Home Blog Page 1177

181KM ચાલનાર Electric Scooter પર ફિદા થયા ગ્રાહક, જાણો કેટલી છે કિંમત

181KM running electric scooter customers

  • લગભગ 1 વર્ષના સમયગાળામાં ઓલા ઈલેક્ટ્રિક દેશની નંબર વન ઈલેક્ટ્રિક ટુ વ્હીલર વેચનારી કંપની બની ગઈ છે. જાન્યુઆરી મહિનામાં પણ આ કંપનીનો ચાર્મ ચાલુ રહ્યો.

દેશમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની (Electric scooter) માંગ ઝડપથી વધી રહી છે અને ઘણી નવી બ્રાન્ડ્સ આ સેગમેન્ટમાં એન્ટ્રી કરી ચૂકી છે. લગભગ 1 વર્ષના સમયગાળામાં ઓલા ઈલેક્ટ્રિક દેશની નંબર વન ઈલેક્ટ્રિક ટુ વ્હીલર (Electric two wheeler) વેચનારી કંપની બની ગઈ છે. જાન્યુઆરી મહિનામાં પણ આ કંપનીનો ચાર્મ ચાલુ રહ્યો. 8 ફેબ્રુઆરી 2023 ના રોજના વાહન પોર્ટલ અનુસાર ઓલાએ છેલ્લા મહિનામાં 18,274 ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ કર્યું છે. જેમાં કંપનીના Ola S1 અને Ola S1 Pro મોડલના આંકડા સામેલ છે.

ફૂલ ચાર્જમાં 181 KM રેન્જ :

તમને જણાવી દઈએ કે Ola S1 Pro એ પ્રીમિયમ ઓફર છે. તેની કિંમત 1.40 લાખ રૂપિયા છે. સ્કૂટરમાં 4kWh લિથિયમ-આયન બેટરી પેક છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર ફુલ ચાર્જમાં 181 કિમીની રેન્જ આપી શકે છે. સ્કૂટરમાં હાઇપરડ્રાઇવ મોટર છે, જે 11.3bhp અને 58Nm આઉટપુટ આપે છે. Ola S1 Proની ટોપ સ્પીડ 116kmph છે. આ સ્કૂટરની બેટરી રેગ્યુલર ચાર્જર દ્વારા માત્ર 6.5 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે.

Ola S1 ની વાત કરીએ તો તેમાં પણ ઇલેક્ટ્રિક મોટર છે જે 8.5kW પીક આઉટપુટ અને 58Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેની બેટરી ક્ષમતા 2.98kW છે, જેના દ્વારા Ola S1 ને 90 kmph ની ટોપ સ્પીડ અને 121 km પ્રતિ ચાર્જની રેન્જ મળે છે.

આવા લક્ષણો છે :

બંને સ્કૂટરના ફીચર્સ લિસ્ટમાં કોઈ ખાસ તફાવત નથી. તેમની વચ્ચેનો તફાવત માત્ર બેટરી પેકનો છે. બંને મોડલમાં ટ્વીન-પોડ હેડલાઇટ, એપ્રોન-માઉન્ટેડ સ્લીક LED ઇન્ડિકેટર્સ, બૉડી-કલર્ડ ફ્રન્ટ ફેન્ડર્સ, કર્વી સાઇડ પેનલ્સ, સ્લીક LED ટેલલાઇટ્સ અને પાછળ એક બાહ્ય ચાર્જિંગ પોર્ટ છે. તેમાં 36-લિટર અંડર-સીટ સ્ટોરેજ સ્પેસ છે, જેના દ્વારા બે હેલ્મેટ રાખી શકાય છે

આ પણ વાંચો :-

આઈ લવ યુ વાળા વિવાદ બાદ રંગીલા શિક્ષક થયા ઘરભેગા ! વિદ્યાર્થિનીની ફરિયાદને પગલે કડક કાર્યવાહી

After the controversy with I Love You

  • રાજકોટની કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને ગણિતના શિક્ષકે આઈ લવ યુ બોલાવ્યો હોવાનો આક્ષેપ થયો હતો.. બાલમુકુંદ પંડિત નામના ગણિતના શિક્ષક સામે વાલીએ આરોપ લગાવ્યો હતો.

રાજકોટમાં (Rajkot) શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો. રાજકોટ શહેરના રેલ નગરમાં આવેલ કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલની. (Karnavati International School) 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સ્કૂલના મેથ્સના (Maths) શિક્ષકે કરેલી હરકતના કારણે આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો. એટલું જ નહીં ફરી એકવાર આ પ્રકારના કિસ્સાને કારણે શિક્ષણને લાંછન લાગ્યું.

બાલમુકુંદ નામના શિક્ષકે વિદ્યાર્થિનીને એક સંજ્ઞા પૂછતા વિદ્યાર્થિનીનેએ સંજ્ઞા સમજાઈ નહીં. ત્યારે શિક્ષક દ્વારા ચાલુ ક્લાસ દરમ્યાન વિદ્યાર્થીની પાસે બધા વિદ્યાર્થી વચ્ચે I LOVE U મારી સામે બોલવાનું કહેતા વિદ્યાર્થિની માટે આઘાતજનક વાત બની હતી.

બાદમાં વિદ્યાર્થિની દ્વારા અન્ય ક્લાસ દરમ્યાન રડી ઘરે આવી તેની માતા સાથે વાત કરતા સમગ્ર મમલો સામે આવ્યો હતો. માતા પિતા દ્વારા સ્કૂલ સંચાલકો સામે સમગ્ર વાત મૂકતા સ્કૂલના સંચાલકો દ્વારા બાલમુકુંદ નામના મેથ્સ ના શિક્ષક ને આ વર્ષ પુરું થાય પછી છુટા કરી દેવાનું કહેવામાં આવ્યું હતું. તો શું કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ બીજી કોઈ વિદ્યાર્થિની સાથે આવી અથવા આનાથી પણ વધારે ઘટના સર્જાય તેની રાહ જોઈ રહી છે.

વધુમાં વિદ્યાર્થિનીના માતા પિતાને અન્ય વાલીઓ દ્વારા ટેલીફોનીક વાતમાં જણાવ્યું હતું કે તમારી દીકરી સાથે જે ઘટના બનીએ પેલી વાર નથી થયું અન્ય વિદ્યાર્થિની સાથે પણ આનાથી વધારે થયું છે ત્યારે ગંભીર મામલે પીડિતાના વાલી દ્વારા મામલો ઉજાગર કરવા મીડિયાનો સંપર્ક સાધ્યો હતો અને વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા  શિક્ષણ મંત્રી પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

રાજકોટના કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક સામે આરોપ :

ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસે શિક્ષકે I LOVE U બોલાવ્યાનો આરોપ લાગ્યો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીનીની માતાએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારે આ વાતને ધ્યાને લઈને તુરંત જ ખાનગી સ્કૂલના સંચાલકે શિક્ષકને ફરજ મુક્ત કરવાની આપી ખાત્રી. જોકે સમાજની રૂએ હજુ આ મામલે પોલીસ ફરિયાદ કરાઈ નથી.

ઉલ્લેખનીય છે કે  વેલેન્ટાઈન વિક નિમિતે રોઝ ડે હતો ત્યારે શાળામાં આ પ્રકારની ઘટના બની હતી. ત્યારે સ્ફુલ સંચાલકનું એવું નિવેદન સામે આવ્યું હતું કે શિક્ષક તો I LOVE THIS FORMULA બોલાવતા હતા. વાલીને ગેરસમજણ થઈ છે. બાદમાં જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસમાં આવ્યા હતા. જેને ઓડિયો સાથેના સીસીટીવી પણ આપવામાં આવ્યા છે.

વાલીઓના વિરોધને કારણે વિવાદ વધતા કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં. સમગ્ર મામલે DEOના આદેશ બાદ શાળાના સંચાલકોની શાન ઠેકાણે પડી. તેથી તુરંત વિદ્યાર્થિની સાથે કરેલી અભદ્ર ટિપ્પણી મામલે કડક કાર્યવાહી કરીને શાળાએ ગણિતના શિક્ષક બાલમુકુંદ પંડિતને સસ્પેન્ડ કર્યા.

આ પણ વાંચો :-

Gadar 2 માટે સની દેઓલે વસૂલી પાંચ કરોડની ભારે ભરખમ ફીસ, જાણો બાકી સ્ટારકાસ્ટને કેટલી રકમ મળી

Sunny Deol charged a whopping fee of five crores

  • ગદરની અપાર સફળતાના આશરે 22 વર્ષ બાદ એક વખત ફરીથી ગદર-2ની સાથે સની દેઓલ સારી એક્ટિંગ કરતા જોવા મળશે. ફિલ્મ માટે સનીએ 5 કરોડ ફી લીધી છે. આવો જાણીએ બાકી સ્ટાર્સની ફી.

અમીષા પટેલ– (Ameesha Patel) પહેલાની ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ સકીનાના પાત્રમાં આ વખતે ફરીથી અમીષા પટેલ જોવા મળશે. આ ફિલ્મ માટે અમીષાએ 2 કરોડ રૂપિયાની ફી લીધી.

ગદર-2માં ગૌરવ ચોપડા પણ દેખાશે :

ગૌરવ ચોપડાએ (Gaurav Chopra) પોતાના કામથી અલગ ઓળખ બનાવી છે અને તેઓ સની દેઓલની સાથે ફિલ્મમાં ખાસ પાત્રમાં જોવા મળશે. ગૌરવે ફિલ્મમાં 25 લાખ રૂપિયાની ફી લીધી છે. ગદર 2માં સની દેઓલની સાથે લવ સિન્હા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. લવે આ ફિલ્મ માટે 60 લાખ રૂપિયાની ફી લીધી છે.

ગદર 2માં સિમરત કૌર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે :

ગદર 2માં અભિનેત્રી સિમરત કૌર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સિમરતે આ ફિલ્મમાં ફી તરીકે 80 લાખ રૂપિયા લીધા છે.

ફિલ્મમાં ઉત્કર્ષ શર્માએ સની દેઓલના પુત્રની ભૂમિકા ભજવી :

ફિલ્મમાં મનીષ વાધવા પણ જોવા મળશે. તેમણે આ ફિલ્મ માટે આશરે 60 લાખ રૂપિયાની ફી વસૂલ કરી છે. ગદરના બીજા પાર્ટને આવવામાં આશરે 22 વર્ષનો સમય થયો છે અને આ દરમ્યાન તારા સિંહનો પુત્ર પણ મોટો થઇ ગયો છે. ફિલ્મમાં ઉત્કર્ષ શર્માએ સની દેઓલના પુત્રની ભૂમિકા ભજવી છે અને આશરે 1 કરોડ રૂપિયા ફી પેટે વસૂલ્યા છે.

આ પણ વાંચો :-

આ છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ, જેની સાથે આવે છે  ‘હિરાના દાગીના’, કિંમત જાણી ઉડી જશે તમારા હોંશ

This is the world’s most expensive chocolate

  • લે ચોકલેટ બોક્સ (Le Chocolate Box)ને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટનું બોક્સ માનવામાં આવે છે. આ ચોકલેટના બોક્સની કિંમત 1.5 મિલિયન ડોલર એટલે કે આજના હિસાબથી લગભગ 12 કરોડ 33 લાખ રૂપિયાની આસપાસ છે.

આજે 9 ફેબ્રુઆરી છે એટલે કે વેલેન્ટાઈન વીકના (Valentine week) હિસાબથી આજે ચોકલેટ ડે છે. આજે પ્રેમી જોડા એક બીજાને ચોકલેટ આપે છે. આજના દિવસે પ્રેમી જોડી પોતાના હિસાબથી સારી સારી ચોકલેટ (Chocolate) પોતાના સાથી માટે લઈ જાય છે. પરંતુ આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તેમાંથી એકની કિંમતતો એટલી છે કે આટલા રૂપિયામાં તો તમે દેશની રાજધાનીમાં એક શાનદાર ઘર ખરીદી લો. આવો જાણીએ સૌથી મોંઘી ચોકલેટ વિશે…

લે ચોકલેટ બોક્સનો ડબ્બો  :

લે ચોકલેટ બોક્સને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ બોક્સ માનવામાં આવે છે. આ ચોકલેટનો સ્વાદ તો શાનદાર હોય છે. તેની સાથે જ આ બોક્સની સજાવટ પણ સારી હોય છે. તેના ઉપરાંત તેના માંઘા હોવાના પાછળનું કારણ આ બોક્સની સાથે આવનાર જ્વેલરી હોય છે.

ચોકલેટની સાથે આવે છે હિરાના દાગીના : 

હકીકતે આ ચોકલેટ બોક્સની સાથે એક ડાયમંડનો હાર, બંગડી અને વિંટી આવે છે. આ બઝી જ્વેલરી પન્ના અને નીલમથી બનેલી હોય છે. સૌથી શાનદાર વાત એ છે કે આટલી વધારે મોંઘી હોવા છતાં આ ચોકલેટના બોક્સને ખરીદી નથી શકાતી. આ ચોકલેટ બોક્સની કિંમત 1.5 મિલિયન ડોલર એટલે કે આજના હિસાબથી લગભગ 12 કરોડ 33 લાખ રૂપિયા છે.

ફ્રોઝન હાઉતે ચોકલેટ :

દુનિયાની સૌથી મોંઘી ચોકલેટમાંથી એક ફ્રોઝન હાઉતે ચોકલેટ પણ છે. સૌથી ખાસ વાત એ છે કે આ ચોકલેટને દુનિયાની સૌથી મોંઘી મિઠાઈ હોવાનો ગિનીઝ રેકોર્ડ પણ બનાવ્યો છે. 28 કોકો મિશ્રણથી તૈયાર આ ચોકલેટ 23 કેરેટ ખાઈ શકાય તેવા ગોલ્ડથી બની છે.

ચોકલેટની કિંમત પણ ચોંકાવનારી :

ચોંકાવનારી વાત એ છે કે આ સફેદ હિરાની સાથે સોનાના બાઉલમાં સર્વ કરવામાં આવે છે. આ શાનદાર ચોકલેટની કિંમત 25000 ડોલર છે. એટલે કે જો તમે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો લગભગ 20 લાખ 55 હજાર રૂપિયાની આસપાસ છે.

ગોલ્ડન સ્પેક્લડ ચોકલેટ એગ :

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં આ ચોકલેટને મોસ્ટ એક્સપેન્સિવ નોન જ્વેલડ ચોકલેટ એગ કહેવાય છે. આ દુનિયાની ત્રીજી સૌથી મોંઘી ચોકલેટ છે. તેને ગોલ્ડન સ્પેક્લ્ડ ચોકલેટ એગ કહેવાય છે. આ શાનદાર ચેકલેટનું વજન 100 પાઉન્ડ એટલે કે 45 કિલોથી વધારે છે અને આ ત્રણ ફૂટ લાંબી અને બે ઈંચ પહોંળી હોય છે.

આ અનોખી ચોકલેટની કિંમત 11,107 ડોલર છે એટલે કે જો તમે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો લગભગ 9 લાખ 13 હજાર રૂપિયાની આસપાસ હશે.

આ પણ વાંચો :-

 

RBIએ નવો નિયમ લાગુ કર્યો, હવે નકલી નોટો નહીં ચાલે ! જાણો શું છે આ નિયમ

0

RBI implemented a new rule

  • આરબીઆઈના  (RBI)ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે જણાવ્યું હતું કે સિક્કા કાઢવાવાળી મશીનમાં નકલી નોટો નાખવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને UPI આધારિત વિકલ્પ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નવા નિયમના અમલીકરણ પછી, નકલી નોટો ચલણમાંથી બહાર થવાની ધારણા છે. આશા છે કે આવનારા સમયમાં તેનાથી સંપૂર્ણપણે છુટકારો મળી જશે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે જણાવ્યું હતું કે સિક્કા કાઢવાવાળી મશીનમાં (Coin minting machine) નકલી નોટો નાખવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને UPI આધારિત વિકલ્પ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સમસ્યા એ હતી કે આ મશીનોમાં જે પૈસા નાખવામાં આવી રહ્યા હતા તે ઘણા કિસ્સાઓમાં નકલી હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે આ મુદ્દો બન્યો હતો.

નવી સિસ્ટમથી સિક્કાના વિતરણમાં સુધારો થશે :

શંકરે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ બીજા વિકલ્પ પર વિચાર કરવાનું શરૂ કર્યું. ઘણા લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. જેના દ્વારા QR કોડને ‘સ્કેન’ કરી શકાય છે. જેને UPI સાથે લિંક કરી શકાય છે. આ દ્વારા, ભૌતિક નાણાંનો ઉપયોગ કર્યા વિના વેન્ડિંગ મશીનમાંથી સિક્કાઓ ઉપાડી શકાય છે. તેમણે કહ્યું કે દેશમાં મશીનો વિકસાવવામાં આવ્યા છે. આ નવી સિસ્ટમમાં સિક્કાના વિતરણમાં સુધારો થશે.

આરબીઆઈ ખાતામાંથી પૈસા કાપીને સિક્કા આપશે :

અગાઉ RBI ગવર્નર શક્તિકાંત દાસે ‘QR’ કોડ આધારિત ‘કોઈન વેન્ડિંગ મશીન‘ (QCVM) પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. RBI 12 શહેરોમાં QR કોડ આધારિત સિક્કાના વિતરણ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ વેન્ડિંગ મશીનો યુપીઆઈનો ઉપયોગ કરીને બેંક ગ્રાહકોના ખાતામાંથી પૈસા કાપીને સિક્કા પ્રદાન કરશે. હાલમાં ઉપલબ્ધ મશીનોમાં બેંક નોટો મૂકીને સિક્કા કાઢવામાં આવે છે.

ચકાસણીની જરૂર નથી :

દાસે કહ્યું, “કેશ સિક્કા વેન્ડિંગ મશીનમાં પૈસા દાખલ કરવાની અને તેની ચકાસણી કરવાની જરૂર રહેશે નહીં.” શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ 12 શહેરોમાં 19 સ્થળોએ શરૂ કરવાનું આયોજન છે. આ મશીનો રેલ્વે સ્ટેશન, શોપિંગ મોલ, માર્કેટમાં લગાવવામાં આવશે.

શંકરે કહ્યું કે આરબીઆઈ એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહી છે. એક તરફ સિક્કાઓ મોટા પ્રમાણમાં છે અને તેને સંગ્રહિત કરવા માટે વધુ જગ્યાની જરૂર છે. તેમજ તેનું વિતરણ પણ યોગ્ય રીતે થતું નથી.

આ પણ વાંચો :-

સુરત યોજાયેલ લોકડાયરામાં ગુજરાતના લોકગાયિકા પર થયો રૂપિયાનો વરસાદ

0

In the Lokdira held in Surat

  • સુરતના હજીરા સ્થિત રાજગરી ગામ ખાતે શ્રી રાજેશ્વર મહાદેવ મંદિરની 9 મી સાલગીરી નિમિતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું.

અહીં ગીતાબેન રબારી (Geeta Rabari) હાજર રહ્યા હતા જેમાં ગીતાબેન રબારીના ભજન અને ગીતો પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સુરતના હજીરા (Hazira) સ્થિત શ્રી રાજેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર ગ્રામજનોના સહયોગથી નિર્માણ કરાયું છે.

ત્યારે મંદિરની 9 મી સાલગીરી હોય અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરની 9મી સાલગીરીની ઉજવણી ના ભાગરૂપે અહીં લોકડાયરાનું આયોજન કરાયું હતું આ લોકડાયરામાં (Lokdayro) કચ્છી કોયલ ગીતા રબારી (Geeta Rabari) હાજર રહ્યા હતા.

અહીં યોજાયેલા ડાયરામાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગીતા રબારીના ભજન અને ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા આ ઉપરાંત ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ અહીં લોકોએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા 8 લાખ જેટલી રકમ એકત્ર થઈ ગયી હતી આ તમામ રકમ મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે. તેમજ ડાયરા દરમ્યાન મંદિર ગીતા રબારીના ભજન પર લોકો ઝૂમી ઉઠ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અવારનવાર લોક ડાયરાનું આયોજન થાય છે અને અનેક નામી કલાકારો ડાયરામાં હાજરી આપે છે તેમજ લોકો કલાકારો પર રૂપિયાનો વરસાદ કરે છે ત્યારે હજીરા વિસ્તારમાં યોજાયેલા ડાયરામાં પણ ગીતા રબારીના ભજન પર મંત્રમુગ્ધ થઇ લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો :-

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : માતાએ ફોન આપવાની ન કહેતા સગીરાએ….

Warning case for parents

  • સુરતમાં મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીરાને માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ ગળેફાંસો ખાઈ આ*ઘાત કરી લીધો છે.

આજે મોટાભાગના બાળકોથી માંડી યુવાનો અને મહિલાઓમાં મોબાઈલનું (Moblie) વળગણ વકરી રહ્યું છે. ભૂતકાળમાં પણ મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે તેવામાં સુરતમાં મોબાઈલ આ*ઘાતનું કારણ બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કામરેજમાં (Kamrej) 14 વર્ષની સગીરાને માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ આ*ઘાત કરી લીધાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો :

સુરતમાં બનેલી આપઘાતની ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ બની છે. આ મામલે જાણવા મળતી વિગત અનુસાર કામરેજના પરબ ગામે 14 વર્ષની સગીરાએ માતા પાસે મોબાઈલ માંગ્યો અને માતાએ મોબાઈલ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ બાબતે સગીરાને માઠું લાગી આવતા તેણે રૂમમાં પંખા સાથે દુપટો બાંધી આ*ઘાતનો પ્રયાસ કરી લીધો હતો.

જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મોબાઈલનું ન્યુસન બાળકોમાં વધી રહ્યું છે આજે મોબાઈલનું વ્યસન બની ગયું છે. આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતા બાળકોના વાલીઓએ પણ ચેતવુ જોઈએ.

આ પણ વાંચો :-

 

લલિતભાઈ તો આ નવું લાયા ! પકડાયેલા દારૂના જથ્થાના નાશ કરવાને બદલે આવું કરવા સૂચન કર્યું, લોકોએ તો….

0

Lalitbhai brought this new! Instead of destroying

  • કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ CM ભુપેન્દ્ર પટેલને દારૂબંધીને લઈને પત્ર લખ્યો છે.

કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ (Former MLA Lalit Wasoya) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી (Prohibition of alcohol) છે તેમ છતાં વાર્ષિક ૨૦૦ કરોડનો દારૂ પકડાય છે. તો આ દારૂનો નાશ કરવાની જગ્યાએ આપણે તેને અન્ય રાજ્યમાં વહેચી દેવો જોઈએ અને ઓક્શનથી મળતી આ રકમને દેશની રક્ષા કરનારના ફંડમાં આપી દેવી જોઈએ.

પત્રમાં જણાવ્યું કે…

દારૂબંધી બાબતે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સૂચન કરતો એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે આપણા રાજ્યમાં દારૂબંધી છે. આ દારૂબંધી હોવા છતાં રાજ્યમાં વાર્ષિક ૨૦૦ કરોડનો દારૂ પકડવામાં આવે છે અને ત્યારબાદ દારૂનો રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવે છે.

Image

આવું કરવાને બદલે દારૂને જે રાજ્યમાં દારૂબંધી ન હોય તેવા રાજ્યમાં ઓક્શનથી દારૂ વહેચી દેવો જોઈએ. જો આમ કરવામાં આવે તો ઓકશનથી મળતી રકમને દેશની રક્ષા કરનારના ફંડમાં આપી દેવી જોઈએ. આ રકમને શહીદ થનાર જવાનોના પરિવારને મદદરૂપ થવામાં મદદ કરવા ઉપયોગ કરી શકાય છે. હાલ તો આ પત્રને લઈને તમામ લોકો વિચારતા થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે બેફામ દારૂ પીવાઈ પણ છે અને વહેંચાઈ પણ છે. જેના બોલતા પુરાવા રૂપ ગુજરાતમાં ગત માર્ચ માસમાં સત્તાવાર આંકડા જાહેર કરાયા હતા. જેમાં ગુજરાતમાં માર્ચ, 2022 સુધીના છેલ્લા બે વર્ષમાં 215 કરોડનો વિદેશી દારૂ પકડાયો હતો.

આ પણ વાંચો :-

આ 4 વસ્તુ કિન્નરોને ભૂલેચૂકે દાનમાં ન આપતા…નહીં તો જીવન તબાહ થઈ જશે ! 

0

Don’t donate these 4 things to strangers by mistak

  • એ વાતમાં કોઈ બેમત નથી કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કિન્નરોની હાજરી વગર અધૂરું જ ગણાય છે. કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ.

આપણે ત્યાં ધાર્મિક ગ્રંથોમાં (Religious texts) કિન્નરોની ઉત્પતિ વિશે ઉલ્લેખ કરેલો છે. આમ તો કિન્નરોના જન્મને ક્યારેય શુભ ગણાતું નથી. પરંતુ એ વાતમાં કોઈ બેમત નથી કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કિન્નરોની હાજરી વગર અધૂરું જ ગણાય છે. કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ.

કિન્નરોને દાન :

હિન્દુ ધર્મગ્રંથો મુજબ એવી કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ જોવા મળે છે કે જે ક્યારેય કિન્નરોને દાન કરવી જોઈએ નહીં. એવું મનાય છે કે જે વ્યક્તિ આવી ચીજો કોઈ કિન્નરને દાન કરે છે તેના ઘરમાંથી બરકત જતી રહે છે અને ધીરે ધીરે જીવન પાયમાલી તરફ વધે છે.

ઝાડુ :

ધાર્મિક ગ્રંથો મુજબ ઝાડુને ખુબ જ શુભ અને સ્વયં દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ કોઈ કિન્નરને તેનું દાન કરવું ખાસ કરીને નિષેધ છે. કિન્નરોને ઝાડુનું દાન કરવું એ દેવી લક્ષ્મીની નારાજગીનું કારણ બને છે. આથી ભૂલેચૂકે કોઈ કિન્નરને ઝાડુનું દાન કરવું જોઈએ નહીં.

પહેરેલા કપડાં :

ક્યારેય કિન્નરને ગંદા કે પહેરેલા કપડાં દાન કરવા જોઈએ નહીં. આવું દાન આપવાથી તમારા ઘરમાં સમસ્યાઓનું આગમન થાય છે અને જીવન પરેશાનીઓથી ઘેરાય છે. જ્યારે પણ તમે કોઈ કિન્નરને કપડાં આપવા લાગો તો એ વાતનું ધ્યાન જરૂર રાખો કે તે જૂના કે ગંદા ઉપયોગમાં લેવાયેલા ન હોય.

સરસવના તેલનું દાન :

કિન્નરોને ક્યારેય તેલનું દાન કરવું જોઈએ નહીં. તેલનું દાન કરવું એ ઘરમાં દુર્ઘટનાઓ અને પરોક્ષ આફતો તરફ સંકેત આપે છે.

આ પણ વાંચો :-

VIDEO: મહિલા સાંસદે સંસદમાં જ આપી ગાળ, હોબાળો થતાં કહ્યું- જે જેવું હોય એને એવું જ કહું ને

0

VIDEO: The woman MP gave insults in the parliament

  • TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, ‘સફરજનને સફરજન જ કહીશને, સંતરો નહીં’

TMC સાંસદ મહુઆ મોઈત્રાએ (Mahua Moitra) લોકસભામાં મંગળવારે ભાજપનાં સાંસદો માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો જેના પર ભાજપનાં સાંસદોએ નારાજગી દર્શાવી હતી અને માફીની માંગ કરી હતી પરંતુ મોઈત્રા પોતાના નિવેદન પર અડગ છે.

સફરજનને સફરજન કહીશ, સંતરો નહીં- મોઈત્રા

TMC સાંસદે બુધવારે કહ્યું કે ‘ મને નથી ખબર કે મારાથી ક્યાં પ્રકારનાં ભાષણની કલ્પના કરવામાં આવી રહી છે. મેં સદનમાં જે પણ કહ્યું તે ઓન રેકોર્ડ નથી કહ્યું. હવે અમને ભાજપ પાર્ટી શીખવાડશે કે સંસદીય શિષ્ટાચાર શું છે અને શું નહીં. હું સફરજનને સફરજન કહીશ અને સંતરો નહીં. જો તેઓ મને વિશેષાધિકાર સમિતી પાસે લઈ જશે તો હું પોતાનો પક્ષ રાખીશ.’

BJPએ દર્શાવી નારાજગી :

મોઈત્રાએ ગઈકાલે એટલે કે મંગળવારે લોકસભામાં BJP પર પ્રહારો કરતાં અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો જેને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ આપત્તિ દર્શાવી હતી. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે હું તેમને માફી માગવા માટે કહીશ, જો તેઓ આવું નથી કરતાં તો આ તેમની સંસ્કૃતિ છે.

‘…પોતાના પર કંટ્રોલ રાખવો જોઈએ’ – હેમા માલિની

બીજી તરફ મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું કે સદનમાં આવું ન થવું જોઈએ, જે પણ આદરણીય લોકો અહીં આવે છે તેમણે પોતાના પર કંટ્રોલ રાખવો જોઈએ, આટલું ભાવુક થવાની કોઈ જરૂરિયાત નથી, કેટલાક લોકો ઘણાં વધારે ભડકી જાય છે.

સ્પીકરે પણ આપ્યાં હતાં આદેશ  :

મંગળવારે TMCની સાંસદ મહુઆ મોઈત્રાએ અદાણી સમૂહને લગતાં મુદાઓને લઈને લોકસભામાં પ્રહારો કર્યાં હતાં. તૃણમૂલ કોંગ્રેસની આ સાંસદ સદનમાં 2 બર્થડે કેપ પણ લઈને આવી હતી. રાષ્ટ્રપતિએ તેમને આ ટોપીઓ પહેરવાની ના પણ પાડી હતી અને તેમને આ ટેબલથી હટાવવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો :-