Tuesday, Jun 2, 2026

મમતાનો શુભેન્દુ સરકાર સામે મોરચો: 177 બેઠકો પર ચૂંટણી ગેરરીતિના આક્ષેપ સાથે ધરણું

4 Min Read

પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) 15 વર્ષ બાદ સત્તામાંથી બહાર થઈ છે. દોઢ દાયકાથી વધુ સમય બાદ TMCને સત્તામાંથી હટાવનાર ભાજપ આત્મવિશ્વાસથી ભરપૂર છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ આ કારમી હાર બાદ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કરી રહી છે. બંને પક્ષો વચ્ચે રાજકીય ઘર્ષણ વધતા આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું. TMCના આ હલ્લાબોલ વચ્ચે ભાજપે સોનારપુરમાં થયેલી મારામારી અને હિંસાની ઘટનાને લઈને તૃણમૂલને ઘેરી છે. ભાજપના નેતા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે તૃણમૂલના આવા રાજકીય હથકંડાઓથી ભાજપ પર કોઈ અસર નહીં થાય.

સીએમ મમતાએ પોતાના ધરણા દરમિયાન શું કહ્યું?

  • ભાજપે 294માંથી 177 વિધાનસભા બેઠકો પર મતગણતરી દરમિયાન ગેરરીતિ કરી છે.
  • પોલીસે ધરણાની મંજૂરી આપી નહોતી, છતાં લોકશાહી રીતે વિરોધ ચાલુ રહેશે.
  • વિરોધ અને ધરણાં ચાલુ રહેશે, ભલે તેને રોકવાના કેટલાય પ્રયાસો કરવામાં આવે.
  • મુશ્કેલ સમયમાં TMCના કાર્યકરોનો સાથ નહીં છોડું.
  • કાર્યકરોને ધમકાવવામાં આવી રહ્યા છે અને અનેક સ્થળોએ તેમને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે.
  • પોલીસ TMC કાર્યકરોને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાથી રોકી રહી છે.
  • અમારી સરકાર હંમેશા માનવતાવાદી અભિગમ સાથે કામ કરતી રહી છે.
  • પુનર્વસન કર્યા વગર ફેરિયાઓને હટાવવાની નીતિ અમારી સરકારની ક્યારેય નહોતી.

કલ્યાણ બેનર્જીએ શું આક્ષેપો કર્યા?

કોલકાતામાં વિરોધ પ્રદર્શનકારીઓને સંબોધતા TMC નેતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આગામી દિવસોમાં વધુ મોટા વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે. તેમણે કોલકાતા પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીઓને કહ્યું કે તેમનો પગાર જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવે છે અને તેમણે બંધારણ તથા કાયદા અનુસાર પોતાની ફરજો નિભાવવી જોઈએ.

કલ્યાણ બેનર્જીએ કહ્યું કે સુવેન્દુ અધિકારી શાંતિનિકેતનમાંથી પૈસા લાવીને પોલીસને પગાર આપતા નથી. તેમણે પોલીસ અધિકારીઓને યાદ અપાવ્યું કે સમય હંમેશા બદલાતો રહે છે, તેથી દરેકે પોતાની ફરજ નિષ્પક્ષ રીતે બજાવવી જોઈએ. તેમના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપનું રાજકારણ વધુ ગરમાયું છે.

કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે 29 મેના રોજ જ વહીવટી તંત્રને 2 જૂનના ધરણા અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ કોલકાતા પોલીસે છેલ્લી ક્ષણ સુધી કોઈ જવાબ આપ્યો નહોતો. તેમણે આરોપ લગાવ્યો કે મોડેથી મંજૂરી મળવાને કારણે પ્રદર્શન સ્થળે સાઉન્ડ સિસ્ટમ અને સ્પીકરો લગાવી શકાયા નહોતા. TMCએ આને વહીવટી તંત્રની જાણબૂઝીને કરાયેલી મોડાશ ગણાવી છે.

કાર્યકરો સામે હિંસા અને કાર્યવાહીનો આક્ષેપ
કલ્યાણ બેનર્જીએ વધુમાં આક્ષેપ કર્યો કે રાજ્યમાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકો સામે સતત હિંસા અને કાર્યવાહી થઈ રહી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 25થી 30 કાર્યકરોની હત્યા થઈ ચૂકી છે, જ્યારે 5,000થી 8,000 સમર્થકોને પોતાના ઘરો છોડવા માટે મજબૂર થવું પડ્યું છે. TMCનો દાવો છે કે લગભગ 3,000 ઘરો પણ તોડી પાડવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં પણ પાર્ટીના કાર્યક્રમો યોજાવાના હોય છે ત્યાં અગાઉથી જ પોલીસ તૈનાત કરી દેવામાં આવે છે જેથી લોકો કાર્યક્રમોમાં ભાગ લઈ ન શકે. તેમના જણાવ્યા મુજબ પોલીસ લોકોના ઘરની બહાર ઊભી રહે છે અને જો મહિલાઓ અથવા પરિવારના સભ્યો બહાર નીકળે તો તેમને કસ્ટડીમાં લેવામાં આવે છે અથવા ધરપકડ કરવામાં આવે છે.

સોનારપુરમાં મારામારી સહિત અનેક ઘટનાઓને લઈને TMCમાં રોષ
આ પહેલાં TMCના નેતાઓએ પાર્ટીના આગેવાનો પર થયેલા હુમલાના વિરોધમાં પણ પ્રદર્શન કર્યું હતું. ભાજપના નેતા શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી સાથે સોનારપુરમાં મારામારીની ઘટના બની હતી. આ ઉપરાંત અન્ય અનેક નેતાઓ સાથે પણ આવી ઘટનાઓ બની હોવાનું TMCનો આરોપ છે.

ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ધરણું
મમતા બેનર્જીએ વિરોધ પ્રદર્શન દરમિયાન અન્ય મહત્વના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તૃણમૂલના આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ પાર્ટીના નેતાઓ સામે થઈ રહેલા હુમલાઓ સામે અવાજ ઉઠાવવાનો છે.

પ્રદર્શન પહેલાં TMC પ્રમુખ મમતા બેનર્જીએ પાર્ટીના અન્ય નેતાઓ સાથે મળીને B. R.અંબેકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહેવાલો મુજબ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી હાથમાં બંધારણની પુસ્તક લઈને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

Share This Article