Saturday, May 23, 2026

IRCTC કૌભાંડમાં લાલુ પરિવારને રાહત નહીં, કોર્ટમાં હવે 9 જૂને થશે સુનાવણી

1 Min Read

દિલ્હીની એક અદાલતે IRCTC હોટેલ કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, તેમના પરિવારના સભ્યો અને અન્ય લોકો વિરુદ્ધ આરોપ નક્કી કરવાની કાર્યવાહી આજે 9 જૂન સુધી મુલતવી રાખી છે. આ કેસની તપાસ પ્રવર્તન નિર્દેશાલય (ED) કરી રહ્યું છે અને તે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલા મૂળ ગુનાના આધારે છે.

પ્રવર્તન નિર્દેશાલય (ED)નો આરોપ છે કે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા તે દરમિયાન 2004થી 2009 વચ્ચે IRCTC હોટેલોના સંચાલનના કોન્ટ્રાક્ટ આપવામાં અનિયમિતતાઓ થઈ હતી. એજન્સી મુજબ, હોટેલ મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ કથિત રીતે નક્કી કરેલી પ્રક્રિયાનો પાલન કર્યા વગર એક ખાનગી કંપનીને આપવામાં આવ્યા હતા. કહેવાય છે કે આ કંપની RJD પ્રમુખના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલી હતી.

તપાસ એજન્સીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે તેના બદલામાં લાલુ પ્રસાદ યાદવના પરિવારજનો અને સહયોગીઓ સાથે જોડાયેલી એક બેનામી કંપની મારફતે લગભગ ત્રણ એકર પ્રાઇમ જમીન હસ્તગત કરવામાં આવી હતી. આ કેસમાં નામજદ લોકોમાં લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ, પુત્રીઓ મિસા ભારતી અને હેમા યાદવ સહિતના લોકોનો સમાવેશ થાય છે.

Share This Article