HomePoliticsબિહારના દુલારચંદ યાદવ હત્યા કેસમાં મોટો ખુલાસો: ગોળી નહીં, ફેફસું ફાટવાથી મોત

બિહારના દુલારચંદ યાદવ હત્યા કેસમાં મોટો ખુલાસો: ગોળી નહીં, ફેફસું ફાટવાથી મોત

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

બિહારના દુલારચંદ યાદવ મર્ડર કેસમાં હવે મોટો અપડેટ સામે આવ્યો છે. તેમની પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવી છે, જેમાં તેમની મોતનું સાચું કારણ ખુલાસો થયું છે. રિપોર્ટ મુજબ દુલારચંદ યાદવની મોત ગોળી વાગવાથી નહીં, પરંતુ ફેફસું ફાટવું અને કાર્ડિયેક અરેસ્ટથી થઈ હતી. પાછળથી કોઈ ભારે વસ્તુના ધક્કાથી તેઓ નીચે પડી ગયા હતા, જેના કારણે તેમની છાતીની અનેક હાડકીઓ તૂટી ગઈ હતી અને ફેફસાને ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણે અંતે તેમનું ફેફસું ફાટી ગયા બાદ હાર્ટ અટેક આવ્યો અને તેમનું મોત થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તપાસ અધિકારીને સોંપી દેવાયો છે, જેને આધારે હવે કેસની આગળની તપાસમાં નવા મુદ્દાઓ પ્રકાશમાં આવી શકે છે.

દુલારચંદ યાદવ 30 ઓક્ટોબર, ગુરુવારે બપોરે પટના જિલ્લાના મોકામા વિધાનસભા મતવિસ્તારના તાલ વિસ્તારમાં પ્રચાર કરવા ગયા હતા. તેઓ ઘોષવારીમાં પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શી માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર અચાનક હુમલો કરવામાં આવ્યો. દુલારચંદને માર મારવામાં આવ્યો અને પછી ગોળી મારી દેવામાં આવી.

દુલારચંદ યાદવના પૌત્રની ફરિયાદના આધારે, પોલીસે JDU ઉમેદવાર અનંત સિંહ સહિત પાંચ વ્યક્તિઓના નામ જાહેર કર્યા છે. આરોપીઓમાં અનંત સિંહ, તેમના બે ભત્રીજા રણવીર સિંહ અને કર્મવીર અને તેમના નજીકના સાથીઓ છોટન સિંહ અને કંજય સિંહનો સમાવેશ થાય છે.

Subscribe

Latest stories