Tuesday, Jun 16, 2026

વિસનગરમાં ભાજપ નેતા દીપક મોદીનો આપઘાત, ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

2 Min Read

વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા.

વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
પ્રાથમિક માહિતી મુજબ, દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી.

દીપકભાઈ મોદી વિસનગર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા. તેમને પાલિકામાં પક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના પરિચિતો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

હાલ પોલીસે પંચનામુ કરી લાશને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. જેની જાણ થતાં ભાજપના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

દીપકભાઈ મોદી મૂળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્ય તરીકે જોડાયેલા હતા અને સેવાભાવી સ્વભાવ ધરાવતા હતા. તેઓ મહિલા સખી મંડળ અને ગૃહ ઉદ્યોગના સંચાલન સાથે જોડાઈને મહિલા સશક્તિકરણ તેમજ સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની ભારતીબેન મોદી (જેઓ કાંસા એન.એ. પંચાયતમાં સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે) ઉપરાંત એક દીકરી અને બે દીકરા એમ કુલ ત્રણ સંતાનો છે.

ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા
આ આપઘાતની ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, પરિચિતો અને ટેકેદારો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

આ દુઃખદ સમાચાર મળતા જ સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપના તાલુકા અને શહેર પ્રમુખ, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો શોકાતુર હૃદયે ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, દીપકભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article