Home Blog Page 113

રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોના રાજીનામા પર કેજરીવાલ અને CM માનનો પ્રથમ રિએક્શન, જાણો શું કહ્યું

0

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પહેલી પ્રતિક્રિયા રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોના આમ આદમી પાર્ટી છોડવા પર આવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી, જ્યારે મુખ્યમંત્રી ભગવંત માનએ પ્રેસ કોન્ફરન્સ કરી અને રાઘવ ચઢ્ઢા અને ભાજપ પર નિશાન સાધ્યું.

અરવિંદ કેજરીવાલે પોસ્ટ કર્યું, ‘ભાજપે ફરી એકવાર પંજાબીઓ સાથે દગો કર્યો છે.’

તે જ સમયે, પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે પાર્ટી મોટી હશે, સંગઠન મોટું છે, વ્યક્તિ મોટી નથી.

મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થિનીનો આપઘાત

મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં એક ઘટના સામે આવી છે.જેમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવને પગલે શિક્ષણ જગતમાં અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતક વિદ્યાર્થીની અસ્મિતા પટેલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂપાલા ગામની વતની હતી અને તે BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની વિગત મુજબ વિદ્યાર્થીની કોલેજની હોસ્ટેલમાં રૂમ નંબર A-208માં રહેતી હતી. નર્સિંગ કોલેજની પરીક્ષા ગઈકાલે જ પૂર્ણ થઈ હતી.જેના કારણે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા અને રૂમમાં તે સમયે કોઈ હાજર નહોતું. આ તકનો લાભ લઈ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

હોસ્ટેલનો સફાઈ કર્મીએ રૂમ સાફ કરવા માટે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી શંકા જતાં દરવાજો તોડીને અંદર જોયું તો યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો અને તુરંત જ કોલેજ સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. તેમજ આત્મહત્યાના કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી તરફ આ કરુણ બનાવની જાણ મૃતકના નવસારી રહેતા પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને તેઓ તાત્કાલિક મહેસાણા આવવા રવાના થયા છે. વિદ્યાર્થીનીએ આટલું મોટું પગલું શા માટે ભર્યું તે રહસ્ય પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

બ્યાવરામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ: વૃદ્ધનું મોત, પત્ની ગંભીર હાલતમાં

0

જિલ્લાના બ્યાવરા શહેરમાં શુક્રવારે વહેલી સવારે દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. શહેરના રાજગઢ બાયપાસ સ્થિત શિવધામ કોલોનીમાં સવારે લગભગ 5 વાગ્યે એક મકાનના રસોડામાં રાખેલા ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી અને બાદમાં જોરદાર વિસ્ફોટ થયો. ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના મકાનોમાં સૂતા લોકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત સુરેન્દ્રસિંહ ભલ્લા (60 વર્ષ)ના ઘરે બન્યો હતો. ઘટના સમયે તેઓ પોતાની પત્ની પદ્મા ભલ્લા સાથે ઘરે હાજર હતા. કહેવાય છે કે રસોડામાં રાખેલા એલપીજી ગેસ સિલિન્ડરમાં અચાનક આગ ભભૂકી ઊઠી, જે થોડા જ પળોમાં વિકરાળ બની ગઈ અને જોરદાર ધડાકા સાથે સિલિન્ડર ફાટી ગયો. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે મકાનનો એક ભાગ નુકસાન પામ્યો અને આગની જ્વાળાઓએ સમગ્ર રસોડાને ઝપેટમાં લઈ લીધું.

આ ઘટનામાં સુરેન્દ્રસિંહ અને તેમની પત્ની પદ્મા ભલ્લા ગંભીર રીતે દાઝી ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી અને બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ બ્યાવરા ખસેડ્યા. પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ તેમને ભોપાલ રેફર કર્યા. પરંતુ દુર્ભાગ્યવશ, રસ્તામાં નરસિંહગઢ નજીક પહોંચતા જ સુરേന്ദ്രસિંહ ભલ્લાનું અવસાન થયું, જ્યારે તેમની પત્ની પદ્મા ભલ્લાની હાલત હજુ પણ નાજુક છે અને સારવાર ચાલુ છે.

ઘટના સમયે દંપતી ઘરમાં એકલા હતા, જેના કારણે સમયસર મદદ મળવામાં થોડો વિલંબ થયો. માહિતી મુજબ, ઘરમાં પીએનજી કનેક્શન સાથે એલપીજી સિલિન્ડર પણ હાજર હતો. પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગેસ લીકેજ અથવા ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોઈ શકે, જોકે ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ બ્યાવરા મોકલી દીધો છે અને મામલાની તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમ પણ સ્થળનું નિરીક્ષણ કરી રહી છે, જેથી વિસ્ફોટના ચોક્કસ કારણો જાણી શકાય.

કેજરીવાલને મોટો ઝટકો: રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠક સહિત 7 સાંસદોએ AAP છોડી ભાજપમાં જોડાયા

0

દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડવાની મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશ સભ્યો સાથે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કરી રહ્યા છે. સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે સંબોધન કરતા ચઢ્ઢાએ કહ્યું કે તેઓ બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને આ પગલું લઈ રહ્યા છે.રાઘવ ચઢ્ઢાએ સાત સાંસદોએ આપ સાથે છેડો ફાડ્યાનો દાવો કર્યો હતો.

ચઢ્ઢાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેમણે જે પાર્ટીને પોતાના લોહી-પરસેવાથી ઉભી કરી હતી, તે હવે પોતાના મૂળ લક્ષ્યોથી ભટકી ગઈ છે અને અંગત ફાયદા માટે કાર્ય કરી રહી છે. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે.

રાઘવ ચઢ્ઢા, અશોક કુમાર મિત્તલ અને સંદીપ પાઠક 2022થી આમ આદમી પાર્ટી (AAP) તરફથી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો છે કે AAPના બે તૃતીયાંશ રાજ્યસભા સાંસદો તેમના સંપર્કમાં છે. જો રાઘવનો દાવો સાચો સાબિત થાય છે, તો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ સાંસદોની સભ્યપદને અસર થશે નહીં, અને આને તકનીકી રીતે કાનૂની વિલીનીકરણ ગણવામાં આવશે. રાઘવના મતે, આ યાદીમાં રાઘવ ચઢ્ઢા પોતે, અશોક મિત્તલ, સંદિપ પાઠક, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, વિક્રમ સહાની અને રાજેન્દ્ર ગુપ્તા જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. જો કે સાતમું નામ હજુ બહાર આવ્યું નથી.

ગાંધીનગરમાં લોખંડી બંદોબસ્ત: ચૂંટણી પૂર્વે પોલીસ એક્શન મોડમાં, 2500થી વધુ જવાનો અને ઉચ્ચ અધિકારીઓ તૈનાત

ગાંધીનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે પોલીસ પ્રશાસને કમર કસી છે. આજ સાંજથી જ સમગ્ર જિલ્લામાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા અને મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લામાં 1,500 પોલીસ જવાનો અને 1,000 હોમગાર્ડ-જીઆરડી ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાના સીધા મોનિટરિંગ માટે 150 જેટલા પીઆઈ (PI), ડીવાયએસપી (DySP) અને એસપી (SP) કક્ષાના ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતરશે. ખાસ કરીને 8 ડીવાયએસપી સહિત એલસીબી અને એસઓજીની ટીમો પણ સતત વોચ રાખશે.

જિલ્લામાં કુલ 210 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મથકો પર કોઈ ગરબડ ન થાય તે માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં ચૂંટણીલક્ષી ગરબડ અને આચારસંહિતાના ભંગને રોકવા માટે 57 પોલીસ મોબાઈલ વાન સતત પેટ્રોલિંગ કરશે. દરેક તાલુકા મથકે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યાં મતદાન બાદ EVM મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે રાખવામાં આવશે.

ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે યોજવા માટે છેલ્લા 25 દિવસમાં પોલીસે આક્રમક અભિગમ અપનાવ્યો છે. અત્યાર સુધીમાં 5,000 લોકોની અટકાયત કરવામાં આવી છે અને અંદાજે 1,000 જેટલા પરવાનાવાળા હથિયારો જમા લેવામાં આવ્યા છે. અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા માટે 10 લોકો સામે પાસા (PASA) અને 6 શખ્સોને તડીપાર કરવાની કાર્યવાહી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ડર વગર બહાર આવે અને લોકશાહીના આ પર્વમાં ભાગ લઈને વધુમાં વધુ મતદાન કરે. સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાને રાખીને પોલીસ સજ્જ છે અને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે.

નળ સરોવર-વિરમગામ હાઇવે પર ભયાનક અકસ્માત: બાળક સહિત ત્રણના મોત

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં અનેક લોકોનું અકાળે મોત પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં ફરી એક અકસ્માતની ઘટના સર્જાઈ છે. નળ સરોવર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જોય છે. આ અકસ્માતમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માતની વાત કરવામાં આવે તો, કમીજલા અને વનથળ ગામ વચ્ચે આ ઘટના સર્જાઈ હતી. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે એક પીકઅપ વાહનચાલકે બાઈકને અડફેટે લીધું હતું.

આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થઈ ગયું છે. જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં છે. અત્યારે તે મહિલાની સ્થિતિ વધારે ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અકસ્માત આજે સવારે 8 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. અકસ્માત એટલે ભયાનક હતો કે, આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં અને સત્વરે બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ અકસ્માતમાં એક માસૂમ બાળક સહિત ત્રણ લોકોના મો થયાં છે, તેમાં એક મહિલા પણ સામેલ છે.

પોલીસના જણાવ્યાં પ્રમાણે તમામ મૃતકો મૂળ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના રહેવાસી હતા. આ લોકો લખતરથી બાઈકને લઈને આવી રહ્યાં હતા અને રસ્તામાં તેમને કાળ ભરખી ગયો હતો. મૃતકો બાઈક લઈને પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન પાછળથી આવી રહેલા પીકઅપે ઓવરટેક કરતા અડફેટ મારી હતી. પીકઅપ ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે વિરમગામ પોલીસે પીકઅપ ચાલક સામે ફરિયાદ નોંધી અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કાળઝાળ ગરમીમાં રાહતની આશા: 28 એપ્રિલ બાદ વરસાદ અને કરાની આગાહી

0

ગુજરાતમાં ઉનાળો હવે તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો જવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અત્યારે સવારથી જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 28 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી પડશે. આ વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે સૂચના આપવામાં આવી છે.

માત્ર મધ્ય કે ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે. કચ્છના રણ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધતા ત્યાંના સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળશે. અહીં સમુદ્ર કિનારાના વિસ્તારો હોવાથી ભેજવાળા પવનો ફૂંકાશે, જેને કારણે તાપમાન ભલે ઓછું હોય પરંતુ બફારા અને ઉકળાટનું પ્રમાણ અસહ્ય બની શકે છે. સુરત, વલસાડ અને નવસારી જેવા શહેરોમાં ભેજને કારણે લોકો પરસેવે રેબઝેબ થશે.કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યવાસીઓ માટે એક રાહતના સમાચાર પણ છે. 28 એપ્રિલ બાદ રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. પશ્ચિમ વિક્ષેપસક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. આ પલટાને કારણે કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યવાસીઓ માટે એક રાહતના સમાચાર પણ છે. 28 એપ્રિલ બાદ રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. આ પલટાને કારણે કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ઊનામાં AAP ઉમેદવાર પર ફાયરિંગ! ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ગુજરાતમાં મ્યુનિસિપલ બોડીની ચૂંટણીઓ યોજાવાની છે. આમ આદમી પાર્ટી (AAP) આ ચૂંટણીઓ પૂરા જોશથી લડી રહી છે. હવે આ ચૂંટણીઓ દરમિયાન AAP એ આરોપ લગાવ્યો છે કે તેના એક ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ઉનામાં પાર્ટીના ઉમેદવાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ઘાયલ ઉમેદવારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે પોલીસે આવી કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે તેમના ઉમેદવાર અજયભાઈ પર ઉનામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં આ બાબત પર ટિપ્પણી કરતા ગઢવીએ લખ્યું: “ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેઓ હાલમાં હોસ્પિટલમાં છે અને સારવાર હેઠળ છે. અમને અમારા ઉમેદવાર પર ગર્વ છે કારણ કે ભાજપે આ નગરપાલિકાને બિનહરીફ જીતવા માટે અનેક પ્રયાસો કર્યા હોવા છતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ડર્યા વિના લડવાનો નિર્ણય લીધો હતો. પ્રવીણ રામે AAP ઉમેદવારને મળવા હોસ્પિટલની મુલાકાત લીધી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

“ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર હુમલા અંગેના આરોપો બાદ અરવિંદ કેજરીવાલે પણ આ બાબત પર ભાર મૂક્યો. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું: “હું અજયભાઈના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. આમ આદમી પાર્ટીનો નિર્ભયતાથી લોકોનો અવાજ ઉઠાવવાનો અને સત્તામાં રહેલા લોકોને પડકારવાનો સંકલ્પ… કદાચ આ એવી બાબત છે જેને કેટલાક લોકો સહન કરી શકતા નથી. જોકે ગુજરાતના સામાન્ય લોકોએ હવે ગુંડાગીરી સામે ન ઝૂકવાની પ્રતિજ્ઞા લીધી છે. ગુજરાતના લોકો હવે પાછળ નહીં હટે… તેઓ ખાતરી કરશે કે તેઓ તેમના અધિકારો સુરક્ષિત કરે.”

ઝઘડિયા GIDCમાં ભયંકર બ્લાસ્ટ: પ્લાન્ટમાં આગ ભભૂકી, 10થી વધુ કામદારો દાઝ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં બુધવારે ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી હતી. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને થોડા જ પળોમાં પ્લાન્ટ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયો હતો.

વિસ્ફોટ પછી આકાશમાં ઘન કાળા ધુમાડાના ગોટેગોટા ઊઠતા દેખાયા હતા, જેના કારણે આસપાસના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘણા કામદારો સુરક્ષિત સ્થળે ભાગવા લાગ્યા હતા, જેના કારણે સ્થળ પર અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટનામાં પ્લાન્ટમાં કામ કરતા 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. કેટલાક કામદારોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરો ભારે મહેનત કરી રહ્યા છે. બચાવ કામગીરી સાથે આગને વધુ ફેલાતી અટકાવવા માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. સુરક્ષા માપદંડોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ તપાસ થશે. આ ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે, અને સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી છે.

સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: આરોપી મોજબ્બીર હમસુદીનની ધરપકડ

સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સારોલી વિસ્તારમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. લઘુમતી સમાજના યુવકે દુષ્કર્મ આવ્યું છે. સારોલી પોલીસે ગુનો દાખલ કરી આરોપી મોજબ્બીર હમસુદીનની ધરપકડ કરી છે.

એ 3 વર્ષની બાળકી પર શું વીતી હશે! વિચારીને પણ આંખમાં આસું આવી જાય, એ પરિવાર અત્યારે કેવા દર્દમાં હશે જેની દીકરી રમત રમવાની ઉંમરે આ વિકૃત સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. મહત્વનું છે કે હજી થોડા સમય પહેલા જ સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતિય યુવક દ્વારા માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના બની હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બીજી બાળકીને અન્ય એક નરાધમે હવસનો શિકાર બનાવી છે.

સારોલી વિસ્તારમાં નેચરવેલી હોમ્સની પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં રહેતો એક શ્રમિક પરિવાર ગત તારીખ 23/04/2026ના રોજ બપોરના સમયે કામકાજમાં વ્યસ્ત હતો. આ સમયે તેમની ત્રણ વર્ષની માસૂમ દીકરી ઘરે એકલી હતી. દીકરીની માતા તેના પતિને ખાવા માટે બોલાવવા માટે ગઈ હતી, ત્યારે બાળકી બાથરૂમમાં ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી બાજુમાં જ રહેતા મોજબ્બીર મોહમ્મદ હસામુદીન (મૂળ રહે. બિહાર) નામના શખ્સે અગાસી પર ચઢી બાળકીની એકલતાનો લાભ લીધો હતો. તેણે બાળકી સાથે ગંભીર શારીરિક અડપલાં કર્યા હતા.