Sunday, Mar 23, 2025

ત્રણ દિવસ બાદ એક્ટર ગોવિંદાને મળી હોસ્પિટલમાંથી રજા

2 Min Read

બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે ગયા મંગળવારે એક મોટી અકસ્માત થયો હતો. પોતાની રિવોલ્વર સાફ કરતી વખતે અભિનેતાને તેના પગમાં ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમના પગમાંથી એક ગોળી બહાર કાઢવામાં આવી હતી. ડોક્ટરોની દેખરેખમાં હોસ્પિટલમાં 3 દિવસ બાદ ગોવિંદાને રજા આપવામાં આવી છે. તેઓ 6 અઠવાડિયા સુધી બેડ રેસ્ટ પર રહેશે.

Actor Govinda discharged from hospital after gunshot incident Actor Govinda: ત્રણ દિવસ પછી એક્ટર ગોવિંદાને મળી હોસ્પિટલમાંથી રજા, હાથ જોડીને ફેન્સનો માન્યો આભાર

ગોવિંદા હોસ્પિટલની બહાર વ્હીલચેરમાં જોવા મળ્યો હતો. તેમણે સૌનો આભાર માન્યો હતો. અભિનેતા સાથે પુત્રી ટીના અને પત્ની સુનીતા પણ જોવા મળ્યા હતા. ગોવિંદાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું – જ્યાં પણ પૂજા થઈ, દુઆ માંગવામાં આવી… હું દરેકનો આભાર માનું છું. હું પ્રશાસન સાથે જોડાયેલા પોલીસ જવાનો અને મુખ્યમંત્રી શિંદેનો આભાર માનું છું. દરેકનો આભાર. તમારા લોકોના કારણે હું સુરક્ષિત છું. જય માતાજી.

અભિનેતા સાથે તેનો પરિવાર પણ જોવા મળ્યો હતો. પત્ની સુનીતા આહુજા મુશ્કેલ સમયમાં પડછાયાની જેમ તેમની સાથે રહી હતી. પુત્રી ટીના આહુજાએ ઉજ્જૈનના મહાકાલમાં તેના પિતા માટે અનુષ્ઠાન કરાવ્યા હતા. 51 પંડિતોએ સાથે મળીને મહામૃત્યુંજયનો જાપ કર્યો હતો.

અભિનેતાને સુરક્ષિત અને સ્વસ્થ જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા નથી. લોકો હોસ્પિટલની બહાર અભિનેતાની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા. આ ગોળીબારનો મામલો હોવાથી પોલીસે આ મામલાની પોતાની બાજુથી તપાસ કરી હતી. ડીસીપી દીક્ષિત ગેડમના જણાવ્યા અનુસાર આ મામલો માત્ર અકસ્માત છે. તેને કોઈ કાવતરું કે ગડબડ દેખાઈ ન હતી. તેથી હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પોલીસે આ કેસને પોતાની ડાયરીમાં માત્ર એક ઘટના તરીકે નોંધ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article