જીવનમાં બદલાવ લાવતી ફિલ્મોને લઇ અક્ષય કુમારનું મહત્વપૂર્ણ નિવેદન

Share this story

અક્ષય કુમારે સામાજિક વિષયો સાથે જોડાયેલ ફિલ્મ ‘પેડમેન’, ‘ટોયલેટ એક પ્રેમકતા’, સહિત અનેક ફિલ્મો બનાવી છે. અક્ષય કુમારે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ‘સમાજે મને જે કંઈપણ આપ્યું તે પાછી આપવાની મારી એક અલગ રીત છે. મને ખબર છે કે, સિંહ ઈઝ કિંગ, સૂર્યવંશી અથવા રાઉડી રાઠોડ દજેવી ફિલ્મો કરીશ તો તેનીથી બમણી કમાણી કરીશ. પરંતુ આ પૈસાની વાત નથી.

આ અહેસાસ મને પહેલેથી જ થઈ ગયો હતો, પરંતુ તે સમયે મારી પાસે એટલા પૈસા નહોતા કે, હું ફિલ્મો પ્રોડ્યૂસ કરી શકું. જ્યારે મેં મારી પ્રોડક્શન કંપની શરૂ કરી તો, હું આવી ફિલ્મો બનાવવા લાગ્યો. મારા પરિવારનો આવો માહોલ રહ્યો છે, તેથી મને આવી ફિલ્મો બનાવવાનો શોખ છે. મેં મારા મમ્મી પપ્પાને ક્યારેય પણ ઝઘડો કરતા જોયા નથી અને અમારી પાસે બહુ પૈસા નહોતા. અમે મુંબઈમાં ૧૦૦ રૂપિયાના ભાડાવાળા ઘરમાં રહેતા, તેમ છતાં એક દિવસ એવો નહોતો કે, જ્યારે અમ્યે હસ્યા અને રમ્યા ના હોઈએ. હવે એટલા પૈસા છે કે, અમે ક્યારેક ક્યારેક દુખી થઈ જઈએ છીએ.

અક્ષય કુમારે રાજનીતિમાં શામેલ થવા બાબતે જણાવ્યું કે, હું ક્યારેય પણ રાજનીતિમાં જવા માંગતો નથી. હું ફિલ્મો માટે જ બન્યો છું. આગળ શું થશે તેની મને ખબર નથી, પરંતુ હાલમાં હું ફિલ્મો બનાવવા માંગું છું, જેનાથી બદલાવ આવે.

આ પણ વાંચો :-