HomeGujaratમોલ કે હોટેલમાં કેમ કપાયેલા હોય છે ટોયલેટના દરવાજા ? જાણીને કહેશો...

મોલ કે હોટેલમાં કેમ કપાયેલા હોય છે ટોયલેટના દરવાજા ? જાણીને કહેશો કે ભેજાબાજોનું આ કામ છે !

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

Why are the toilet doors cut in the mall or hotel

  • તમે હોટલ કે મોલમાં ટોયલેટનો ઉપયોગ કર્યો જ હશે. ત્યાં તમે જોયું હશે કે ટોયલેટમાં દરવાજા નીચેથી થોડા કપાયેલા હોય છે. શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે ? તમને જણાવી દઈએ કે આ કામ ભૂલથી નથી થયું.

તમે હોટલ કે મોલમાં ટોયલેટનો (Toilets in hotels or malls) ઉપયોગ કર્યો જ હશે. ત્યાં તમે જોયું હશે કે ટોયલેટમાં (Toilets) દરવાજા નીચેથી થોડા કપાયેલા હોય છે. શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે? તમને જણાવી દઈએ કે આ કામ ભૂલથી નથી થયું. પરંતુ તેની પાછળ એક વ્યૂહરચના છે. તો ચાલો જાણીએ કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે.

ઈમરજન્સીમાં કામ આવે છે આ દરવાજો :

જાહેર શૌચાલયમાં અચાનક કોઈની તબિયત બગડી શકે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિની મદદ  સરળતાથી થઈ શકે છે. આ સિવાય બાળકો પણ મોલમાં જાય છે. તેઓ ભૂલથી પણ પોતાની જાતને અંદર લોક કરી દે તો આવી સ્થિતિમાં તેમને બહાર કાઢવા ​સરળ બને.

જલ્દી થાય છે સાફ-સફાઈ :

જાહેર શૌચાલયનો 24 કલાક ઉપયોગ થાય છે. તેવામાં સ્વચ્છતા શક્ય નથી. જો દરવાજા નીચેથી કાપવામાં આવે તો તેને સાફ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તેઓ સરળતાથી પોતુ કરી શકે છે અને આ શૌચાલયને સ્વચ્છ રખાશે.

અસામાજિક તત્વોને કરી શકાય છે કંટ્રોલ :

કેટલાક લોકો સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે જાહેર શૌચાલયનો પણ ઉપયોગ કરે છે. જો દરવાજા નીચેથી કાપી નાખવામાં આવે છે. તો આ લોકો આ કઈ નહીં કરી શકે.

સ્મોકિંગથી થઈ શકે છે તકલીફ :

લોકો જાહેર શૌચાલયમાં ધૂમ્રપાન કરે છે. આવી સ્થિતિમાં બંધ શૌચાલય ખૂબ જોખમી બની શકે છે.  બંધ શૌચાલયમાં ધુમાડાના કારણે નુકસાન થાય છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img