HomeGujaratગુજરાત શિક્ષણ બોર્ડ ચેરમેન એ. જે. શાહનું રાજીનામું, આપ્યું પારિવારિક કારણ

ગુજરાત શિક્ષણ બોર્ડ ચેરમેન એ. જે. શાહનું રાજીનામું, આપ્યું પારિવારિક કારણ

Date:

Related stories

PM Modi Birthday 2026: જાણો PM મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં કેવી થઇ અનોખી ઉજવણી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ...

76મો જન્મદિવસ અને મફત 76 કપ ચા… બિહારના ચા વાળાની અનોખી ઉજવણી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે દેશના અલગ-અલગ વિસ્તારોમાં લોકો...

ST ડેપોમાં મીઠાઈનું પેકેટ લઈને ઊભી હતી મહિલા, થેલો ખોલતાં નીકળ્યું આટલા ગ્રામ MD ડ્રગ્સ

ગાંધીનગર એસટી ડેપો પર સામાન્ય મુસાફરીની આડમાં નશીલા પદાર્થોની...
spot_img

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે, હાલમાં તેમનું રાજીનામું સ્વીકારવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. એટલે કે એ.જે શાહનું રાજીનામું સ્વીકારવાની અરજી હાલ પેન્ડિંગ છે.

નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.

તેમને પાંચમું એક્સટેન્શન મળ્યા બાદ તેમણે અચાનક રાજીનામું ધરી દેતા શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ઉઠી છે. એ.જે શાહ લાંબા સમય સુધી બોર્ડના ચેરમેન રહ્યા બાદ પાંચમું એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલા જ તેમણે અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહે પારિવારિક કારણ આપી રાજીનામું આપી દીધું છે.  સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. સંભવત આગામી થોડાક સમયમાં તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવશે. જે બાદ શિક્ષણ બોર્ડમાં નવા ચેરમેનની નિમણૂક થશે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img