જમ્મુના વિક્રમ પોસ્ટ પર પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ, BSFના બે જાવાનો ઘાયલ

Share this story

આંતરરાષ્ટ્રીય સરહદ પર જમ્મુ જિલ્લાના અરનિયા સેક્ટરમાં વિક્રમ પોસ્ટ પર મંગળવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના બે જવાન ઘાયલ થયા હતા. બંને ઘાયલ જવાનોને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતી બાદ સીઝફાયર ઉલ્લંઘનની આ પ્રથમ મોટી ઘટના છે.

મંગળવારે રાત્રે ૮ વાગ્યે વિક્રમ પોસ્ટ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ફરજ પર તૈનાત બે ભારતીય સૈનિકો ગોળીબારમાં ઘવાયા હતા. એકને પેટમાં અને બીજાને હાથમાં ગોળી વાગી હતી. બંને ઘાયલોને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ બંને હાલત સ્થિર છે.પાકિસ્તાની રેન્જર્સે સરહદ પારથી ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને કવર આપવા ફાયર કર્યું હતું. અહેવાલો અનુસાર બીએસએફએ વળતી જવાબ આપતા કાર્યવાહી કરી હતી. જો કે બીએસએફ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો :-