કોરોના કેશ દેશમાં સતત વધી રહ્યું છે જાણો WHOના પૂર્વ વૈજ્ઞાનિકની ચેતવણી

Share this story

દેશમાં ફરી એક વાર કોરોનાનો નવો વેરિયન્ટ ઊભરાયો છે. હાલમાં સમગ્ર દેશમાં નવા વેરિયન્ટ JN.૧ ના ૨૧ કેસ નોંધાયા છે અને વધી રહ્યાં છે. કેસ વધતા સંબંધિત સરકારો પણ એક્શનમાં આવી ગઈ છે અને જરુર પ્રમાણેના ઉપાયો કરી રહી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલે બુધવારે આ માહિતી આપી હતી. ચિંતાની વાત એ છે કે નવા વેરિઅન્ટની ઝડપ વધવાની સાથે જ કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. ભારતમાં ૨૧ મે પછી કોરોના વાયરસના ચેપના સૌથી વધુ ૬૧૪ કેસ નોંધાયા છે.

ભારતમાં JN.૧ સબ વેરિએન્ટના અત્યાર સુધી ૨૧ કેસ સામે આવ્યા છે જેમાં ૧૯ ગોવામાં અને મહારાષ્ટ્ર-કેરળમાં એક-એક કેસ નોંધાયો છે. જ્યારે ડૉ. સોમ્યાને સવાલ કરવામાં આવ્યો કે કોચ્ચીની હોસ્પિટલમાં સામે આવેલા ૩૦ ટકા કેસ કોવિડ તરીકે નોંધાયા છે. શું ભારતના અન્ય ભાગમાં પણ આવું થવાની શક્યતા છે. વર્તમાનમાં JN.૧ સબ વેરિઅન્ટને ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે ક્લાસિફાઇ કરવામાં આવ્યું છે.

ચેપથી સંક્રમિત લગભગ ૯૧ થી ૯૨ ટકા લોકો ઘરે સારવારનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોવામાં નવા જેએન.૧ કેસમાંથી ૧૯ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયો છે. છેલ્લા બે સપ્તાહમાં કોવિડ-૧૯થી સંબંધિત ૧૬ દર્દીઓના મોત થયા છે. તેને ગંભીર કો-રોબિડિટી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે કહ્યું છે કે કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતાં, ૯૨.૮ ટકા કેસની સારવાર ઘરે થઈ રહી છે, જે હળવી બીમારી સૂચવે છે. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં કોઈ વધારો થયો નથી. જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓમાં સહ-રોગ હતો અને તેમને અચાનક કોવિડ હોવાનું નિદાન થયું હતું.

JN.1 એ BA.૨.૮૬ થી સંબંધિત છે જે ઓમિક્રોનના વંશજ છે. આ કારણે ગયા વર્ષે ઉનાળામાં કોરોનાના કેસોમાં તીવ્ર વધારો થયો હતો. નિષ્ણાતોના મતે, બંને વેરિઅન્ટ લગભગ સમાન છે. તેમના સ્પાઇક પ્રોટીનમાં ખૂબ જ થોડો તફાવત છે. સ્પાઇક પ્રોટીન એ વાયરસનો એક ભાગ છે જે તેને માનવ કોષો પર હુમલો કરવાની મંજૂરી આપે છે. નવા પ્રકાર રોગપ્રતિકારક તંત્રને ડોજ કરવામાં વધુ અસરકારક છે. આનો અર્થ એ છે કે ચેપની શક્યતા પણ વધી જાય છે.

આ પણ વાંચો :-