Home Blog Page 1110

માં અંબાની કૃપા ! અંબાજી મંદિરમાં 15 દિવસની કરોડો રૂપિયાની આવક, દાનવીરોએ દિલ ખોલીને દીધું

0

Amba’s grace

  • અંબાજી મંદિરમાં 15 દિવસમાં મુખ્ય ભંડારાની 1.60 કરોડની આવક અને મોહનથાળ પ્રસાદની આવક 4. 80 લાખ રૂપિયાની આવક થઈ છે.

અંબાજી મંદિર (Ambaji temple) લાખો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન છે. જ્યા ભક્તો દારા છુટ્ટા હાથે દાન દેવામાં આવતા દાનના ભંડાર ભરપૂર થયા છે. મંદિરમાં માત્ર 15 દિવસમાં કરોડો રૂપિયાની આવક થવા પામી હતી. જેને સમિતિના સભ્યો અને સીસીટીવીની (CCTV) દેખરેખ હેઠળ ગણતરી કરવામાં આવી હતી. માની કૃપા અપરંપાર હોય તેમ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું હતું.

મંદિરના મુખ્ય ભંડારાની રૂ.1.60 કરોડની આવક :

વાત કરવામાં આવે તો મંદિરના મુખ્ય ભંડારામાં રૂપિયા 1.60 કરોડની આવક થવા પામી છે. જ્યારે ભટ્ટજીની ગાદીની રૂપિયા 37. 71 લાખની આવક થઈ છે. જ્યારે મંદિરના ભેટ કેન્દ્રની રૂપિયા 45. 85 લાખની આવક નોંધાઇ છે. તે જ રીતે સુવર્ણ શિખર માટે રૂપિયા 14.60લાખનું દાન મળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેજ રીતે મોહનથાળ પ્રસાદ પેટે  4.80 લાખ અને ચિક્કી પ્રસાદની રૂપિયા 53 હજારની આવક થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

5 કિલો 800 ગ્રામ ચાંદીના દાગીના મળ્યા :

વધુમાં VIP સ્વાગત કક્ષની રૂપિયા 3. 20 લાખ, તેમજ 5 કિલો 800 ગ્રામ ચાંદીના દાગીના મળ્યા અને 820 ગ્રામ સોનાના દાગીના અને લગડી મળ્યા છે. આમ દાનવીરો દિલ ખોલીને વરસી પડતા મંદિરમાં ધનના ઢગલા થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો :-

આ કંપનીના શેર એટલે રોકેટ, 5 દિવસમાં જ આપ્યું 70% વળતર ; સતત ઉપર જઈ રહ્યા છે ભાવ

0

Shares of this company

  • મંગળવારે 18 એપ્રિલ, 2023ના રોજ શેરબજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ ડીસીએમ ફાઈનાન્શિયલ સર્વિસિઝના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. માર્કેટમાં કારોબાર શરૂ થતાની થોડી વાર પછી આ શેરમાં અપર સર્કિટ લાગ્યું અને તે 9.48 ટકાના ઉછાળા સાથે 6.35 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા.

શેરબજારમાં (Stock market) બહુ જ ઉતાર-ચઢાવ બનેલો છે. આમાં કયો શેર ક્યારે આસમાને પહોંચે અને કયો શેર કંગાલ બનાવી દે તે કહી ન શકાય. બજારમાં જોરદાર વળતર આપનારા ઘણા શેર ઉપલબ્ધ છે. જે તેમના રોકાણકારોને (Investors) જોરદાર ફાયદો કરાવી રહ્યા છે. આવો જ એક શેર છે DCM Financial Services જેમાં રૂપિયા લગાવનારા લોકોને ગત 5 દિવસોથી જલસાં પડી ગયા છે. આ દરમિયાન શેરનો ભાવ 70 ટકા વધ્યો છે.

મંગળવારે 18 એપ્રિલ, 2023ના રોજ શેરબજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ ડીસીએમ ફાઈનાન્શિયલ સર્વિસિઝના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. માર્કેટમાં કારોબાર શરૂ થતાની થોડી વાર પછી આ શેરમાં અપર સર્કિટ લાગ્યું અને તે 9.48 ટકાના ઉછાળા સાથે 6.35 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા.

DCM Financial Servicesના આ શેરની કિંમતમાં ગત 5 કારોબારી દિવસોમાં જ 70 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સમયમાં આ શેરની ચાલ પર નજર કરીએ, તો 11 એપ્રિલે તેની કિંમત 3.80 રૂપિયા હતી. જે આગામી દિવસ એટલે કે 12 એપ્રિલના રોજ 4.05 રૂપિયા પર પહોંચી ગઈ.

તેના આગામી દિવસે 13 એપ્રિલે તે 4.85 રૂપિયા પર પહોંચીને બંધ થયા. 17 એપ્રિલ સોમવારે પણ આ શેરમાં જોરદાર તેજી કાયમ રહી અને બજાર બંધ થવાના સમયે શેર 5.80 રૂપિયાના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે આ શેરનો ભાવ 6.35 રૂપિયા સુધી પહોંચ્યો હતો.

માત્ર પાંચ દિવસોમાં જ નહિ પણ DCM Financial Servicesના આ શેરે તેના રોકાણકારોને ગત 1 વર્ષમાં જોરદાર વળતર આપ્યું છે. આ શેરના ભાવામં 1 વર્ષમાં 126.79 ટકાનો વધારો થયો છે. 18 એપ્રિલ 2022ના રોજ તેની કિંમત 2.80 રૂપિયા હતી. આ વચ્ચે 22 સપ્ટેમ્બર 2022ના રોજ આ શેરે તેની 52 સપ્તાહની ઊંચાઈને સ્પર્શ કરી હતી અને તે ઉછળીને 11.20 રૂપિયા પર પહોંચી ગયો હતો. જ્યારે આ શેરની 52 સપ્તાહની નીચી સપાટી 2.50 રૂપિયા છે.

ગત 5 વર્ષોમાં પણ આ શેર તેના રોકાણકારો માટે ફાયદાનો સોદો સાબિત થયો છે. આ દરમિયાન શેરે લગભગ 225 ટકાનું વળતર આપ્યું છે. આ એક સ્મોલ કેપ કંપની છે અને ઈક્વિપમેન્ટ લીજિંગ, હાયર-પર્ચેજ, એન્ટર-કોર્પોરેટ ડિપોઝીટ, બિલ છૂટ વગેરે જેવી તમામ તેવાઓ આપવાનું કામ કરે છે.

કોંગ્રેસના આ નેતાએ માફિયા અતીકને ભારત રત્ન આપવાની કરી માંગણી, પાર્ટીએ જાણો શું કરી કાર્યવાહી

0

This Congress leader

  • પ્રયાગરાજ શહેર કોંગ્રેસ કમિટીના નગર અધ્યક્ષ પ્રદીપ કુમાર મિશ્ર ‘અંશુમન’ નું કહેવું છે કે રાજકુમારનું માનસિક સંતુલન ઠીક નથી. એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો જેમાં રાજકુમાર અતીક અહેમદને ભારત રત્ન અપાવવાની માંગણી કરી રહ્યા હતા.

અતીક અહેમદને (Atiq Ahmed) ભારત રત્ન (Bharat Ratna) આપવાની માંગણી કરનારા કોંગ્રેસના નેતા રજ્જુ ભૈયા ઉર્ફે રાજકુમારને પાર્ટીએ છ વર્ષ માટે કાઢી મૂક્યા છે. પ્રયાગરાજ શહેર કોંગ્રેસ કમિટીના નગર અધ્યક્ષ પ્રદીપ કુમાર મિશ્ર ‘અંશુમન’ નું કહેવું છે કે રાજરકુમારનું માનસિક સંતુલન ઠીક નથી. એક વીડિયો પણ વાયરલ (Viral Video) થઈ રહ્યો હતો જેમાં રાજકુમાર અતીક અહેમદને ભારત રત્ન અપાવવાની માંગણી કરી રહ્યા હતા. ત્યારબાદ એક વધુ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તેઓ અતીક અને અશરફની કબર પર તિરંગો બીછાવી રહ્યા હતા. સાંજ સુધીમાં રાજકુમારને (RajKumar) અટકાયતમાં લેવામાં આવ્યા.

પ્રયાગરાજ શહેર કોંગ્રેસ કમિટીના નગર અધ્યક્ષ પ્રદીપ કુમાર મિશ્ર ‘અંશુમન’ નું કહેવું છે કે રાજરકુમારનું માનસિક સંતુલન ઠીક નથી. એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો જેમાં રાજકુમાર અતીક અહેમદને ભારત રત્ન અપાવવાની માંગણી કરી રહ્યા હતા.

રાજકુમાર આઝાદ સ્કવેર વોર્ડ નંબર 43થી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે એક વીડિયોમાં કહ્યું હતું કે અતીક અહેમદનું યોગી સરકારે મર્ડર કરાવ્યું છે. અતીક અહેમદ સાંસદ હતા. તેમને રાજકીય સન્માન સાથે દફનાવવા જોઈતા હતા. જ્યારે મુલાયમ સિંહ યાદવને પદ્મ વિભૂષણ મળી શકે તો અતીક અહેમદને ભારત રત્ન કેમ નહીં.

ત્યારબાદ એક વધુ વીડિયો વાયરલ થયો જેમાં તેઓ બે કબરની સામે ઊભા છે. જેમાંથી એક પર તિરંગો બીછાવીને અતીક અહેમદ અમર રહેના નારા લગાવી રહ્યા છે. આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અંશુમને જણાવ્યું કે રજ્જુએ માફિયા અતીક પર જે નિવેદન આપ્યું તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. આ રજ્જુનું અંગત નિવેદન છે તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. પાર્ટીએ અનુશાસનાત્મક કાર્યવાહી કરતા રજ્જુની કોર્પોરેટરની ઉમેદવારી પણ પાછી લઈ લીધી છે.

આ પણ વાંચો :-

Yemen Stampede : યમનની રાજધાની સનામાં નાસભાગ, 78ના મોત, અનેક ઘાયલ

Yemen Stampede

  • યમનની રાજધાની સનામાં ભાગદોડ મચી ગઈ છે. જેમાં 78 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. તે જ સમયે આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા છે.

યમનની (Yemen) રાજધાની સનાથી (Sana) ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહીં નાસભાગમાં 78 લોકોના મોત થયા છે. તો બીજી તરફ નાસભાગ દરમિયાન અનેક લોકો લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર નાસભાગમાં ઘાયલ 13 લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. તેની સારવાર ચાલી રહી છે. રાહત સામગ્રીના વિતરણ દરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી.

બચાવ કામગીરીમાં સામેલ બે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે શાળામાં સેંકડો લોકો દાન એકત્રિત કરવા માટે એકઠા થયા હતા. દરેક વ્યક્તિને 5,000 યમની રિયાલ અથવા લગભગ $9 US મળવાના હતા. પરંતુ આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.

તો બીજી તરફ યમનના ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે દાનનો આ કાર્યક્રમ બે ઉદ્યોગપતિઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે. નાસભાગનું કારણ જાણવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

 Whatsapp યૂઝર્સ માટે સૌથી મજેદાર અપડેટ, એપમાં આવ્યું ફેસબુક બટન, આવી રીતે કરશે કામ

The most fun update for Whatsapp users

  • લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ Whatsappનું સ્ટેટસ હવે તમે Facebook પર એક ક્લિકથી શેર કરી શકશો. હવે વોટ્સએપ સ્ટેટસ આપમેળે ફેસબુક સ્ટોરીઝ સેક્શનમાં શેર થઈ શકશે.

લગભગ દર મહિને મેસેજિંગ એપ Whatsapp નવાં-નવાં ફિચર્સ લોન્ચ કરી રહ્યું છે. જેના કારણે યૂઝર્સને વધુ સારો અને સુરક્ષિત ચેટિંગ અનુભવ મળી શકે છે. લેટેસ્ટ અપડેટ એવો છે કે જેમાં એક બટન અથવા એક ક્લિકની મદદથી યૂઝર પોતાનું વોટ્સએપ સ્ટેટસ ફેસબુક પર પોસ્ટ કરી શકશે. આ અપડેટ તમારા વોટ્સએપ અને ફેસબુકને જોડે છે. હવે યૂઝર્સ માત્રે એક બટન પર ટેપ કરીને ફેસબુક (Facebook) પર સ્ટેટસ શેર કરી શકશે.

સેટિંગ ઈનેબલ કર્યાં બાદ મળશે સુવિધા

ઈંસ્ટાગ્રામ યૂઝર્સને પોતાની સ્ટોરી ફેસબુક પર શેર કરવાનો સરળ વિકલ્પ ઘણાં સમયથી મળી ગયો છે અને હવે આવો જ એક મોકો વોટ્સએપ સ્ટેટસને પણ મળવા જઈ રહ્યો છે. વોટ્સએપ સ્ટેટસની જેમ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ પણ 24 કલાક માટે શેર થઈ શકે છે અને ત્યારબાદ આપોઆપ ગાયબ થઈ જાય છે. વોટ્સએપે ઘોષણા કરી છે કે હવે વોટ્સએપ સ્ટેટસ આપમેળે ફેસબુક સ્ટોરીઝમાં એક ક્લિક માત્રથી શક્ય બની શકશે. આ સુવિધા મેળવવા માટે યૂઝરે આ વિકલ્પને ફેસબુક સેટિંગ પર ઈનેબલ કરવું પડશે.

એક ક્લિકથી થશે શેર :

હવે My Statusની સાથે Share આઈકન પણ દેખાશે. આ બટન પર ટેપ કર્યાં બાદ વોટ્સએપ સ્ટેટસને સરળતાથી ફેસબુક સ્ટોરીમાં શેર કરી શકાશે. એટલું જ નહીં, યૂઝર ઈચ્છે તો વોટ્સએપ સ્ટેટસને આપમેળે ફેસબુક સ્ટોરીમાં શેર થાય તેવો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

થોડા સમયમાં મળશે આ ફિચર :

પ્લેટફોર્મે જણાવ્યું કે ઓટોમેટિકલી શેર સ્ટેટસ ઓન ફેસબુક ફીચર તમામ યૂઝર્સ માટે મોબાઈલ એપમાં રોલઆઉટ કરવામાં આવશે. આ અપડેટ તમામ વોટ્સએપ યૂઝર્સને આવતા કેટલાક સપ્તાહમાં મળી શકે છે. આ નવો અપડેટ મળ્યાં બાદ  સ્ટેટસ શેરિંગ ઈનેબલ કરી શકાશે અને આ સ્ટેટસ અપડેટ્સ પણ એન્ડ-ટૂ-એન્ડ ઈનક્રિપ્ટેડ રહેશે. યૂઝર્સ નક્કી કરી શકશે કે તેમનો સ્ટેટસ કોણ જોઈ શકે અને કોણ નહીં.

આ પણ વાંચો :-

 

Ola Uber Booking : મોબાઈલમાં બેટરી ઓછી હશે તો ચૂકવવું પડશે વધુ ભાડું, આ ટ્રિકથી લોકોના ખિસ્સા થઈ રહ્યા છે ખાલી

Ola Uber Booking

  • Ola Uber Booking Fraud with Mobile Battery : ઓનલાઈન કેબ બુક કરાવતી વખતે અલગ અલગ રીતે લોકોના ખિસ્સા પર કાતર મુકવામાં આવે છે. આજે આવી જ એક ટ્રીક વિશે તમને જણાવીએ. આ વાત જાણીને તમે પણ કેબ બુક કરાવતાં પહેલા ફોનને ફુલ ચાર્જ કરી લેશો.

જો તમે વિચારતા હોય કે આવું કેવી રીતે થઈ શકે તો ચાલો તમને જણાવીએ કે આવું કઈ રીતે કરવામાં આવે છે. આ પ્રકારની છેતરપિંડી ઓલા કે ઉબેર બુક (Uber Book) કરાવતા કોઈપણ વ્યક્તિ સાથે થઈ શકે છે.

માની લો કે તમારા ફોનની બેટરી લો છે અને તમને કેબ બુક (Cab Book) કરાવવાની ઉતાવળ છે તો તમારા ફોનમાં કેબ બુકિંગના ચાર્જિસ વધારે દેખાશે. તમે ઉતાવળમાં હશો તેથી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના કેબ બુક કરી લેશો. આ વાત ઓલા અને ઉબેર જેવી કેબ બુકિંગ એપ્લિકેશન (Cab Booking App) સારી રીતે જાણે છે કે મુશ્કેલના સમયમાં લોકો વધારે ખર્ચ પણ કરી શકે છે.

આવી જ રીતે કેબ બુકિંગ એપ્લિકેશન તમારા ફોનના મોડલના આધારે પણ ભાડું વધારે કરી શકે છે. Iphone અને મોંઘા મોડલ્સ ના ફોન ઉપર ભાડું વધારે જોવા મળશે અને સસ્તા ફોન ઉપર ઓછું ભાડું. એટલે કે તમારી પ્રોફાઈલ ના આધારે ઓલા અને uber જેવી એપ્લિકેશન કેબ બુકિંગ નો રેટ નક્કી કરે છે.

ઓલા અને ઉબેર જેવી કેબ બુકિંગ એપ્લિકેશન fare વાળા fraud ને તમારા ફોનની બેટરી પર્સન્ટેજ ના આધારે અંજામ આપે છે. એપ્લિકેશન નક્કી કરે છે કે કયા વ્યક્તિ પાસેથી કેટલું ભાડું વસૂલ કરી શકાય. જોકે આ પ્રકારનું ફ્રોડ માત્ર ભારતમાં ચાલે છે એવું નથી દુનિયાભરની કેબ બુકિંગ એપ્લિકેશનમાં આ રીતે ભાડું વસૂલવામાં આવે છે. આ અંગે એક રિપોર્ટમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે ઓનલાઇન કેબ બુકિંગ એપ્લિકેશન તેનું ભાડું યુઝરને મોબાઇલની બેટરી લેવલના આધારે વધારે છે.

આ વાતની ચકાસણી કરવા માટે એક એક્સપેરિમેન્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં બેલ્જિયમના એક અખબાર ડૈનિયર હ્યૂરના એક વ્યક્તિ બૃસેલ્સમાં આવેલી ઓફિસ સુધી જવા માટે બે સ્માર્ટ ફોનથી કેબ બુક કરાવી હતી. જેમાં એક ફોનની બેટરી 84% આસપાસ હતી. જેમાં ભાડું 16.6 યુરો દેખાડવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક સ્માર્ટફોનમાં બેટરી 12% હતી અને તેમાં ભાડું 17.56 યુરો દેખાડવામાં આવ્યું. બંને જગ્યાનું લોકેશન એક જ હતું છતાં પણ ભાડામાં ફેરફાર જોવા મળ્યો.

આવી જ રીતે પેરિસ શહેરમાં પણ એક એક્સપીરમેન્ટ કરવામાં આવ્યો હતો જેમાં બે સ્માર્ટફોનની મદદથી કેવુ બુક કરવામાં આવી. એક ફોનમાં 10 ટકા બેટરી હતી તો તેમાં ભાડું 20.47 જોવા મળ્યું અને જે ફોનમાં 80 ટકા બેટરી હતી તેમાં 17.56 યુરો ભાડુ જોવા મળ્યું.

ઉબેરના આર્થિક નીતિઓના પૂર્વ પ્રમુખ કીથ ચેન વર્ષ 2016માં તેના કાર્યકાળ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિના મોબાઈલમાં બેટરી 5 ટકા કે તેનાથી ઓછી હોય તો તે વધારે પૈસા આપીને પણ કેબ બુક કરાવી લેવા તૈયાર હોય છે.

આ પણ વાંચો :-

20 એપ્રિલ 2023 આજનું રાશિફળ : આ રાશિના જાતકો કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેજો નહીંતર બુધવાર બગડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

20 April 2023 Today’s Horoscope

મેષઃ
આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારાફળ મળતા જણાશે. સુખ-શાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભઃ
ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુનઃ
નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક  સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃધ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્કઃ
માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહઃ
આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યાઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલાઃ
જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. ‌પ્રિય પાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગ્યમાં વૃધ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિકઃ
આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી, ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધનઃ
થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકરઃ
માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન-વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ
પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મીનઃ
દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

બોલીવુડ એક્ટ્રેસ માહી ગીલે ફેન્સને ચોંકાવ્યાં, છાનામાના કરી લીધા લગ્ન, કોણ છે તેનો વર

Bollywood actress Mahi Gill  

  • Bollywood : 6 વર્ષીય બાળકીની માતા અને ફેમસ એક્ટ્રેસ માહી ગિલે બીજા લગ્ન કર્યાં છે. નવાઈની વાત તો એ છે કે તેણે ગુપચુપ રીતે આ લગ્ન કરી ફેન્સને ચોંકાવી દીધાં છે.

47 વર્ષની અત્યંત સુંદર એક્ટ્રેસ માહી ગિલ (Mahi Gill) પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ વાતોને લઈને હંમેશા ચર્ચામાં હોય છે. તેણે દેવ ડી, ગુલાલ, સાહેબ બીબી ઓર ગેંગસ્ટર, પાન સિંહ તોમર (Pan Singh Tomar) જેવી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી છે. છેલ્લાં 2 વર્ષોથી માહી ન તો વેબ સીરીઝમાં જોવા મળી રહી છે ન તો સિનેમામાં. હવે ખબર મળી છે કે માહીએ ચુપચાપ બીજાં લગ્ન કરી લીધાં છે અને હાલમાં પોતાના પતિ સાથે ગોવામાં રહે છે.

‘હા મેં તેમની સાથે લગ્ન કરી લીધાં છે.’

મીડિયા રિપોર્ટ અનિસાર માહી પોતાના પતિ રવિ કેસર અને પુત્રી વેરોનિકાની સાથે ગોવામાં રહે છે. રવિ અને માહી ઘણાં વર્ષોથી એકબીજાં સાથે સંબંધમાં હતાં. મળતી માહિતી અનુસાર માહીએ પોતાનાં બીજા લગ્નની વાતને જાહેરમાં સ્વીકારી લીધી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે તે કેસરની સાથે 6 વર્ષોથી રિલેશનશિપમાં છે. રિપોર્ટ અનુસાર માહીએ કહ્યું કે ‘હા મેં તેમની સાથે લગ્ન કરી લીધાં છે.’

17 વર્ષની ઉંમરે પહેલાં લગ્ન 47 વર્ષની ઉંમરે બીજાં :

મીડિયા રિપોર્ટ અનુસાર માહીએ પહેલા લગ્ન 17 વર્ષની ઉંમરે જ કરી લીધાં હતાં. પરંતુ આ લગ્ન વધુ સમય સુધી ચાલી ન શક્યાં. તેના પછી માહીએ ક્યારેય લગ્ન ન કર્યાં. જો કે હવે માહિતી મળી આવી છે કે માહીએ બીજા લગ્ન કર્યાં છે. તેના પતિ રવિ કેસર બિઝનેસમેન છે અને તેમણે શોર્ટ ફિલ્મમાં અને વેબ સીરિઝમાં કામ કર્યું છે.

આ પણ વાંચો :-

 

આ અભિનેત્રી YRFના સ્પાય યુનિવર્સમાં કરશે એન્ટ્રી ? શરૂ કરી દીધી એક્શનની ધમાકેદાર તૈયારીઓ

This actress will enter YRF’s spy universe? Explosive preparations for
  • YRF Spy Universe : યશ રાજ ફિલ્મ્સની પઠાણની શાનદાર સફળતા પછી, YRFની આગામી સ્પાય યુનિવર્સ ફિલ્મો માટે ચાહકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે. સમાચાર છે કે હૃતિક રોશનની ‘વોર 2’માં નવી અભિનેત્રી શર્વરી વાઘની એન્ટ્રી થઈ શકે છે.

હૃતિક રોશન (Hrithik Roshan) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff) સ્ટાર ફિલ્મ ‘વોર’ ની સિક્વન્સની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ‘બ્રહ્માસ્ત્ર’ના દિગ્દર્શક અયાન મુખર્જી (Ayan Mukherjee) આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા એક તાજા સમાચાર સામે આવી રહ્યા છે.

યશ રાજ ફિલ્મ્સની આ સ્પાય યુનિવર્સમાં નવી એન્ટ્રી થઈ શકે છે અને એક અભિનેત્રીએ તેની નવી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી આ સંકેત આપ્યો છે. આ અભિનેત્રી છે શર્વરી વાઘ, જેનો નવો ઈન્સ્ટાગ્રામ વિડીયો જણાવે છે કે અભિનેત્રી તેની લવચીકતા અને એક્શન કુશળતા પર સખત મહેનત કરી રહી છે.

બંટી ઔર બબલી 2‘માં જોવા મળેલી અભિનેત્રી શર્વરી વાઘે મંગળવારે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એક્ટ્રેસ બેક ફ્લિપ કરતી જોવા મળી રહી છે. આ સાથે તે તેના ટ્રેનર સાથે સખત મહેનત કરતી પણ જોવા મળે છે. આ ક્લિપમાં શર્વરી પિંક લોઅર અને વ્હાઈટ ટોપમાં જોવા મળી રહી છે.

રસપ્રદ વાત એ છે કે શર્વરી જ્યાં ટ્રેનિંગ લઈ રહી છે ત્યાં દિવાલ પર ટીમ ટાઈગર દેખાય છે. હવે શું આ દર્શકો માટે સંકેત છે? શું શર્વરી ટાઈગર શ્રોફની ટીમનો ભાગ હશે અને આ ફિલ્મમાં જોવા મળશે? સારું પ્રશ્નો પૂરતા છે. તમે પણ જુઓ આ વીડિયો.

અભિનેત્રીની આ ક્લિપ પર પણ ચાહકો તેને સતત પૂછી રહ્યા છે કે શું તે ‘વોર 2‘ની તૈયારી કરી રહી છે. હવે શર્વરી કઈ ફિલ્મ માટે આટલી મહેનત કરી રહી છે તે તો અભિનેત્રી જ જાહેર કરશે.

યશ રાજ ફિલ્મ્સની પઠાણની શાનદાર સફળતા પછી YRFની આગામી સ્પાય યુનિવર્સ ફિલ્મો માટે ચાહકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે. શાહરૂખ ખાને ધમાલ મચાવી છે અને સલમાન ખાન પણ ટૂંક સમયમાં ‘ટાઈગર‘ સિરીઝની સિક્વલ સાથે જોવા મળવાનો છે. આ સાથે જ લોકો રિતિક રોશન સાથેની ‘વોર 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

ઘરના વડીલો જૂતાં-ચંપલ ઉંધા ન રાખવા કેમ કરે છે ટકોર ? વાસ્તુ શાસ્ત્રમાં આપેલું છે અસલી કારણ, જાણો શું

Why do the elders  

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની અંદર કે બહાર બૂટ-ચંપલ ઉંધા રાખવાથી જીવનમાં ઘણી ગંભીર અને નકારાત્મક અસરો થાય છે. એટલા માટે બૂટ-ચંપલ ઉંધા ન રાખવા જોઈએ.

Vastu tips : ઘર હોય કે બહાર બૂટ (boot) કે ચંપલ ઉંધા પડેલા જોઈને દરેક મૂંઝાઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બૂટ-ચંપલને શા માટે ઉંધા ન રાખવા જોઈએ? આ પાછળનું કારણ શું છે ? જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ઘરની અંદર કે બહાર બૂટચંપલ ઉંધા રાખવાથી જીવનમાં ઘણી ગંભીર અને નકારાત્મક અસરો થાય છે. એટલા માટે ચપ્પલ અને શૂઝને ઉંધા ન રાખવા જોઈએ. આવો જાણીએ બૂટ-ચંપલને ઉંધા રાખવાથી બીજી કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે.

ઘરની અંદર કે બહાર બૂટ-ચંપલ ઉંધા હોવા પર થઇ શકે છે આ સમસ્યા :

  • ઘરમાં ઉંધા બૂટ-ચંપલ હોય તો ઘરમાં ઝઘડા થાય છે અને માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.
  • દરવાજાની સામે બૂટ-ચંપલ ઉંધુ રાખવાથી ઘરમાં વિવાદ થઈ શકે છે.
  • ઘરના દરવાજા પર ભૂલથી પણ બૂટ-ચંપલ ઉંધા ન રાખવા જોઈએ. આનાથી પરિવારના સભ્યોની વિચારસરણી પર ખરાબ અસર પડે છે.
  • બૂટ-ચંપલ ઉંધા રાખવાથી ઘરમાં રોગ, દુ:ખ વગેરે આવવા લાગે છે. એટલા માટે જો બૂટ-ચંપલ  ઉંધા હોય તો તેને તરત સીધા કરો.
  • માનવામાં આવે છે કે ઘરમાં બૂટ-ચંપલ ઉંધા રાખવાથી તણાવનું વાતાવરણ બને છે.
  • બૂટ-ચંપલ  ઉંધા રાખવાથી શનિદેવનો પ્રકોપ થાય છે. કારણ કે શનિદેવને પગનો કારક માનવામાં આવે છે.
  • બૂટ-ચંપલ  ક્યારેય ઉંધા ન રાખો, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
  • વાસ્તુ અનુસાર જો બૂટ-ચંપલ ઉંધા હોય તો ઘરની સકારાત્મકતા જતી રહે છે.
  • બૂટ-ચંપલ ઉંધા હોવાના કારણે પરિવારના સુખ-શાંતિમાં ઘણી અડચણો આવે છે.

પશુ-પક્ષીને દાણા ના નાંખવા  :

જો તમે પશુ-પક્ષીઓને દાણા નથી નાંખતા તો આજથી જ તેમને દાણા નાંખવાનું શરૂ કરી દો. કારણ કે મૂંગા પ્રાણીઓને ખવડાવવાથી કુંડળીના અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે અને બુધ ગ્રહ પણ બળવાન બને છે. તેનાથી કરિયરમાં આવતા અવરોધો દૂર થાય છે.

DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે.

આ પણ વાંચો :-