છત્તીસગઢ ભીષણ અકસ્માતમાં ૩ બાળકો સહિત ૯ લોકોના મોત, ૨૩ ઘાયલ

Share this story

છત્તીસગઢના બેમેતરામાં રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો, અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ૯ લોકોના મોત થયા છે. આ માર્ગ અકસ્માતમાં ૨૩ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી ૪ની હાલત ગંભીર છે, ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને રાયપુરની એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને બેમેતરા અને સિમગાના સીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપમાં સવાર તમામ લોકો પારિવારિક કાર્યક્રમ માટે ગામ તિરૈયા ગયા હતા અને ત્યાંથી તેમના ગામ પર્થરા પરત ફરી રહ્યા હતા. છત્તીસગઢમાં અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કલેક્ટર અને એસપીની સાથે એસડીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનામાં ઘાયલ ૨૩ લોકોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવે છે. બાદમાં ચાર ગંભીર રીતે ઘાયલ લોકોને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, રાયપુર લઈ જવામાં આવ્યા હતા. બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ બેમેત્રામાં સારવાર આપવામાં આવી રહી છે. બેમેટારા કલેક્ટર રણવીર શર્માએ જણાવ્યું કે બેમેટારા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે અને ૨૩ ઘાયલ છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-