HomeGujaratનળ સરોવર-વિરમગામ હાઇવે પર ભયાનક અકસ્માત: બાળક સહિત ત્રણના મોત

નળ સરોવર-વિરમગામ હાઇવે પર ભયાનક અકસ્માત: બાળક સહિત ત્રણના મોત

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં અનેક લોકોનું અકાળે મોત પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં ફરી એક અકસ્માતની ઘટના સર્જાઈ છે. નળ સરોવર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જોય છે. આ અકસ્માતમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માતની વાત કરવામાં આવે તો, કમીજલા અને વનથળ ગામ વચ્ચે આ ઘટના સર્જાઈ હતી. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે એક પીકઅપ વાહનચાલકે બાઈકને અડફેટે લીધું હતું.

આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થઈ ગયું છે. જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં છે. અત્યારે તે મહિલાની સ્થિતિ વધારે ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અકસ્માત આજે સવારે 8 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. અકસ્માત એટલે ભયાનક હતો કે, આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં અને સત્વરે બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ અકસ્માતમાં એક માસૂમ બાળક સહિત ત્રણ લોકોના મો થયાં છે, તેમાં એક મહિલા પણ સામેલ છે.

પોલીસના જણાવ્યાં પ્રમાણે તમામ મૃતકો મૂળ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના રહેવાસી હતા. આ લોકો લખતરથી બાઈકને લઈને આવી રહ્યાં હતા અને રસ્તામાં તેમને કાળ ભરખી ગયો હતો. મૃતકો બાઈક લઈને પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન પાછળથી આવી રહેલા પીકઅપે ઓવરટેક કરતા અડફેટ મારી હતી. પીકઅપ ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે વિરમગામ પોલીસે પીકઅપ ચાલક સામે ફરિયાદ નોંધી અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Subscribe

Latest stories

spot_img