Wednesday, Oct 29, 2025

મોરબીના હળવદમાં ગમખ્વાર અકસ્માત : રાહદારીઓને ટ્રકચાલકે અડફેટમાં લેતા ઘટનાસ્થળે જ ૨ સગીરા..

2 Min Read
  • ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા, ઘટનામાં બે સગીરાના મોત, ટ્રક ચાલક સહિત બે વ્યક્તિને ઈજા.

રાજ્યમાં આજે ફરી એક વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે અકસ્માતમાં ૨ લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બે સગીરાના મોત થયા છે. ઘટનાને લઈ મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મોરબી જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટનામાં બે સગીરાએ જીવ ગુમાવ્યો છે. વિગતો મુજબ હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે બે સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ તરફ ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે.

બે સગીરાના મોત અને બે ઈજાગ્રસ્ત :

હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે બનેલ અકસ્માતની ઘટનામાં બે સગીરાના મોત થયા છે. આ સાથે ટ્રક ચાલક સહિત ૨ વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article