HomeGujaratગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા

ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભૂકંપની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે લોકોને ચિંતા વધી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા છે. તાજેતરમાં બે જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છ અને નવસારી.

કચ્છ જિલ્લાના દૂધઇ વિસ્તારમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો નોંધાયો હતો. મોડી રાત્રે લગભગ 12.46 વાગ્યે દૂધઇ નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઇથી આશરે 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. હળવા આંચકાને કારણે લોકો થોડા સમય માટે ચિંતિત બન્યા હતા, જોકે કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

દક્ષિણ ગુજરાતના વાંસદા વિસ્તારમાં પણ ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી મુજબ વાંસદા અને આસપાસના વિસ્તારોમાં લોકો થોડા સમય માટે ગભરાઈ ગયા હતા. જોકે આ આંચકો હળવો હોવાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધાઈ હતી. આ આંચકો સામાન્ય શ્રેણીમાં ગણાય છે, છતાં અચાનક ધ્રુજારી અનુભવાતા લોકો થોડા સમય માટે ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી અંદાજે 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પ્રકારની નુકસાનની માહિતી સામે આવી નથી.

Subscribe

Latest stories