- પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોશિયારપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોની બોટ દ્વારા મુલાકાત લઈને પરિસ્થિતીની સમીક્ષા પણ કરી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોશિયારપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોની બોટ દ્વારા મુલાકાત લઈને પરિસ્થિતીની સમીક્ષા પણ કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના ઘરની છત પર ફસાયેલા પરિવારને પણ બચાવ્યો હતો.
આ અંગે સીએમ ભગવંત માને કહ્યું કે સમય મુશ્કેલ છે. પરંતુ અમે દરેકની મદદ કરીશું. તેમજ લોકોને થયેલા નુકસાનની ભરપાઈ કરીશું. પંજાબના હોશિયારપુર, ગુરદાસપુર અને રૂપનગર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે NDRF, આર્મી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, ભાકરા અને પોંગ ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યા બાદ આ ત્રણ જિલ્લાના મોટા ભાગ પૂરમાં ડૂબી ગયા છે. ભાખરા ડેમમાંથી વધારાનું પાણી છોડવાને કારણે બિયાસ અને સતલજ નદીમાં પાણીની સપાટી વધી છે. સતલજ નદી પર ભાખરા ડેમ અને હિમાચલ પ્રદેશમાં બિયાસ નદી પરનો પોંગ ડેમ-ભારે વરસાદ પછી બંનેમાં પાણીનું સ્તર ઊંચું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો :-