Friday, Jul 3, 2026

વલસાડમાં વરસાદનો પ્રલય, માત્ર બે કલાકમાં 6 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

3 Min Read

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે વસાડમાં આભ ફાટ્યું છે. સવારના બે કલાકમાં છ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે, જેમાં વલસાડ જિલ્લો ફરી એકવાર વરસાદનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ બાદ, આજે વહેલી સવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાસ કરીને વલસાડ તાલુકામાં ટૂંકા ગાળામાં ખાબકેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

આજના સવાર 6 થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ
આજે સવારે 06:00 થી 08:00 વાગ્યાના માત્ર 2 કલાકના સમયગાળામાં જ વલસાડ તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

જિલ્લાઇંચ
ઉમરગાવ0.67 ઇંચ
પારડી2.13 ઇંચ
કપરાડા1.81 ઇંચ
ધરમપુર0.87 ઇંચ
વાપી2.40 ઇંચ
નાનાપોંઢા2.05 ઇંચ
વલસાડ6.10 ઇંચ

છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં પડેલો વરસાદ
વલસાડ જિલ્લામાં ગઈકાલ સવારથી આજે સવાર સુધીમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેમાં વલસાડ તાલુકા અને ઉમરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

જિલ્લા ઇંચ
ઉમરગાવ 3.50 ઇંચ
પારડી 3.39 ઇંચ
કપરાડા 3.23 ઇંચ
ધરમપુર 2.60 ઇંચ
વાપી 2.40 ઇંચ
નાનાપોંઢા1.42 ઇંચ
વલસાડ 3.98 ઇંચ

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી- તંત્ર એલર્ટ
ભારતીય ડવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને અનુલક્ષીને વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાનના રાકબરી હેઠળ પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને ડેડ કવાર્ટર ન છોડવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી સાવચેતીના પગલા લેવા, તેમજ વરસાદને કારણે કોઈ પણ નુકસાન થયેલું જણાય તો તેની અમે તાત્કાલિક ફોનથી તેમજ વોટસએપ મેસેજથી જાણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

સાથે જિલ્લામાં રસ્તાઓ પર ઓવર ટેપિંગને કારણે માનવ મૃત્યુની દુર્ઘટના ન બને તે ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારોને આવા સ્થળોએ તકેદારીના પગલા સુનિશ્ચિત કરી જરૂરી પગલાંઓ લેવા જણાવાયું છે.

Share This Article