Thursday, Mar 20, 2025

ઉત્તર કોરિયામાં સરમુખત્યાર કિમ જોંગે 30 અધિકારીઓને આપી ફાંસી, જાણો આ છે કારણ ?

2 Min Read

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કોઈપણ ભૂલ કે બેદરકારીની ખુબ મોટી સજા આપે છે, તાજેતરમાં જ તેનું ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર કોરિયામાં વિનાશક પૂરથી દેશની હાલત ખરાબ થઇ ચુકી છે. આ પૂરને રોકવામાં નિષ્ફળ થયેલાં અધિકારીઓથી દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન ગુસ્સે થઈ ગયા અને આ તમામ 30 અધિકારીઓને મોતની સજા ફટકારી. જો કે આ લોકો સામે ભ્રષ્ટાચારના કેસ પણ નોંધાયા હતા.

સરમુખત્યાર કિમે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પૂરની તીવ્રતા જોઈને તે ગુસ્સે થઈ ગયો. તેમણે પરિસ્થિતિની અવગણના કરી અને અધિકારીઓને પૂરમાં તેમની બેદરકારી બદલ તાત્કાલિક મૃત્યુદંડની સજા ફટકારી.

ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કોઈપણ ભૂલ કે બેદરકારીને સહન કરી શકે નહીં. તેનું તાજેતરનું ઉદાહરણ સામે આવ્યું છે. હકીકતમાં, તાજેતરના વિનાશક પૂરથી દેશ ખરાબ રીતે હચમચી ગયો હતો. આ પૂરને રોકવામાં નિષ્ફળતાને કારણે સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન ગુસ્સે થઈ ગયા અને 30 અધિકારીઓને મોતની સજા ફટકારી. જો કે આ લોકો સામે ભ્રષ્ટાચારના કેસ પણ નોંધાયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોર્થ કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે જુલાઈમાં ચાગાંગ પ્રાંતમાં આવેલા વિનાશક પૂર બાદ કિમ જોંગ ઉને અધિકારીઓને કડક સજા કરવાનો આદેશ આપ્યો હતો. આ પૂરમાં લગભગ 4,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 15,000 થી વધુ લોકો બેઘર બન્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article