HomeGujaratSouth Gujaratસુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ: નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૯૫ લોકોનું...

સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ: નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૯૫ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

Date:

Related stories

સુરતની દ્વિતીની અદ્ભુત સ્મરણશક્તિ અને જિજ્ઞાસાએ બનાવ્યો રેકોર્ડ!

જ્યારે બાળકને મોબાઈ આપવાના બદલે તેને અન્ય પ્રવુતિમાં ભાગ...

Apple Foldable iPhoneથી બદલાઈ શકે છે Foldable માર્કેટની ગેમ, Samsung માટે કેમ વધી શકે છે પડકાર?

સ્માર્ટફોન માર્કેટમાં Appleની એન્ટ્રી ઘણી વાર માત્ર એક નવા...

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ? જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રીની શક્યતા છે....

ઇન્ડોનેશિયામાં ‘નર્કનું દ્વાર’ ખૂલ્યું ! અનાક ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટ્યો, 1,500થી વધુ ફ્લાઇટ્સ રદ

ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાતોઆ જ્વાળામુખી ફરી એકવાર ફાટતા ભયનો માહોલ...

8 સપ્ટેમ્બર 2026 રાશિફળ: આ રાશિઓ માટે દિવસ રહેશે જબરદસ્ત, જાણો તમારી રાશિનું ભવિષ્ય

૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...
spot_img

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે અંબિકા નદી, ઓલણ નદી અને કોરવ ખાડીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ તરકાણી ગામનું તળાવ ઓવરફ્લો થતાં આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

પરિસ્થિતિ ગંભીર બનતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. અંબિકા તાલુકાના ઉમરા, કાંકરીયા, ભોરિયા, વાંક, હળદવા, મહુવરીયા અને તરકાણી સહિત 7 ગામોમાંથી કુલ 295 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવા, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમરા મુખ્ય પ્રાથમિક શાળા અને તરકાણી મુખ્ય પ્રાથમિક શાળામાં આશ્રય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક પરિવારોને તેમના સગા-સંબંધીઓના ઘરે તેમજ નજીકના સુરક્ષિત મકાનોમાં પણ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ઉમરા ગામમાંથી 60, કાંકરીયામાંથી 54, ભોરિયામાંથી 60, વાંકમાંથી 9, હળદવામાંથી 63, મહુવરીયામાંથી 6 અને તરકાણી ગામમાંથી 43 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

23 જુલાઈની વહેલી સવારથી મામલતદાર કચેરી અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ તંત્ર દ્વારા નદી-ખાડીના જળસ્તર અને અસરગ્રસ્ત ગામોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img