Saturday, Jun 20, 2026

શહીદના વળતરના 21 લાખ લઈને વહુ ચાલી ગઈ? સસરાએ લગાવ્યા ગંભીર આરોપ

3 Min Read

આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા બિહારના ફલાઈટ લેફિટનેન્ટ શુભમ કુમારના પરિવાર પર દુખાનો પહાડ તૂટી પડ્યો છે. દીકરો નથી રહ્યો, પણ વહુએ ટાઢા કલેજે વળતરના ૨૧ લાખ રૂપિયા લઈ લીધા અને ગાયબ થઈ ગઈ. મૃતક શુભમ શર્માના પિતા કહે છે કે જો સાચે જ પત્ની હોત તો શ્રાદ્ધકર્મ કરતી. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે અમારી સામે લગ્ન નથી થયા, અમે તે બંનેના લગ્ન આવતા નવેમ્બરમાં નક્કી કર્યા હતા. તેમણે ચૂપચાપ કોર્ટ મેરેજ કરી લીધા હતા. તેની અમને કોઈ જાણકારી નથી.

શુભમના પિતા અમરેન્દ્ર શર્માનું કહેવું છે કે પરિવારે શુભમના લગ્ન નવેમ્બરમાં નક્કી કર્યા હતા. હિન્દુ રીતિ-રિવાજથી લગ્નની તૈયારી ચાલી રહી હતી, પણ હવે એક છોકરી શ્રેયા રાય ખુદને શુભમની પત્ની ગણાવી રહી છે, તેને ૨૧ લાખ રૂપિયાના વળતરનો ચેક પણ સોંપી દીધો. અમરેન્દ્ર શર્માનો આરોપ છે કે શ્રેયા રાય અને તેમના પરિવારે તેમને અને તેમના આખા પરિવારથી આ વાત છુપાવી અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી લીધા. તેમણે કહ્યું કે, જો વાસ્તવમાં તેમના દીકરાએ લગ્ન કર્યા હતા અને શ્રેયા તેમની વહુ છે તો તેણે પરિવાર સાથે ઊભા રહેવું જોઈતું હતું.

શુભમના પિતાએ કહ્યું કે જો તે સાચે પત્ની છે અને ચેકની હકદાર છે તો તેને તેમના દીકરાના શ્રાદ્ધકર્મ અને અન્ય પારિવારિક દાયિત્વ પણ નિભાવવા જોઈતા હતા. પતિના મોત બાદ પરિવારનું દુખ વહેંચવું જોઈએ. પણ તે ચેક લઈને જતી રહી. શુભમના પિતાએ એવો પણ દાવો કર્યો કે રાજ્ય સરકાર તરફથી મળેલા ૨૧ લાખ રૂપિયાની મદદ વિશે પરિવારને કોઈ જાણકારી નથી. તેમનો આરોપ છે કે ગયામાં અધિકારીઓએ પરિવારની હાજરી વિના શ્રેયા રાયને ચેક સોંપી દીધો. તેમણે કહ્યું કે, જો તે પરિવારની વહુ હતી તો ચેક તેના ઘર પર પરિવાર સામે આપવો જોઈતો હતો. તેમણે આ સમગ્ર પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા પ્રશાસનિક અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાની પણ માગ કરી છે.

અમરેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, શુભમે તેમને ખાલી એટલું જણાવ્યું હતું કે આ છોકરી આઝમગઢની રહેવાસી છે. તેમના પિતા સેનામાં જૂનિયર કમિશન્ડ અધિકારી રહી ચૂક્યા છે. પરિવારને ક્યારેય નથી જણાવ્યું કે બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. તેમણે કહ્યું કે, દીકરાના શહાદત બાદ સામે આવેલા આ વિવાદે પરિવારની મુશ્કેલી વધારી દીધી છે. આપને જણાવી દઈએ કે, ૧૩ જૂનના રોજ આસામના જોરહાટમાં ઈન્ડિયન એરફોર્સનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં બિહારના જહાનાબાદના રહેવાસી ફલાઈટ લેફિટનેન્ટ શુભમ કુમાર શહીદ થઈ ગયા હતા. સરકાર તરફથી પીડિતની પત્નીને વળતર આપવામાં આવ્યું છે, આ વાતને લઈ હવે વિવાદ થઈ રહ્યો છે.

Share This Article