HomeGujaratગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર : પાકના નુકસાન પાછળ કમોસમી...

ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર : પાકના નુકસાન પાછળ કમોસમી વરસાદ જવાબદાર નહીં તો…

Date:

Related stories

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

Another big news for the farmers of Gujarat

  • રાજ્યના કૃષિ વિભાગે પાક નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. સર્વે પ્રમાણે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાતના (Gujarat) અન્નદાતાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના (State Govt) કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના પાક નુકસાનીના (Crop damage) સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારના કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં પાકના નુકસાન પાછળ કમોસમી વરસાદ (Unseasonal rain) જવાબદાર ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો :

રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું નથી. રિપોર્ટ પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુકસાન ન થયું હોવાના કારણે વળતરની ચૂકવણી કરવામાં આવશે નહીં.

50 તાલુકાઓમાં માવઠા બાદ સર્વેનો અપાયો હતો આદેશ :

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન ગુજરાતના 14 જિલ્લાના 50 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકસાની થઈ હોવાની શક્યતાને પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વેનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img