UPI થકી પણ રોકડ જમા કરાવી શકાશે, હવે ATM કાર્ડને ખિસ્સામાં રાખવાની જરૂર નથી

Share this story

ભારતીય રીઝર્વ બેંકે નાણાકીય વર્ષ૨૦૨૪-૨૪ની પ્રથમ સમીક્ષા બેઠકમાં UPIને લઈને મોટી જાહેરાત કરી છે. જો તમે પણ UPI નો ઉપયોગ કરતા હોવ તો ભવિષ્યમાં મોટી સગવડ મળી રહેશે. આ ફેસિલિટી હેઠળ ખૂબજ જલ્દીથી યુપીઆઈ થકી તમારા બેંક એકાઉન્ટમાં રોકડ જમા કરાવી શકશો.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ખૂબજ ઝડપથી યુપીઆઈ થકી કેશ જમા કરાવવા માટે મશીનનો ઉપયોગ કરી શકાશે. જો કે આ સુવિધા અંગે વિગતવાર વર્ણન નથી. કેશલેસ ડિપોઝીટની દિશામાં સેન્ટ્રલ રિઝર્વ બેંકનો આ બીજો મોટો પ્રયાસ છે. જણાવી દઈએ કે હાલમાં કેશલેસ ડિપોઝીટ ડેબિટ કાર્ડ દ્વારા જ કરવામાં આવી રહી છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૫ની પ્રથમ આરબીઆઈ નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેકે સતત ૭મી મોનેટરી પોલિસી મીટિંગમાં રેપો રેટને ૬.૫૦ ટકા પર સ્થિર રાખ્યો છે. જો UPI દ્વારા રોકડ જમા કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તો તમે તમારા ખિસ્સામાં કાર્ડ રાખવાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આ સાથે એટીએમ કાર્ડ રાખવા, ખોવાઈ જવા કે મેળવવાની સમસ્યા પણ દૂર થઈ જશે. ઉપરાંત, જો તમારું એટીએમ કાર્ડ ચોરાઈ જાય તો પણ તે બ્લોક થયા પછી પણ તમને રોકડ જમા કરાવવામાં સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

અત્યાર સુધી રોકડ રકમ જમા કરાવવા કે નિકાળવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હવે આ સુવિધા આવી જશે તો તમારે ડેબિટ કાર્ડની આવશ્યકતા નહીં રહે. ખૂબ જ ઝડપી આરબીઆઈ એટીએમ મશીન પર યુપીઆઈની નવી સર્વિસ શરૂ કરી દેશે. આ પછી થર્ડ પાર્ટી ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ કરીને તમે એટીએમ મશીનથી UPI થકી કેશ ડિપોઝીટ કરી શકશો.

આ પણ વાંચો :-