Home Blog Page 109

ડભોઈ પાલિકામાં ભાજપે 8 વર્ષ બાદ સત્તા ગુમાવી, કોંગ્રેસનો ભવ્ય વિજય

વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 8 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટીએ સત્તા ગુમાવી છે. ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢ ગણાતા ડભોઈમાંકોંગ્રેસે જોરદાર વાપસી કરીને ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે. આ પરાજય માત્ર નગરપાલિકાની હાર નથી, પરંતુ સ્થાનિક સ્તરે ભાજપના સંગઠન અને ધારાસભ્યના વર્ચસ્વ સામે પણ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.

ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મુજબ, ડભોઈ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસે બહુમતીનો આંકડો વટાવીને 21 બેઠકો પર શાનદાર વિજય મેળવ્યો છે. બીજી તરફ સત્તાધારી ભાજપ માત્ર 15 બેઠકો પર સમેટાઈ ગયું છે. 8 વર્ષના લાંબા અંતરાલ બાદ ડભોઈ નગરપાલિકા પર ફરી એકવાર ’પંજો’ મજબૂત થયો છે અને કેસરીયો ફિક્કો પડ્યો છે.

ડભોઈના વોર્ડ નંબર 2માં ભાજપના માજી પ્રમુખ બિરેન શાહની હાર થઈ છે, જે ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જોકે, આ જ વોર્ડમાં કોંગ્રેસ માટે પણ માઠા સમાચાર રહ્યા છે, કારણ કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાણીએ પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.

ડિજિટલ અરેસ્ટ પર લગામ માટે કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન: સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો રીપોર્ટ

0

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ડિજીટલ અરેસ્ટની ઘટનાઓ સતત બની રહી છે. અલગ અલગ માધ્યમો મારફતે સરકારના જાગૃતિ અભિયાનો છતાં લોકો ઠગોની જાળમાં ફસાઈ રહ્યા છે. એવામાં સરકાર આવી ઘટનાઓ રોકવા સરકાર મલ્ટી-એજન્સી સ્ટ્રેટેજી તૈયાર કરી છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ડિજિટલ એરેસ્ટ રોકવા માટે મલ્ટી-એજન્સી સ્ટ્રેટેજી રજૂ કરી છે. નવી સ્ટ્રેટેજી મુજબ તમામ એન્જસીઓ સાથે મળીને કામ કરશે. નવી સ્ટ્રેટેજી મુજબ બાયોમેટ્રિક સિમ વેરિફિકેશનથી માંડીને શંકાસ્પદ બેંક ખાતાઓ પર કામચલાઉ ડેબિટ હોલ્ડ સુધીના પગલાં સૂચવવામાં આવ્યા છે.

વિબીધ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા બાદ સરકારે અહેવાલ રજુ કર્યો છે. સરકારે કોર્ટને વિનંતી કરી છે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY), અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) સહિત મુખ્ય અધિકારીઓને સલામતીના પગલાંના એકસમાન અને સમયબદ્ધ અમલીકરણની ખાતરી કરવા માટે નિર્દેશો આપે.

કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા ભારતના એટર્ની જનરલે ભલામણો રજુ કરી હતી. સાયબર છેતરપિંડીમાં સિમ કાર્ડના દુરુપયોગને રોકવા માટે ટેલિકોમ નિયંત્રણોને કડક બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ભલામણ કરી છે સિમ મેળવા રાષ્ટ્રીય સ્તરે ટેલિકોમ્યુનિકેશન્સ (યુઝર આઇડેન્ટિફિકેશન) નિયમો અને બાયોમેટ્રિક આઇડેન્ટિટી વેરિફિકેશન સિસ્ટમનું કડક અમલીકરણ કરાવવામાં આવે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર આ માળખાનું કડક પાલન કરવા અને તેમના અમલીકરણમાં સહકાર આપવા સુચન કરવામાં આવ્યું છે.

આ રિપોર્ટમાં DoTના 31 ઓગસ્ટ, 2023ના પરિપત્ર અનુસાર, સિમ એક્ટિવેશન માટે પોઈન્ટ ઓફ સેલ (PoS) વેન્ડર્સ માટે મજબૂત ચકાસણી પદ્ધતિઓ લાગુ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. ડિજિટલ ધરપકડ કૌભાંડો સહિત અન્ય સાયબર ક્રાઈમની ઘટના માટે ઉપયોગમાં લેવામાં આવતા શંકાસ્પદ સિમ કાર્ડને ઝડપી બ્લોક કરવાની ભલામણ કરવામાં આવી છે.

ટેલિકોમ ઓપરેટરો અને તેમના PoS એજન્ટોને સબસ્ક્રાઇબર એક્ટિવેશન વિગતો અને PoSનો રીઅલ-ટાઇમ ડેટા શેર કરીને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું છે.

રિપોર્ટમાં સ્કાયપ જેવા વિડીયો કોલિંગ પ્લેટફોર્મ પર પ્રોટેક્ટીવ સર્વિસ તપાસ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે, અને આવા પ્લેટફોર્મ પર કૌભાંડોમાં ઉપયોગમાં લેવાતા ડિવાઇસ ID ને ઓળખવા અને બ્લોક કરવા માટે મિકેનિઝમ્સ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે.

WhatsApp ને ડિલીટ કરવામાં આવેલા એકાઉન્ટ્સનો ડેટા ઓછામાં ઓછા 180 દિવસ માટે સાચવવા અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સહયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સરકારે RBI ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા શંકાસ્પદ ખાતાઓ પર કામચલાઉ ડેબિટ હોલ્ડનું સુચન કરવામાં આવ્યું છે.

સુરતમાં મતગણતરી સેન્ટરની અંદર છુટા હાથની મારામારી

સુરતના મતગણતરી કેન્દ્રમાં વોર્ડ નં. 18ને લઈ તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તથા કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી છતાં સ્થિતિ થોડીવાર માટે બેકાબૂ બની હતી. લિંબાયત-પર્વત કુંભારિયા વિસ્તારના વોર્ડ નં. 18માં ભાજપે જીત નોંધાવી છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહે ભાજપ કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર દિનેશ રાજપુરોહિત પર પણ હુમલાના આક્ષેપો થયા છે, જેના કારણે સમગ્ર ઘટના વધુ ચર્ચામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાની મતગણતરીમાં ભાજપે જબરદસ્ત આગેકૂચ દર્શાવી છે. અત્યાર સુધી જાહેર થયેલા 44 બેઠકોના પરિણામોમાંથી ભાજપે 43 બેઠકો પર વિજય મેળવી દબદબો સ્થાપ્યો છે. એક ટર્મના વિરામ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે, જેમાં વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ જીત મેળવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી હજુ સુધી પોતાનું ખાતું ખોલવામાં સફળ થઈ નથી, જેના કારણે ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સુરત મનપામાં ભાજપની આગેકૂચ, 44માંથી 43 બેઠકો પર વિજય, વોર્ડ 12થી કોંગ્રેસનું કમબેક

સુરત મહાનગરપાલિકાની મતગણતરીમાં ભાજપે જબરદસ્ત આગેકૂચ દર્શાવી છે. અત્યાર સુધી જાહેર થયેલા 44 બેઠકોના પરિણામોમાંથી ભાજપે 43 બેઠકો પર વિજય મેળવી દબદબો સ્થાપ્યો છે. એક ટર્મના વિરામ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે, જેમાં વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ જીત મેળવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી હજુ સુધી પોતાનું ખાતું ખોલવામાં સફળ થઈ નથી, જેના કારણે ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5 વર્ષ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે. વોર્ડ નં. 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ વિજય મેળવી પાર્ટીને મહત્વપૂર્ણ સફળતા અપાવી છે. આ જીત સાથે સુરત મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે વિજયી પ્રારંભ કર્યો છે. અંબિકા તાલુકા પંચાયતની અનાવલ 1 અને 2 નંબર બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે, જ્યારે વલવાડા પુના બેઠક પર રેખાબેનનો વિજય જાહેર થયો છે.

મહુવા તાલુકા પંચાયતની દેદવાસણ બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે. બીજી તરફ ડુંગરી, ધોળીકુઈ 2, નિહાલી અને કાની બેઠકો પર ભાજપનો કબજો રહ્યો છે અને કેસરિયો લહેરાયો છે. ઉપરાંત કરચલિયા જિલ્લા પંચાયત બેઠક પર પણ ભાજપે વિજય મેળવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભાજપની મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે.

ગણદેવી નગર પાલિકાની બે બેઠકની ચૂંટણીમાં વિજય સાથે ભાજપની ક્લિન સ્વીપ

ગણદેવી નગર પાલિકાની ચૂંટણીમાં 22 બેઠકો પર બિનહરીફ વિજય થયા બાદ બાકી રહેલી બે બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોનો વિજય થતાં તમામ 24 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

આ સતત બીજી ચૂંટણીમાં ભાજપે ક્લિપ સ્વીપ કરી છે. પાંચ વર્ષ પહેલાં પણ તમામ 24 બેઠકો ભાજપે જીતી લીધી હતી.

આ ચૂંટણીમાં 18 બેઠકો પર કોંગ્રેસ તેમના ઉમેદવારોને સમયસર મેન્ડેડ પહોંચાડી ન શકી હતી. એ ઉપરાંત 4 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીને 22 બેઠકો બિનહરીફ મળી જતાં પાલિકા પર ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું હતું. બાકીની બે બેઠકો માટે રવિવારે મતદાન થયા બાદ આજે મતગણતરી થતાં વોર્ડ નં 1 ભાજપના ઉમેદવાર રાજેશ પટેલને 1095 અને પ્રતિસ્પર્ધી અપક્ષ જયેશ ઢીંમરને 396 મત મળતાં ભાજપનો 663 મતે વિજય થયો હતો. જ્યારે વોર્ડ નં 4 માં ભાજપના નિલેશ શર્માને 858 મત અને તેમના પ્રતિસ્પર્ધી અપક્ષ જયેશ ઢીંમરને 601 મત મળતાં ભાજપનો 157 મતે વિજય થયો હતો. પરિણામ જાહેર થતાં વિજય રેલી નીકળી હતી.

સુરતના બારડોલી વોર્ડ-3માં ભાજપની ક્લીન સ્વીપ, ચારેય ઉમેદવારો વિજેતા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે રાજ્યભરમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે. સુરત જિલ્લામાં પણ ઉત્સુકતા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. ત્યારે બારડોલી નગરપાલિકાની મતગણતરી શહેરમાં આવેલ BABC શાળા ખાતે કરવામાં આવી રહી છે, જ્યાં વહેલી સવારે જ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી.

મતગણતરી વચ્ચે પ્રથમ મહત્વનું પરિણામ સામે આવ્યું છે, જેમાં બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર-3માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે. આ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારોને મતદારોનો મજબૂત સમર્થન મળ્યો હતો.

વિજેતા ઉમેદવારોમાં ક્રિષ્ના હાર્દિક ચૌહાણ, કેજલ સુધીર વ્યાસ, જેનિષ ઈશ્વર ભંડારી અને તેજસ ચતુર પટેલનો સમાવેશ થાય છે. ચારેય ઉમેદવારોની જીત સાથે ભાજપે વોર્ડ નં. 3માં ક્લીન સ્વીપ કર્યો છે.

મતગણતરીના અન્ય રાઉન્ડ ચાલુ છે અને આગામી સમયમાં વધુ પરિણામો જાહેર થવાના છે. સમગ્ર બારડોલી શહેરમાં રાજકીય ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે, જ્યારે ભાજપ કાર્યકરોમાં જીતને લઈને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત વોર્ડ 4માં AAPને મોટો ઝટકો: મનોજ સોરઠીયા પરાજિત, ભાજપની સંપૂર્ણ પેનલ વિજેતા

સુરતવાસીઓ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ ખરેખર આજે આવી ગયો છે. ગત 26 એપ્રિલના રોજ મતદાન બાદ આજે 28 એપ્રિલના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકો પર કુલ સરેરાશ 59.21% મતદાન નોંધાયું હતું.

ત્યારે આજે સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતગણતરીમાં 2000થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટણી એજન્ટો જોડાયા છે. મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજની બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોણ-કોણ બાજી મારશે?

તસ્વીર: ડિમ્પલ બંગડીવાળા

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મતગણતરી શરૂ: ક્યાં કોણ આગળ, ક્યાં જીતનો પ્રથમ ઝંડો ફરક્યો!

ગુજરાતના મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. રાજ્યના 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે 4.18 કરોડથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બધી બેઠકો માટે 26 એપ્રિલના રોજ મતદાન થયું હતું.

શહેરી સ્થાનિક સંસ્થાઓની સાથે, ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓને આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે એક અગ્નિપરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે. આ ચૂંટણીઓના પરિણામોને જનતાના મૂડને માપવાની તક તરીકે પણ જોવામાં આવી રહી છે. આ ચૂંટણીઓ માટે મત ગણતરી સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે. આ હેતુ માટે મત ગણતરી કેન્દ્રોની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગુજરાતમાં મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શહેરી સ્થાનિક સંસ્થાઓથી લઈને તાલુકા પંચાયતો સુધી, કડક સુરક્ષા વચ્ચે મત ગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં 25,537 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે છે. આ બેઠકો માટે ૨૬ એપ્રિલે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી પણ ઉમેદવાર છે.

ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજયી દબદબો વોર્ડ નંબર 1માંથી રાજેશ પટેલ અને વોર્ડ નંબર 4માંથી નિલેશ શર્માનો વિજય ભાજપે બે બેઠકો પર વધુ જીત સાથે મજબૂત સ્થિતિ બનાવી. ગણદેવી નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 22 બેઠકો અગાઉથી બિનહરીફ જાહેર થઈ હતી. કાર્યકરોમાં ઉજવણીનો માહોલ, સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

  • સુરતમાં મોટો અપસેટ વોર્ડ નંબર-2માં કોંગ્રેસનાં ઉમેદવાર કાવ્યા પટેલ આગળ.
  • સુરતમાં AAPના મનોજ સોરઠિયા હાર તરફતરસાડી પાલિકામાં વોર્ડ-1માં ભાજપની જીત
  • તરસાડી નગરપાલિકા વોર્ડ 1 મા બીજેપીના ઉમેદવાર વિજેતા
  • વોર્ડ નંબર એકમાં બે બેઠક બિનહરીફ થઈ હતીવોર્ડ નંબર એકમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હતી ટક્કર
  • નવસારી જિલ્લાના ગણદેવી તાલુકોની તલોધ તાલુકા પંચાયત બેઠક પર ભાજપે ખાતું ખોલ્યું.
  • ભાજપના ઉમેદવાર વિપુલ જયેશ પટેલનો ભવ્ય વિજય
  • તલોધ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ વિજેતા
  • ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર બે વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપની જીત થઈ હતી
  • ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠકમાં ભાજપનો 5500 મતથી વિજય
  • રાજકોટના વોર્ડ નંબર 16ની મત ગણતરી શરૂ. કોંગ્રેસ આગળરાજકોટ વોર્ડ-7 માં ભાજપ બેલેટ પેપરમાં આગળ
  • તાલાલા પાલિકા વોર્ડ નંબર 1ની ગણતરી પૂર્ણ ભાજપના 4 ઉમેદવારો ની જીતબેલેટ પેપરની ગણતરીની શરૂઆતમાં ભાજપ આગળ
  • વોર્ડ ન.7માં નેહલ શુકલની પેનલ આગળઉમરગામ નગર પાલિકા વોર્ડ ન. 1માં BJP પેનલ વિજેતા

મતગણતરી પહેલા જ જીતનો ડંકો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આજે પરિણામ જાહેર થવાનું છે. પરિણામ પહેલા ઘણી બધી બેઠકના ઉમેદવારો જીતી ચૂક્યા છે. હવે તે કેવી રીતે તો તમને જણાવી દઈએ કે ચૂંટણીના મતદાન પહેલા જ ઘણી બધી સીટો બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે તે રાજ્યભરમાં કુલ 730 બેઠકો મતગણતરી પહેલા બિનહરીફ થઈને જીતી ચૂકી છે.

રવિવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આજે આ મતદાનનો નિર્ણય જાહેર થવાનો છે અને કયા પક્ષને સત્તા મળશે તે સ્પષ્ટ થશે. મતગણતરી માટે રાજ્યભરના કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય હતા.

જો કે પરિણામ પહેલા જ રાજ્યમાં મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થતા ઉમેદવારો જીતી ચૂક્યા છે. કુલ 730 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા બની ચૂક્યા છે. જેમાં 15 મનપાની 43 બેઠકો ભાજપે બિનહરીફ જીતી છે. ઉપરાંત 84 નગરપાલિકાઓમાં 385 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાંથી 370 ભાજપ, 12 કોંગ્રેસ અને 3 અપક્ષના ખાતામાં ગઈ છે.

ખાસ કરીને ઊંઝા, કડી, બાયડ અને ગણદેવી જેવી 4 નગરપાલિકાઓમાં ભાજપે સંપૂર્ણ બિનહરીફ જીત મેળવી છે. તાલુકા અને જિલ્લા સ્તરે પણ ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 251 તાલુકા પંચાયતો અને 51 જિલ્લા પંચાયતોમાં ભાજપ પહેલેથી જ બિનહરીફ વિજેતા બની ચૂકી છે.હવે સૌની નજર આજે શરૂ થનારી મતગણતરી પર ટકી છે. બાકીની બેઠકોના પરિણામો રાજ્યના રાજકીય સમીકરણોને નવી દિશા આપશે અને આગામી સમય માટે સત્તાના સંતુલનને નક્કી કરશે.

મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે લોકશાહીના ‘મહા-ચુકાદો’નો દિવસ આવી પહોંચ્યો છે. આજનો સૂર્યોદય હાર-જીતના રોમાંચક સમીકરણો સાથે થયો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં જંગ પૂરો થયા બાદ હવે ઉમેદવારોના હૃદયના ધબકારા તેજ બન્યા છે. થોડી જ ક્ષણોમાં મતગણતરી શરૂ થવાની છે અને પરિણામોની શરૂઆત સાથે જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવાનું છે. થોડા કલાકોમાં નક્કી થઈ જશે કે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં જીતનો ‘તાજ’ આખરે કોના શિરે સજશે, જેને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

અફઘાનિસ્તાન પર ફરી પાકિસ્તાની હુમલો: 7 લોકોના મોત, 75 ઘાયલ, યુનિવર્સિટી પણ નિશાન પર

0

અફઘાનિસ્તાનના પૂર્વીય કુનાર પ્રાંતમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કહેવાતા હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે અને 75થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, ઘાયલોમાં કુનાર યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ અને એક પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે. તાલિબાન સરકારનો દાવો છે કે ઘાયલોમાં આશરે 30 વિદ્યાર્થીઓ સામેલ છે, જેના કારણે ઘટનાની ગંભીરતા વધુ વધી છે.

આ મામલે પાકિસ્તાનના માહિતી મંત્રાલયે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે કોઈ યુનિવર્સિટી કે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા નથી અને આવી માહિતી સંપૂર્ણપણે ખોટી છે. જોકે તાલિબાન સરકારના જણાવ્યા મુજબ હુમલામાં મોર્ટાર અને રોકેટનો ઉપયોગ થયો હતો, જ્યારે કેટલાક સૂત્રો જેટ વિમાનો અને ડ્રોનના ઉપયોગની પણ વાત કરે છે. યુનિવર્સિટીના એક પ્રોફેસરે જણાવ્યું કે સમગ્ર કેમ્પસમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાતા જ અફરાતફરી મચી ગઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અસદાબાદ શહેરમાં બપોરના સમયે બોમ્બબારીના અવાજો સંભળાતા લોકો ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે શહેરના કેન્દ્રમાંથી ભાગતા જોવા મળ્યા હતા. અનેક નાગરિકો ઘાયલ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. આ હુમલામાં કુનાર યુનિવર્સિટીની ઇમારતો અને આસપાસના વિસ્તારોને ભારે નુકસાન થયું હોવાનું અફઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે.

આ ઘટનાને લઈને તાલિબાન સરકારે કડક પ્રતિક્રિયા આપી છે અને તેને ગંભીર તથા અક્ષમ્ય યુદ્ધ અપરાધ ગણાવ્યો છે. ઉપ-પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે આ ઘટનાને ક્રૂરતા અને ઉશ્કેરણીજનક કાર્યવાહી તરીકે વર્ણવી છે. બીજી તરફ, પાકિસ્તાનનો દાવો છે કે તે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવે છે અને તેનો આરોપ છે કે તાલિબાન સરકાર પાકિસ્તાન તાલિબાન (TTP)ને આશ્રય આપી રહી છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે સરહદી તણાવ વધતો જઈ રહ્યો છે, જેના કારણે આવી ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.