Monday, Jun 8, 2026

સિનેજગતમાં શોક: અભિનેતા સલિમ કુમારનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

2 Min Read

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારના અંતિમ સંસ્કાર રવિવારે કેરળના એર્નાકુલમ જિલ્લાના ઉત્તર પરાવુર સ્થિત તેમના નિવાસસ્થાને રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરિવારના સભ્યો, સાથી કલાકારો, રાજકારણીઓ અને ચાહકો હાજર હતા. આ દુઃખના સમયમાં, અભિનેતાના મોટા પુત્ર ચંદુએ સંયમ ગુમાવ્યો અને પાપારાઝી પર પ્રહાર કર્યો. અંતિમ સંસ્કાર દરમિયાનનો ચંદુ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ચંદુ પાપારાઝીઓની ભીડ પર ગુસ્સે થતો જોવા મળે છે. તેણે તેમને પાછળ હટવા અને પરિવારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે જગ્યા આપવા કહ્યું, જ્યારે પરિવારના સભ્ય અને અન્ય મિત્ર અભિનેતાને શ્રદ્ધાંજલી આપવા તેમના ઘરે જમા થયા તો પાપારાઝીઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. મીરા જાસ્મીન અને સંદીપ પ્રદીપ જેવા સ્ટાર્સ સહિત મલયાલમ ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારો સલીમ કુમારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા.

સલીમ કુમારના નિધનથી પરિવાર શોકમાં ડૂબી ગયો
કોમેડી અને કેરેક્ટર રોલમાં પોતાની શાનદાર ભૂમિકાઓમાં તેમના શાનદાર અભિનય માટે પ્રખ્યાત, સલીમ કુમાર મલચાલમ સિનેમાના સૌથી પ્રખ્યાત કલાકારોમાંના એક હતા. તેમના નિધનથી ફિલ્મ ઉદ્યોગ અને તેમના પ્રશંસકોએ એક એવા કલાકારને ગુમાવી દીધા રહ્યા છે, જેમના સિનેમામાં યોગદાનને અનેક પુરસ્કારો મળ્યા હતા. સલીમ કુમારે ત્રણ દાયકાથી વધુ સમય સુધી ફિલ્મ ઉદ્યોગમાં કામ કર્યું અને 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. શરૂઆતમાં તેમણે તેમની કોમિક ભૂમિકાઓ માટે ખ્યાતિ મેળવી અને બાદમાં ઈમોશનલ પાત્રોમાં તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે પ્રશંસા મેળવી.

Share This Article