જો ભારતમાં ધરા ધ્રુજી તો ગુજરાતના આ શહેર સહિત 38 શહેરોમાં મચી શકે છે ભારે તબાહી

Share this story

If there is an earthquake in India

  • તુર્કી-સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ આફ્ટરશોક્સે ખુબ તબાહી સર્જી છે. હજારો બિલ્ડિંગ તૂટી પડી અને 8000 જેટલા લોકોના જીવ ગયા. ગુજરાતનો આ વિસ્તાર પણ ભૂકંપના ઝોન 5માં આવે છે.

તુર્કી-સીરિયામાં (Turkey-Syria) સોમવારે વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ આવેલા આફ્ટરશોક્સે ખુબ તબાહી સર્જી છે. ભૂકંપની (Earthquake) તીવ્રતા એટલી તેજ  હતી કે હજારો બિલ્ડિંગ તૂટી પડી અને 8000 જેટલા લોકોના જીવ ગયા. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ દેશે આ પ્રકારના તેજ ભૂકંપના આંચકા મહેસૂસ કર્યા. ભારત પણ અગાઉ આ પ્રકારના ઝટકાનો સામનો કરી ચૂક્યું છે. જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા.

ભારતમાં ભૂકંપના કેટલા ઝોન :

ભારતમાં વિનાશકારી ભૂકંપનો ઈતિહાસ રહ્યો છે. ભારતના ભૌગોલિક આંકડા જણાવે છે કે લગભગ 59 ટકા જમીન ભૂકંપની ઝપેટમાં છે. દેશને ચાર ભૂકંપ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાંથી ઝોન 5 ભૂકંપની રીતે સૌથી સક્રિય ક્ષેત્ર છે જ્યારે ઝોન 2 સૌથી ઓછો છે. દેશના લગભગ 11 ટકા ક્ષેત્ર ઝોન 5માં આવે છે. જ્યારે 18 ટકા ઝોન 4માં, 30 ટકા 3 ઝોનમાં અને ઝોન 2માં બાકીનો હિસ્સો આવે છે.

ગુજરાતનો આ ભાગ પર જોખમ :

ભારતમાં ભૂકંપનો પાંચમો ઝોન સૌથી ખતરનાક છે. જેમાં પૂર્વોત્તરના તમામ રાજ્યો, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને ગુજરાતના કચ્છનું રણ અને આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ આવે છે.

ભૂંકપ ઝોન                                          તેની તીવ્રતા

ઝોન 5 (ખુબ ગંભીર તીવ્રતાવાળો વિસ્તાર)    9 કે તેનાથી વધુ

ઝોન 4 (ગંભીર તીવ્રતાવાળો વિસ્તાર)           8ની તીવ્રતા

ઝોન 3 (મધ્યમ તીવ્રતાવાળો વિસ્તાર)           7ની તીવ્રતા

ઝોન 2 (ઓછી તીવ્રતાવાળો વિસ્તાર)           6 કે તેનાથી ઓછી તીવ્રતા

ભારતમાં ક્યારે ક્યારે આવ્યો ભૂકંપ :

ભારતમાં આમ તો અનેકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થાય છે પરંતુ તેમાં કેટલાક ભૂકંપ એટલા વિનાશકારી રહ્યા જેમાં હજારો લોકોના જીવ ગયા. દેશમાં પાંચ ભૂકંપ ખુબ વિનાશકારી સાબિત થયા.

1. અસમમાં 15 ઓગસ્ટ 1950ના રોજ ભૂકંપ આવ્યો હતો. 8.6ની તીવ્રતાવાળા આ ભૂકંપે અસમ અને તિબ્બતમાં ખુબ તબાહી મચાવી હતી. અસમમાં 1500થી વધુ લોકો માર્યા ગયા હતા.

2. મહારાષ્ટ્રના લાતુર- ઉસ્માનાબાદ, કિલ્લારીમાં 1993માં 6.3ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો જેણે 11 હજાર લોકોના જીવ લીધા.

3. 1991માં ચમોલીમાં આવેલા ભૂકંપના કારણે 2000 લોકોના મોત થયા હતા.

4. 2001માં ગુજરાતમાં ભૂજમાં આવેલા ભૂકંપે કાળો કેર વર્તાવ્યો હતો. 7.7ની તીવ્રતાવાળા આ ભૂકંપમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 4 લાખથી વધુ ઈમારતો તબાહ થઈ હતી.

5. સિક્કિમમાં વર્ષ 2011માં આવેલા ભૂકંપમાં 111 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો :-