HomeSurat Cityસુરતીજનોને રાત્રે ૮ વાગ્યા સુધીમાં સલામત ઘરે પહોંચી જવા મ્યુનિસિપલ કમિશનરની ભાવુક...

સુરતીજનોને રાત્રે ૮ વાગ્યા સુધીમાં સલામત ઘરે પહોંચી જવા મ્યુનિસિપલ કમિશનરની ભાવુક અપીલ

Date:

Related stories

ફૂડ પોઇસનીંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો,FSL તપાસમાં શું મળ્યું?

સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષીય આર્યા કલસરિયાના...

સુરતમાં ત્રણ યુવનો માટે જન્માષ્ટમી કાળ મુખી બની!

સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વચ્ચે ઔદ્યોગિક વિસ્તારોમાંથી કરંટના ઝટકાની...

ફરી બોમ્બની ધમકી ? ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત કોર્ટમાં હાઇ અલર્ટ

ગુજરાતની કોર્ટોમાં આજે બોમ્બ ધમકીના ઈ-મેલથી ચકચાર મચી ગઈ...

VIDEO: લ્યો બોલો ! ભારતીય ફૂડએ તો બેલ્જિયમના પએમને પણ બનાવી દીધા ફૂડી

ભારતીય ભોજનની વાત આવે ત્યારે મસાલાની સુગંધ અને વિવિધ...

ભેંસ બની બર્થડે ગર્લ! કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’ કેપ વીડિયો થયો વાયરલ

કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’... આ કોઈ બાળકની બર્થડે...
spot_img

ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત પર ફરી એકવાર જળબંબાકાર અને ‘ખાડી પૂર’નું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા મધ્યરાત્રિથી સવારના ૪ વાગ્યા દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. પૂર અને જળભરાવની ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે તમામ સુરતીજનોને રાત્રે ૮:૦૦ વાગ્યા સુધીમાં પોતપોતાના ઘેર પહોંચી જવા અને સુરક્ષિત રહેવા જાહેર અપીલ કરી છે.

સુરત મનપા તંત્ર ‘હાઈ એલર્ટ’ મોડ પરહવામાન ખાતાની ડરામણી આગાહીને પગલે સુરત મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. નીચાણવાળા અને ખાડી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની મોટી સંભાવનાને પગલે ફાયર બ્રિગેડ, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને ડ્રેનેજ વિભાગને સ્ટેન્ડબાય રાખી દેવાયા છે.

નાગરિકો માટે તંત્રની મુખ્ય માર્ગદર્શિકા

  • ઝડપથી ઘેર પહોંચો: રાત્રે ૮ વાગ્યા સુધીમાં તમામ સુરતીઓ પોતપોતાના સ્થાને સુરક્ષિત પહોંચી જાય.
  • અનાવશ્યક પ્રવાસ ટાળો: મધ્યરાત્રિ પછી કોઈ પણ સંજોગોમાં ઘરની બહાર નીકળવાનું સાહસ ન કરવું.
  • અફવાઓથી બચો: માત્ર મનપા અને સરકારી તંત્રની સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવો.
  • નીચાણવાળા વિસ્તારના લોકો જાગૃત રહે: ખાડી કિનારે રહેતા લોકોને જરૂરી સામાન સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે.

શહેર પર તોળાઈ રહેલા આ કુદરતી સંકટ સામે તંત્ર સજ્જ છે, પરંતુ જાનમાલની સુરક્ષા માટે પ્રશાસને નાગરિકોને સહયોગ આપવા અને સાવચેતી રાખવા આગ્રહભરી વિનંતી કરી છે.

Subscribe

Latest stories

spot_img