- Astro Tips For Nails : હિંદૂ ધર્મિક માન્યતાઓ અનુસાર યોગ્ય દિવસે નખ કાપવા ખૂબ જ જરૂરી છે. નહીં તો વ્યક્તિ ઘણા પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.
હિંદૂ ધાર્મિંક ગ્રંથો અને માન્યતાઓ અનુસાર દરેક કામને કરવા માટે દિવસ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ કામોને અન્ય બીજા દિવસે કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય દસ્તક આપે છે અને તેનું જીવન તબાહ થઈ જાય છે.
નખ વ્યક્તિના શરીરનો એક ભાગ છે. તેની સાફ-સફાઈ પર ધ્યાન ન આપવામાં આવે તો વિવિધ બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. નખ ગંદા ન થાય તે માટે લોકો ગમે તે દિવસે નખ કાપી નાખી છે. હિંદૂ ધર્મિક માન્યતાઓ અનુસાર યોગ્ય દિવસે નખ કાપવા ખૂબ જ જરૂરી છે. નહીં તો વ્યક્તિ ઘણા પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.
મંગળવાર
મંગળવારે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. આ દિવસે નખ કાપવાથી દેવું વધે છે. આ દિવસે ભુલથી પણ નખ ન કાપવા.
ગુરૂવાર
ગુરૂવારના દિવસે નખ કાપવાથી ગુરૂ ગ્રહ કમજોર થઈ જાય છે અને જીવનમાં સુખ અને શાંતિની કમી થવા લાગે છે. આ દિવસે નખ ન કાપવા જોઈએ.
શનિવાર
શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. એવામાં આ દિવસે નખ કાપવાથી તે નારાજ થઈ જાય છે અને શારીરિક અને માનસિક કષ્ટ આપે છે.
રવિવાર
રવિવારના દિવસે નખ કાપવાથી કાર્યમાં મુશ્કેલીઓ આવે છે અને આત્મવિશ્વાસ ઘટે છે.
કયા દિવસે કાપવા જોઈએ નખ?
સોમવાર, બુધવાર અને શુક્રવારે નખ કાપી શકાય છે. આ ત્રણ દિવસ નખ કાપવાથી ધન, સુખ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
આ પણ વાંચો :-