વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : માતાએ ફોન આપવાની ન કહેતા સગીરાએ….

Share this story

Warning case for parents

  • સુરતમાં મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીરાને માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ ગળેફાંસો ખાઈ આ*ઘાત કરી લીધો છે.

આજે મોટાભાગના બાળકોથી માંડી યુવાનો અને મહિલાઓમાં મોબાઈલનું (Moblie) વળગણ વકરી રહ્યું છે. ભૂતકાળમાં પણ મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે તેવામાં સુરતમાં મોબાઈલ આ*ઘાતનું કારણ બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કામરેજમાં (Kamrej) 14 વર્ષની સગીરાને માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ આ*ઘાત કરી લીધાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો :

સુરતમાં બનેલી આપઘાતની ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ બની છે. આ મામલે જાણવા મળતી વિગત અનુસાર કામરેજના પરબ ગામે 14 વર્ષની સગીરાએ માતા પાસે મોબાઈલ માંગ્યો અને માતાએ મોબાઈલ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ બાબતે સગીરાને માઠું લાગી આવતા તેણે રૂમમાં પંખા સાથે દુપટો બાંધી આ*ઘાતનો પ્રયાસ કરી લીધો હતો.

જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મોબાઈલનું ન્યુસન બાળકોમાં વધી રહ્યું છે આજે મોબાઈલનું વ્યસન બની ગયું છે. આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતા બાળકોના વાલીઓએ પણ ચેતવુ જોઈએ.

આ પણ વાંચો :-