કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાંથી સૌથી પહેલો ઝટકો લાગ્યો હતો. જે બાદ આવકવેરા વિભાગે મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ ૧૭૦૦ કરોડ રૂપિયાની નોટિસ આપી છે. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે. આવકવેરા વિભાગની નવી માંગ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૦-૨૧ માટે છે. જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે.
આ રકમ હજુ વધવાની શક્યતા છે. આવકવેરા વિભાગ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ સુધીની આવકના પુન:મુલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે. તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે. તેમણે આવકવેરા વિભાગની આ કાર્યવાહીને અલોકતાંત્રિક અને અયોગ્ય ગણાવી હતી.
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક ટંખાએ આરોપ લગાવ્યો હતો કે ગુરુવારે પક્ષને દસ્તાવેજો વિના લગભગ ૧,૭૦૦ કરોડ રૂપિયાની નવી નોટિસ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીનું આર્થિક રીતે ગળું દબાવવામાં આવી રહ્યું છે અને તે પણ લોકસભા ચૂંટણી દરમિયાન.
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ચાર વર્ષના સમયગાળા માટે કર સત્તાવાળાઓ દ્વારા તેની સામે કરવેરા પુન: આકારણીની કાર્યવાહીની શરૂઆતને પડકારતી કોંગ્રેસની અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે અન્ય એક વર્ષ માટે પુનર્મૂલ્યાંકનની રજૂઆતમાં દખલ કરવાનો ઇનકાર કરતા તેના અગાઉના ચુકાદા અનુસાર અરજીઓ ફગાવી દેવામાં આવે છે. હાલની બાબત વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીની આકારણી સાથે સંબંધિત છે.
આ પણ વાંચો :-