Monday, Jun 22, 2026

Ayodhya: રામ મંદિર દાન ચોરી કેસની તાત્કાલિક સુનાવણીનો હાઇકોર્ટનો ઇનકાર

1 Min Read

અયોધ્યામાં શ્રી રામ મંદિર દાન ચોરી કેસનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું કે આ કેસમાં કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી. આ અંગે અલ્હાબાદ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઇ અને સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી છે.

કેગ દ્વારા ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી
આ અરજીમાં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા દાનનું ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે. અરજદાર એડવોકેટ મોહિત અશોકે જણાવ્યું હતું કે તેઓ આ મહત્વપૂર્ણ મામલાની વહેલી સુનાવણી માટે કોર્ટને વિનંતી કરશે.

અયોધ્યાના શ્રી રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ મહદઅંશે તપાસ પૂર્ણ કરી છે. તેમજ એસઆઇટીની ટીમ અયોધ્યાથી લખનઉ પહોંચી છે. આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઇટીએ 140 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી
આ અંગે મળતી માહિતી મુજબ રામમંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ 113 લોકોની પૂછપરછ કરી છે. જેમાં બેંક કર્મચારી અને ટ્રસ્ટ જોડે સંકળાયેલા 30 લોકો શંકાના ઘેરામાં છે. તેમજ 2000 કલાકના સીસીટીવીની તપાસ કરવામાં આવી અને ફૂટેજ કબજે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 140 પાનાનો તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

Share This Article