HomeNationalપટનામાં ગમખ્વાર અકસ્માત, JCBએ રિક્ષાને ટક્કર મારતા ૭ લોકોના મોત

પટનામાં ગમખ્વાર અકસ્માત, JCBએ રિક્ષાને ટક્કર મારતા ૭ લોકોના મોત

Date:

Related stories

Video: ઉસૈન બોલ્ટનો રેકોર્ડ તૂટ્યો! માણસ કરતાં પણ ઝડપી દોડ્યો આ રોબોટ

ટેક્નોલોજી વિકસાવવાની દોડમાં ચીનનો નવો પાસો લાવી શકે છે...

આધુનિક ‘દ્વીચાલી’, પતિ અને પ્રેમી સાથે ઘર માંડવાની મહિલાની જીદ

ઉત્તર પ્રદેશના સીતાપુરથી સંબંધોને લઈને એક એવો કિસ્સો સામે...

ગુજરાતી ભાષા ક્યાંથી આવી અને કેવી રીતે બની આટલી સમૃદ્ધ? જાણો રસપ્રદ ઈતિહાસ

ગુજરાતી માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ સદીઓના ઇતિહાસ, સંસ્કૃતિ,...

બિહારની રાજધાની પટનામાં જેસીબી અને ઓટો વચ્ચેની અથડામણમાં સાત લોકોના મોત થયા છે. ઓટોમાં કુલ આઠ લોકો સવાર હતા. એક ઘાયલની હાલત ગંભીર છે, જેને સારવાર માટે પટનાની PMCH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત મંગળવારે સવારે ૪ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ મેટ્રોની બેદરકારી સામે આવી છે. રાત્રે ક્રેન પોતાનું કામ કરી રહી હતી, પરંતુ સ્થળ પર કોઈ ગાર્ડ હાજર ન હતો. અકસ્માત બાદ કારચાલક ક્રેન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ સામેલ છે.

કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા બાયપાસ પર રામલખન પથ વળાંક પાસે એક ક્રેન એક ઓટો સાથે અથડાઈ હતી. ઘટના બની તે સમયે ઓટોમાં આઠ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયા હતા. ઇજાગ્રસ્તની હાલમાં સારવાર ચાલી રહી છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે ૭ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની તપાસ હાથ ધરી છે. પટનામાં માર્ગ અકસ્માત બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

આ અકસ્માત મંગળવારે સવારે ૪ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ મેટ્રોની બેદરકારી સામે આવી છે. રાત્રે ક્રેન પોતાનું કામ કરી રહી હતી, પરંતુ સ્થળ પર કોઈ ગાર્ડ હાજર ન હતો. અકસ્માત બાદ ડ્રાયવર ક્રેન લઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેમજ મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ સામેલ છે.

Subscribe

Latest stories