Sunday, May 25, 2025

ભાજપની ઓફર પર એકનાથ શિંદેની નવી ડિમાન્ડ, જાણો શું કહ્યું ?

2 Min Read

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ હવે મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઈને મતભેદો સામે આવ્યા છે. ચૂંટણી પરિણામોના 4 દિવસ બાદ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને મોટો પ્રશ્ન છે. સૂત્રોનું માનીએ તો એકનાથ શિંદેએ ભાજપની ઓફર પર નવો પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં શિવસેનાએ 2 નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવાની માગ કરી છે. એવામાં હવે સવાલ એ છે કે ભાજપે 2 ઓફર આપ્યા બાદ મુખ્યમંત્રીએ પલટવાર કરતા 2 નવી શરતો મૂકી દીધી. હવે બોલ ફરી એકવાર ભાજપના પક્ષમાં છે.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચેની ખેંચતાણ હવે કોઈથી છુપાયેલી નથી. રાજ્યની સાથે કેન્દ્રમાં મોદી સરકારના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને ભાજપ પોતાના નફા-નુકસાનની ગણતરી કરી રહી છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી પદ જાળવી રાખવા બદલ ભાજપે શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલય આપવા અને કેન્દ્રમાં મંત્રી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

ભાજપના મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસ ગત સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યાં હતા. હવે એવી શક્યતા છે કે નવી સરકારમાં એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે, એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રીની માંગ ફગાવી દીધી છે. શિંદે ડેપ્યુટી CM માટે નવું નામ આપશે.શુક્રવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જેપી નડ્ડા નીરિક્ષક તરીકે મુંબઇ જશે.

સૂત્રો અનુસાર, શિવસેના પોતાના ધારાસભ્યોને સાધવા માટે એકનાથ શિંદેને રાજ્યના નેતૃત્ત્વમાં બનાવી રાખવા માંગે છે. શિંદેને કેન્દ્રમાં મોકલવાથી શિવસેનાને નુકસાન થઇ શકે છે માટે સંભાવના છે કે શિંદે રાજ્ય સરકારમાં પણ સામેલ રહે. આ સિવાય એક ફોર્મૂલા એવી પણ ચર્ચામાં છે કે શિંદેને કેન્દ્રમાં મોકલવામાં આવે અને રાજ્યમાં તેમના પુત્રને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. હવે જોવું રસપ્રદ રહેશે કે ભાજપ અને મહાયુતિ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર કરે છે અને કોણ મુખ્યમંત્રી બને છે તેના પર તમામની નજર છે.

આ પણ વાંચો :-

Share This Article