HomeSportsAsia Cup 2022 : આવી હોય શકે છે એશિયા કપ માટે ટીમ...

Asia Cup 2022 : આવી હોય શકે છે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમ 

Date:

Related stories

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...

આજનું રાશિફળ: નવી તકથી લઈને અટકેલા પૈસા સુધી, કોના પક્ષમાં રહેશે દિવસ?

🌟જાણો ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નું રાશિફળ: ♈ મેષ: આજે કામકાજમાં...

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...
spot_img

Asia Cup 2022: This could be the squad for Asia Cup India

  • એશિયા કપ 2022ની શરૂઆત માટે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ભારતીય ટીમની પહેલી પસંદ હશે.

એશિયા કપ 2022નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ તમામની નજર આ મોટી ટૂર્નામેન્ટ પર ટકેલી છે. એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે રમાશે અને ત્યારબાદ 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમની (Pakistan team) જાહેરાત થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની (Team India) પણ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં પાંચ મેચોની ટી-20 શ્રેણી રમાઈ રહી છે. ત્રણ મેચ થઈ ગઈ છે અને હવે બે મેચ બાકી છે. બાકીની બે મેચ 6 અને 7 ઓગસ્ટે રમાશે. આ પછી શ્રેણી સમાપ્ત થશે. માનવામાં આવે છે કે આ બે મેચ બાદ તરત જ એશિયા કપ માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવશે.

ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં ઘણા મોટા ખેલાડીઓ પણ આરામ કરશે :

ટીમ ઈન્ડિયા હાલમાં જે સિરીઝ રમી રહી છે તેમાં ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ બાદ ભારતીય ટીમ ત્રણ વનડે મેચ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, આ સીરીઝ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મોટા ખેલાડીઓ તેમાં આરામ કરતા જોવા મળશે.

પરંતુ એશિયા કપ માટે ભારતની સૌથી મજબૂત ટીમ UAE જશે તેવી પૂરી સંભાવના છે. ટીમની કમાન ફરી એકવાર કેપ્ટન રોહિત શર્માના હાથમાં રહેશે. તે જ સમયે, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ ટીમમાં વાપસી કરતા જોવા મળી શકે છે.

રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક ફિનિશર બની શકે છે :

ટીમ ઈન્ડિયાના ફિનિશરની વાત કરીએ તો ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક આ કામ કરતા જોઈ શકાય છે. આ પછી જો બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહની વાપસી શક્ય છે, જ્યારે ભુવનેશ્વર કુમાર પણ ટીમ સાથે જોવા મળી શકે છે. આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન અને અર્શદીપ સિંહ પણ હોઈ શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમ સાથે રમી રહેલા રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈ પણ ટીમમાં હોઈ શકે છે. પસંદગીકારો ઈચ્છે છે કે ટી20 વર્લ્ડ કપમાં પણ રમી ચૂકેલા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવે. આ એક મજબૂત ટીમ ઈન્ડિયા હશે, જે એશિયા કપ જીતવાની ક્ષમતા ધરાવે છે.

એશિયા કપ 2022 માટે સંભવિત ટીમ ઈન્ડિયા :

રોહિત શર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img