Sunday, Jun 15, 2025

અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ

1 Min Read

અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ડિસીપ્લીન્ડ અને મહેનતી સેલેબ માનવામાં આવે છે. હાલમાં તેઓ પોતાની ફિલ્મ ‘સરફિરા’ને લઇ ચર્ચામાં છે. ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મની તારીફ પણ કરી છે. પરંતુ આ વચ્ચે એમના ફેન્સ માટે એક નિરાશ કરવા વાળી વાત સામે આવી છે. અક્ષય કોવિડ-૧૯ પોઝિટિવ થઇ ગયા છે. આ ખબર સંભાળી એમના ફેન્સ ચિંતામાં છે.

અક્ષય કુમાર છેલ્લા ઘણા દિવસથી પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સરફિરા’ના પ્રમોશનમાં બીઝી છે. પરંતુ, અચાનક ફિલ્મના અંતિમ દોરમાં પ્રમોશનમાં જોવા નથી મળી રહ્યા. ફેન્સે આ વાતને નોટિસ કરી હતી. એમને લાગ્યું કે કોઈ ફેમિલી વેકેશન હશે. હવે અક્ષય કુમારને લઇ જે ખબર આવી છે એણે બધાને હેરાન કરી દીધા છે.

સૂત્રએ એ પણ કહ્યું કે, અક્ષયે એક જવાબદાર વ્યક્તિ હોવાને કારણે તરત જ પોતાને અલગ કરી લીધો હતો અને હાલમાં તે ક્વોરેન્ટાઇનમાં છે. જે ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારને કોરોનાનો ચેપ લાગ્યો હતો તે ફિલ્મ આજે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ છે ‘સરાફિરા’ અને આ ફિલ્મમાં અક્ષયની સાથે રાધિકા મદાન છે.

આ પણ વાંચો :-

Share This Article