદો લાવવો જરુરી છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયોજક પ્રવિણ તોગડિયાએ (Pravin Togadia) જનસંખ્યા નિયંત્રણ કાયદો (Population Control Act) બનાવવાની માંગ કરી છે. પ્રવીણ તોગડિયાએ વસ્તી નિયંત્રણ અને વસ્તીમાં અસંતુલન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ઘણા પ્રયત્નો બાદ રામ મંદિર (Ram temple) બની રહ્યું છે અને જો જનસંખ્યા નિયંત્રણ કાયદો નહીં લાવવામાં આવે તો 50 વર્ષ પછી રામ મંદિર સુરક્ષિત નહીં રહે.

હિંદુઓએ મોટું કામ કર્યું :

પ્રવીણ તોગડિયાએ કહ્યું કે હિન્દુઓએ ભેગા થઈને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું અને રામ મંદિર નિર્માણ માટે આંદોલન શરૂ કર્યું. તેમણે કહ્યું કે હિન્દુઓએ ગામડે-ગામડે જઈને લોકોનો સહયોગ મેળવ્યો અને રામ મંદિર નિર્માણ માટે દાન એકઠું કર્યું. તેમણે પોતાના અભિયાનને દેશમાં હિન્દુઓને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાની પહેલ ગણાવી હતી.

હિન્દુઓની આસ્થા ક્યારેક ઓછી ન થઈ શકે :

હિન્દુઓની આસ્થા અને સનાતન ધર્મ વિશે કરવામાં આવેલા નિવેદનો પર પ્રવીણ તોગડિયાએ કહ્યું કે કરોડો હિંદુઓની આસ્થા તેમના દિલમાં વસે છે અને કોઈનું પણ નિવેદન ક્યારેય આ વિશ્વાસને ખતમ કે ઘટાડી શકશે નહીં. તેમણે કહ્યું કે આવી વાતો કરનારાઓને નજરઅંદાજ કરો. લોકપ્રિયતા મેળવવા માટે તેઓ આવા કામ કરી રહ્યા છે. આવા લોકોને મહત્વ ન આપવું જોઈએ.

મિસાઈલો અને તલવારો પણ શાંતિના પ્રતીક :

મીડિયા સાથે વાત કરતા પ્રવીણ તોગડિયાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના “બુલડોઝર શાંતિ અને વિકાસનું પ્રતીક બની શકે છે” માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તલવારો અને મિસાઈલો પણ શાંતિનું પ્રતીક છે.

આ પણ વાંચો :-

Pathaan Box Office Collection Day 5 : ‘પઠાણ’ નો બોક્સ ઓફિસ પર જલવો, રવિવારે રેકોર્ડતોડ કમાણી કરી, જાણો કેટલા કરોડ કમાઈ ફિલ્મ

Pathaan Box Office Collection Day 5

  • હાલ દરેક સિનેમાપ્રેમીની જુબાન પર એક જ નામ છે ‘પઠાણ’.

દેશના ફેવરિટ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ ‘પઠાણ‘ (Pathan) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ (Release) થયેલી ફિલ્મે પ્રથમ ચાર દિવસમાં જોરદાર કમાણી કરી છે. હવે રવિવારના આંકડા સામે આવી રહ્યા છે. ફિલ્મે રવિવારે પણ કમાણીના મામલે ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પઠાણ‘ એ તેના પહેલા રવિવારે લગભગ 62 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 282 કરોડ રૂપિયા થઈ ગયું છે. ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મ ‘પઠાણ’ એ ઘણા રેકોર્ડ તોડ્યા છે.

આ ફિલ્મ વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ થઈ હતી. દર્શકો પહેલા દિવસથી જ કિંગ ખાનની ફિલ્મને ઘણો પ્રેમ આપી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

જો તમે સ્પાના શોખીનો ચેતજો ! હવે સંચાલકોએ પોલીસને આપવો પડશે ડેટા, વિદેશી યુવતીઓ….

0

If you are a spa lover

  • સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓને બંધ કરવા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. વિદેશી યુવતીના કામ કરવા પર મુક્યો પ્રતિબંધ.

સુરત (Surat) શહેરમાં સ્પાને લઈ પોલીસ એક્શનમાં મોડમાં આવી ગઈ છે. વાત જાણે એમ છે કે હવે સુરત પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હવે સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે સ્પા સંચાલકે (Spa manager) સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પણ પોલીસને આપવી પડશે તેવું પણ જણાવાયું છે.

છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સુરતનું નામ મોખરે થઇ રહ્યુ છે. હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાઓ બાદ હવે દેહવ્યાપારના ધંધા ચાલી રહ્યા હોવાનું પોલીસ પોલીસને કાને વાત પડી હતી. જેને લઈ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓ પર રેડ કરી કાર્યવાહી કરેલ છે.

સુરત પોલીસની મોટી કવાયત :

સુરત પોલીસ દ્વારા હવે એક મોટી કવાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે, સુરતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓને બંધ કરવા પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ હવેથી સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે સ્પા સંચાલકે સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પણ પોલીસને આપવી પડશે તેવું જણાવાયું છે.

હુકમનો ભંગ થશે તો કાર્યવાહી :

સુરત પોલીસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં ગોરખધંધા બંધ કરાવવા અનેક હુકમો કરાયા છે. જે મુજબ સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ અને સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પોલીસને આપવી સહિતના હુકમો સામે છે.

આ પણ વાંચો :-

 

સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસમાં ગંદકીની તસવીરો થઈ વાયરલ, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા તાબડતોબ નિર્દેશ, કરી આ અપીલ

0

Pictures of dirt in Vande Bharat Express

  • વંદે ભારત ટ્રેનની અંદરની કેટલીક ગંદકી વાળી તસવીરો સોશિયલ મીડિયા પર ટવિટ કરવામાં આવી હતી. આ તસવીરમાં આપવામાં આવેલા ફૂડ પેકેટ તેમજ અન્ય કચરો જોવા મળ્યો હતો.

આજ કાલ સોશિયલ મીડિયામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં (Vande Bharat Express Train) ગંદકીના ફોટા અને વિડીયો ફરતા થયા હતાં. ત્યાર બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ એક્શન (Railway Minister Ashwini Vaishnav Action) મોડમાં આવી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને ફ્લાઈટ જેવી સફાઈ હાથ ધરવા આદેશ પણ આપી દિધો હતો.

તેમણે આદેશ આપતા જણાવ્યું હતુ કે જે પ્રકારે ફ્લાઈટમાં ક્લિનનેસ એટલે કે ચોખ્ખાઈ જોવા મળે છે તે જ પ્રકારની સફાઈ વંદે ભારત એક્સપ્રેસમાં (Vande Bharat Express) કરવામાં આવવી જોઈએ. ફ્લાઈટમાં ઠીક તેવી જ રીતે એક વ્યક્તિ કોચમાં બેઠેલા લોકોની સીટ પાસે કચરો એકત્ર કરવાની બેગ લઈને જશે અને મુસાફરોને કચરો કચરાની બેગમાં નાખવાનું જણાવશે.

શું કહ્યું રેલ્વે મંત્રીએ ?

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરને લઈને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે વંદે ભારત ટ્રેનમાં સફાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને વંદે ભારત ટ્રેનોમાં સફાઈ વ્યવસ્થાને જાળવવા માટે લોકોનો સહયોગ માંગવામાં આવ્યો છે.

શું હતો મામલો ?

મહત્વનું છે કે વંદે ભારત ટ્રેનની તસવીરો ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં ટ્રેન તેના સ્ટેશન પર પહોચ્યા પછી વપરાયેલ ફૂડ પેકેટ અને અન્ય કચરો ફેલાતો જોવા મળ્યો હતો. ત્યારે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે રેલવે મંત્રીને આ મામલે તાત્કાલિક પગલાં લેવા વિનંતી પણ કરી હતી.

કચરાપેટીનો ઉપયોગ કરવા અપીલ કરાઈ :

અગાઉ પણ હમણા જ શરૂ થયેલી સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસમાં પ્લેટો, કપ અને અન્ય કચરો ફેલાયેલા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે રેલવેના અધિકારીઓના કહેવા પ્રમાણે હાઉસકિંપીંગ સ્ટાફ દ્વારા નિયમિત અંતરે સફાઈ કરવામાં આવી હતી.

પરંતુ ટ્રેન વિશાખાપટ્ટનમ પહોંચતા જ ગંદકી જોવા મળી હતી. ત્યારે રેલવે તંત્રએ પેસેન્જરને અપીલ કરતા કરી હતી કે આ પ્રતિષ્ઠિત ટ્રેનને સ્વચ્છ રાખે અને કચરો ફેકવામાં કચરાપેટીનો ઉપયોગ કરે.

આ પણ વાંચો :-

માણસને જીવતો ગળવાનો અજગરનો Video વાયરલ, જોઈને હાજા ગગડી જશે

A viral video of a python swallowing

  • ઈન્ટરનેટ પર ઘણી વખત આવા દ્રશ્યો જોવા મળે છે જે ખુબ ચોંકાવનારા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો એક મહાકાય અજગરનો છે.

ઈન્ટરનેટ પર ઘણી વખત આવા દ્રશ્યો જોવા મળે છે જે ખુબ ચોંકાવનારા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો એક મહાકાય અજગરનો છે. જેણે આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી છે અને એક વ્યક્તિને ગળી જવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે.

ગાડથી લપેટાયો અજગર :

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં એક કાર ઉભી છે અને તેના પર એક વિશાળકાય અજગર લપેટાયેલો છે. તેણે એક વ્યક્તિને મોઢામાં પણ પકડી રાખ્યો છે અને ધીમે ધીમે ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભોગબનનારના કેટલાક મિત્રો તેનો પગ પકડીને તેને અજગરના મોઢામાંથી બહાર કાઢી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વિશાળકાય અજગરનો વીડિયો :

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે નકલી અજગર છે અને આ વીડિયો જાણી જોઈને બનાવવામાં આવ્યો છે. અમે આ વીડિયોની પુષ્ટિ પણ નથી કરતાં. આ દૃશ્ય earth.brains નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

મોલ કે હોટેલમાં કેમ કપાયેલા હોય છે ટોયલેટના દરવાજા ? જાણીને કહેશો કે ભેજાબાજોનું આ કામ છે !

0

Why are the toilet doors cut in the mall or hotel

  • તમે હોટલ કે મોલમાં ટોયલેટનો ઉપયોગ કર્યો જ હશે. ત્યાં તમે જોયું હશે કે ટોયલેટમાં દરવાજા નીચેથી થોડા કપાયેલા હોય છે. શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે ? તમને જણાવી દઈએ કે આ કામ ભૂલથી નથી થયું.

તમે હોટલ કે મોલમાં ટોયલેટનો (Toilets in hotels or malls) ઉપયોગ કર્યો જ હશે. ત્યાં તમે જોયું હશે કે ટોયલેટમાં (Toilets) દરવાજા નીચેથી થોડા કપાયેલા હોય છે. શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે? તમને જણાવી દઈએ કે આ કામ ભૂલથી નથી થયું. પરંતુ તેની પાછળ એક વ્યૂહરચના છે. તો ચાલો જાણીએ કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે.

ઈમરજન્સીમાં કામ આવે છે આ દરવાજો :

જાહેર શૌચાલયમાં અચાનક કોઈની તબિયત બગડી શકે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિની મદદ  સરળતાથી થઈ શકે છે. આ સિવાય બાળકો પણ મોલમાં જાય છે. તેઓ ભૂલથી પણ પોતાની જાતને અંદર લોક કરી દે તો આવી સ્થિતિમાં તેમને બહાર કાઢવા ​સરળ બને.

જલ્દી થાય છે સાફ-સફાઈ :

જાહેર શૌચાલયનો 24 કલાક ઉપયોગ થાય છે. તેવામાં સ્વચ્છતા શક્ય નથી. જો દરવાજા નીચેથી કાપવામાં આવે તો તેને સાફ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તેઓ સરળતાથી પોતુ કરી શકે છે અને આ શૌચાલયને સ્વચ્છ રખાશે.

અસામાજિક તત્વોને કરી શકાય છે કંટ્રોલ :

કેટલાક લોકો સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે જાહેર શૌચાલયનો પણ ઉપયોગ કરે છે. જો દરવાજા નીચેથી કાપી નાખવામાં આવે છે. તો આ લોકો આ કઈ નહીં કરી શકે.

સ્મોકિંગથી થઈ શકે છે તકલીફ :

લોકો જાહેર શૌચાલયમાં ધૂમ્રપાન કરે છે. આવી સ્થિતિમાં બંધ શૌચાલય ખૂબ જોખમી બની શકે છે.  બંધ શૌચાલયમાં ધુમાડાના કારણે નુકસાન થાય છે.

આ પણ વાંચો :-

પરણિત પુરુષો અને મહિલાઓમાં લોકપ્રિય બની આ એપ ! અફેર વધવાનું મોટું કારણ ?

This app became popular

  • આ એપ પોતાના માર્કેટિંગમાં કહે છે કે આ એપને મહિલાઓએ જ પરણિત મહિલાઓ માટે તૈયાર કરી છે. માર્કેટિંગમાં કંપની જણાવે છે કે પરણિત મહિલાઓ આ એપને કોઈ પણ ડર વગર ઉપયોગ કરી શકે છે.

તમે ટિન્ડર, આઈલ અને બંબલ જેવી ડેટિંગ એપ (Dating app) વિશે તો સાંભળ્યું હશે. આ ડેટિંગ એપ એક પ્રકારે 21મી સદીમાં છોકરાઓ અને છોકરીઓને મેળવનારી વ્યવસ્થા છે જેમાં પરિવાર સામેલ હોતો નથી. તેમાં સીધી રીતે છોકરો કે છોકરી એક બીજા તરફ મિત્રતાનો હાથ આગળ વધારે છે.

અને જો વાત જામી જાય તો લાંબા સમય સુધી સાથે રહે છે. નહીં તો આ એક FLING બનીને રહી જાય છે. જો તમે છોકરા કે છોકરીઓ વચ્ચેના આ ચલણમાં આવેલા શબ્દ FLING ને નથી સમજતા તો ચોક્કસપણે GEN Z તમને 70 કે 80ના દાયકામાં જન્મ લેનારા વ્યક્તિ તરીકે જોતો હશે.

એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ માટેની એપ :

આ વિષય પર વાત કરવી પણ આપણા સમાજના અનેક લોકોને પાપ જેવું લાગે છે. પરંતુ આજે અમે તમને આ વિશે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે આ મુદ્દે એક ચોંકાવનારી વાત સામે આવી છે. અમે તમને હમણા જ જણાવ્યું કે યુવતીઓ અને યુવકો વચ્ચે ડેટિંગ એપનું ચલણ ખુબ છે. પરંતુ હવે આપણા દેશમાં એક એવી ડેટિંગ એપ ચાલે છે જે પરણિત લોકો માટે છે. આ એપનો હેતુ એકસ્ટ્રા મેરિટલ રિલેશનશીપ છે.

લગ્નેત્તર સંબંધને મળી રહ્યું છે પ્રોત્સાહન :

વિચારો આપણઆ દેશમાં અત્યાર સુધી ડેટિંગ એપને ફક્ત યુવાઓનો જ ફુલ સપોર્ટ મળ્યો છે તેમના માતા પિતાનો નહીં. પરંતુ આ દેશમાં GLEEDEN નામની એક એવી એપ પણ છે જેના યૂઝર્સ એવા પરણિત લોકો છે જે પોતાની પત્ની કે પતિથી ખુશ નથી અને તેઓ લગ્નેત્તર સંબંધ રાખવા માટે ઈચ્છુક છે. આ ડેટિંગ એપ લગ્નથી નાખુશ હોય તેવા લોકોને એકબીજા સાથે મિલાવવા માટે બનાવવામાં આવી છે.

ફ્રાન્સમાં લોકપ્રિય છે:

આ એપ વિશે વધુ લોકો જાણતા નથી કારણ કે આ મોબાઈલ એપ્લિકેશન અત્યાર સુધી ફ્રાન્સમાં જ લોકપ્રિય હતી. ફ્રાન્સમાં GLEEDEN નામની આ એપ બનાવવામાં આવી છે. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે ફ્રાન્સમાં બનેલી આ એપ ભારતમાં કેવી રીતે આવી ગઈ અને અચાનક અમે આ એપની વાત કેમ કરી રહ્યા છીએ. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ એપ વર્ષ 2017માં ભારતમાં લોન્ચ થઈ હતી.

20 લાખ ભારતીય યૂઝર :

આજે ફ્રાન્સની આ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ GLEEDEN ના કુલ યૂઝર્સ એક કરોડ જેટલા છે. જેમાંથી 20 ટકા તો ભારતીય યૂઝર્સ છે. એટલે કે કુલ 1 કરોડ નાખુશ પરણિતોમાંથી 20 લાખ લોકો તો ભારતીય છે. કંપનીનું કહેવું છે કે સપ્ટેમ્બર 2022થી લઈને અત્યાર સુધીમાં GLEEDEN એપના યૂઝર્સ લગભગ 11 ટકા સુધી વધ્યા છે. તેનો અર્થ એ છે કે એકસ્ટ્રા મેરિટલ ડેટિંગની એપની લોકપ્રિયતા ભારતીયોમાં ઝડપથી વધી છે.

આ આંકડા જોઈને તમે સમજી ગયા હશો કે એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ GLEEDEN ભારતીયોમાં ખુબ લોકપ્રિય છે. આ ચોક્કસપણે એવા યૂઝર્સ હશે તે પોતાના લગ્નજીવનથી ખુશ નહીં હોય. આ એપ પોતાના માર્કેટિંગમાં કહે છે કે આ એપને મહિલાઓએ જ પરણિત મહિલાઓ માટે તૈયાર કરી છે. માર્કેટિંગમાં કંપની જણાવે છે કે પરણિત મહિલાઓ આ એપને કોઈ પણ ડર વગર ઉપયોગ કરી શકે છે.

પરણિત મહિલાઓના એકસ્ટ્રા મેરિટલ ડેટિંગનો ખ્યાલ રાખીને બનાવવામાં આવેલી આ એપની અસર કહો કે પછી કઈ બીજુ. પણ વર્ષ 2019માં આ કંપનીના એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી હતી. બની શકે કે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી અનેક લોકો સહમત ન પણ હોય. પરંતુ આ એપે પોતાના સર્વનો જે ડેટા બહાર પાડ્યો છે તે મુજબ મોટી સંખ્યામાં પરણિત મહિલાઓ પોતાના સાથીને દગો કરે છે.

70 ટકા મહિલાઓનું માનવું છે કે તેમણે દગો એટલા માટે કર્યો કારણ કે તેમના પતિ ઘરકામમાં સાથ આપતા નથી. 72 ટકા ભારતીયોના પતિ કે પત્નીને દગો કરવા મામલે કોઈ પસ્તાવો નથી. 40 ટકા મહિલાઓનું માનવું છે કે અજાણી વ્યક્તિ સાથે ડેટિંગ કરવાના કારણે પતિ સાથે સંબંધોમાં સુધારો થયો છે.

ભારતીય પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે વિવાહ એક પવિત્ર સંબંધ છે, જેમાં છોકરો કે છોકરી જ નહીં પરંતુ તેમના પરિવારો પણ સંબંધ સાથે જોડાય છે. આ એક એવું માધ્યમ છે જેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે. પરંતુ જે પ્રકારે સમય ક્યારેય એક જેવો રહેતો નથી બરાબર તે જ રીતે કોઈ પણ પરણિત હોય તેના લગ્નજીવનમાં પણ પ્રેમ એક જેવો રહેતો નથી.

GLEEDEN ની વાત કરીએ તો એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ ઉપલબ્ધ કરાવતી આ મોબાઈલ એપ પરણિત મહિલાઓ અને પુરુષોને તેમની દબાયેલી ઈચ્છાઓને સામે લાવવા માટે મંચ આપી રહ્યું છે. તમારામાંથી અનેક લોકો એ જાણવા માંગતા હશે કે એકસ્ટ્રા મેરિટલ રેલિશન રાખનારી વ્યક્તિઓ પર શું કાર્યવાહી થઈ શકે તો તમને જણાવી દઈએ કે 2018 સુધી લગ્નેત્તર સંબંધ રાખો તો કલમ 497 હેઠળ કેસ દાખલ થતો હતો. આ કાયદો લગભગ 158 વર્ષ જૂનો હતો. જેમાં પરણિત મહિલાની સાથે સંબધ રાખો તો પુરુષના વિરુદ્ધ કેસ દાખલ થતો હતો. પરંતુ આ કાયદાને 2018માં ખતમ કરી દેવાયો.

આજે લગ્નેત્તર સંબંધ રાખો તો કોઈ પણ પરણિત મહિલા કે પુરુષને કોઈ પણ પ્રકારની સજાની જોગવાઈ નથી. જો કે પરણિત મહિલા કે પુરુષ જો કોઈ અન્ય સાથે સંબંધ રાખે તો તે મામલો  તલાકનું મોટું કારણ બને છે. તેનો અર્થ એ કે GLEEDEN જેવી એપ જે પરણિત મહિલાઓ અને પુરુષોને એકસ્ટ્રા મેરિટલ ડેટિંગનો મંચ આપી રહી છે તે આ પ્રકારના સંબંધોને પ્રોત્સાહન આપે છે. કાયદાકીય રીતે એકસ્ટ્રા મેરિટલ સંબંધ રાખનારા    પુરુષ કે મહિલા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકાતી નથી.

આ પણ વાંચો :-

ચશ્મા પહેરવા છતાંય રસ્તા પર કેમ કંઈ દેખાતું નથી ? અમદાવાદમાં એક સાથે લાખો વાહનચાલકો અટવાયા !

0

Why can’t see anything on the road despite wearing glasses?

  • ના બહારથી કોઈ નેતા નહોતા આવી રહ્યાં કે રસ્તા બ્લોક કર્યા હોય, રસ્તા ખુલ્લા હોવા છતાંય રસ્તા બ્લોક થઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. કારણકે, વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસને કારણે સાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી. પહેલાં ધુળિયું કહેવાતું અમદાવાદ હવે ધુમ્મસને કારણે ધુંધળું થઈ ગયું છે.

આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં વહેલી સવારથી એક સાથે લાખો વાહનોના હોર્ન રણકવા લાગ્યા. એક સાથે ઠેર-ઠેર રસ્તાઓ પર ટ્રાફિકજામ (Traffic jam) થવા લાગ્યો. એક સાથે સંખ્યાબંધ રાહદારીઓને પણ રસ્તા વચ્ચે વાહનોની ભીડમાં અટવાવું પડયું. ના બહારથી કોઈ નેતા નહોતા આવી રહ્યાં કે રસ્તા બ્લોક કર્યા હોય, રસ્તા ખુલ્લા હોવા છતાંય રસ્તા બ્લોક થઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. કારણકે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસને (Fog) કારણે સાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી.

સામાન્ય રીતે ખાસ કરીને શિયાળાની સિઝનમાં વાતાવરણની અસરના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં આ પ્રકારે ઝીરો વિઝિબલિટીની સમસ્યા જોવા મળતી હોય છે. પણ હવે ગુજરાત અને આપણું અમદાવાદ પણ ધુમ્મસને કારણે ધુંધળું દેખાવા લાગ્યું છે. પહેલાં ધુળિયું કહેવાતું અમદાવાદ હવે ધુમ્મસને કારણે ધુંધળું થઈ ગયું છે.

એકબીજાને અડકીને વાહન ચલાવતા હોય છતાં આગળનું વાહન ન દેખાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એના જ કારણે એક સાથે સંખ્યાબંધ વાહનોના હોર્ન રણકવા લાગતા નોઈસ પોલ્યુશન પણ વધ્યું હતું. સાથે જ કેટલાંક ઠેકાણે લોકો અકસ્માતનો ભોગ પણ બન્યા હતાં. હાલ સ્થિતિ એવી છે કે તમે પણ ઘરેથી નીકળતો તો સાચવજો. કારણકે ઠંડીના કારણે આગમી બે થી ત્રણ દિવસ સુધી કંઈક આ જ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી જાણી લેશો તો તમને આ અંગેની વિગતો મળી જશે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ઝીરો વિઝિબલિટીની સમસ્યા વધારે જોવા મળતી હોય છે. જેને કારણે દિવસ દરમ્યાન પણ વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડે છે. એટલું જ નહીં કોર્ટની ગાઈડલાઈન અનુસાર એજ કારણસર ટુ-વ્હીલર વાહનો જે નવા બને છે એમાં હેડલાઈટ ફરજિયાત ચાલુ રહે તેવી જ બનાવવામાં આવે છે.

જો કે કંઈક આવી જ સ્થિતિ આજે ગુજરાતના શહેરોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે અમદાવાદમાં ધોળા દિવસે કંઈ દેખાતું નથી. વહેલી સવારે વિઝિબલિટી સાવ ઝીરો થઈ જતાં લાખો વાહનચાલકો અટવાયા હતાં.

 શહેરમાં ધુમ્મ્સને કારણે ઝીરો વિઝિબ્લિટી થઈ ગઈ હતી. ખાસ કરીને અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે 132 રીંગ રોડ અને એસ.પી.રિંગ રોડ જેવા મોટા દોરી માર્ગો પર સંખ્યાબંધ વાહનો ઝીરો વિઝિબિલિટીને કારણે અટવાયા હતાં.

50-100 મીટર બાદ વિઝિબ્લિટી ઝીરો થઈ જતી હતી. તેથી વહેલી સવારે ધુમ્મસને કારણે અમદાવાદમાં પણ તમને દિલ્હી જેવા વાતાવરણનો અનુભવ થતો હતો. સામાન્ય રીતે દિલ્હીમાં આ પ્રકારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ જતી હોય છે. આ તો અમદાવાદમાં પણ ઝીરો વિઝિબિલિટીને કારણે નોકરી-ધંધા પર ઉતાવળે જતા લાખો લોકોએ ફરજિયાત ધીમી ગતિએ વાહન ચલાવવા પડી રહ્યા હતાં. વાહનોની હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો :-

30 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકોને મહાદેવની અસીમ કૃપાથી પારિવારિક જીવન રહેશે સુખી

30 January 2023, Today’s Horoscope Gujarat Guardian News Paper

મેષ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરા પક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જૂની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભ
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધુરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતાં સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુન
વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્યજીવનમાં આનંદ જળવાય.

કર્ક
સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગિતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહ
નકારાત્મક વિચારો ઉપર કાબૂ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્ટમેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય.

કન્યા
મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફુર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની‌ જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલા
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિક
આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઈ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલિંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધન
માનસિક પ્રસન્‍નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર
માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભ
દિવસ દરમિયાન મન આનંદમાં રહે. જૂના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોનીકામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો.

મીન
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારું રહેશે.