કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર, ઉનામાં ભડકાઉ ભાષણ મામલે થઈ હતી ધરપકડ

Share this story

Kajal Hindustani  

  • રામનવમીના તહેવારે ઉનામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપવા મામલે ફરિયાદ નોંધાઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઉનાની (Una) સેશન્સ કોર્ટમાં આ ભડકાઉ ભાષણ અંગેનો કેસ ચાલી રહ્યો છે. જેમાં કાજલ હિન્દુસ્તાનીના (Kajal Hindustani) જામીન મંજુર થયા છે. અગાઉ 11 એપ્રિલે થયેલી સુનાવણીમાં જામીન અરજીનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

ઉના કોર્ટે કાજલ હિન્દુસ્તાની ને 50 હજાર ના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે કાજલ હિન્દુસ્તાની 5 દિવસ બાદ જેલ ની બહાર આવશે. હાલ જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. રામનવમીના તહેવારે ઉનામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભડકાઉ ભાષણ આપવા મામલે કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપતા અથડામણ અને વિરોધ પ્રદર્શન થયા હતા. આ મામલે 9 એપ્રિલના કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવી હતી.

શું હતો મામલો?

કાજલ હિન્દુસ્તાની પર ચોક્કસ સમુદાય વિશે લવ જેહાદ સહિતના મુદ્દાઓ પર નિવેદન કરતા ભારે વિવાદ સર્જાયો હતો. રામનવમીએ તેના ભાષણ બાદ ઉના શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કુંભારવાડામાં પથ્થરમારાનો પણ બનાવ બન્યો હતો. કાજલના નિવેદન બાદ એક સમાજ દ્વારા ઉના બંધનું એલાન અપાયું હતું.

ઘટનાને પહલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે બાદ કાજલ વિરુદ્ધ પોલીસે IPCની કલમ 295 (A) હેઠળ FIR નોંધી હતી.

આ પણ વાંચો :-