Saturday, Mar 22, 2025

થાઈલેન્ડની સ્કૂલ બસમાં ભીષણ આગ ભભૂકી, વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના મોતની આશંકા

2 Min Read

થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં લાગેલી આગમાં 25 વિદ્યાર્થીઓના મોત થયા છે. સમાચાર એજન્સી AFPના જણાવ્યા અનુસાર બસમાં કુલ 44 બાળકો હાજર હતાં જેમાંથી 16ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ બચાવકર્મીઓ બાકીના બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

જો કે ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. આ દુર્ઘટના બેંગકોકના ખુ ખોટ વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે થઇ હતી બસ શાળાની પરત ફરી રહી હતી. એમાં 5 શિક્ષક પણ હાજર રહ્યા હતા.

બેંગકોક પોસ્ટ અનુસાર, બસ ઉથાઈ થાનીની એક થાળાના વિધાર્થીઓને ભઈ જઈ રહી હતી. આ દરમિયાન તેમાં આગ લાગી હતો. બચાવ કાર્યકરોએ જણાવ્યું હતું કે આગમાં ઘણા યુવાન મુસાફરી મૃત્યુ પામ્યા હતા અથવા ઘાયલ થયા હતા. જોર સોર 100 ટ્રાફ્રિક રેડિયો નેટવર્ડે રાત્રે 12.30 વાગ્યે ઝેર રંગસિત શોપિંગ મોલ પાસે ઇનબાઉન્ડ ફાહોન યોથિન રોડ પર બસમાં આગ લાગવાની જાણ કરી હતી.

ફાયર એન્ડ રેસ્ક્યુ થાઈલેન્ડ અને થાઈ પોબીએસએ જણાવ્યું હતું કે બસ ઉથાઈ થાનીના વાન સાથે જિલ્લાના વાટ ખાઓ પ્રથા સંખામથી 38 વિધાર્થીઓ અને છ શિક્ષકોને શૈક્ષણિક સફર પર લઈ જઈ રહી હતી. તેની મંઝિલ ખબર ન હતી. ટ્રાફિક પોલીસ રેડિયોએ જણાવ્યું કે ઘણા મુસાફરો માર્યા ગયા અથવા ઘાયલ થયા.

આ પણ વાંચો :-

Share This Article