Sunday, May 18, 2025

ઉ.પ્ર. ગોંડા જિલ્લામાં ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, 4 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

3 Min Read

ઉત્તર પ્રદેશના ગોંડામાં એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર છે. અહીં ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસ (15904) ના કોચ પાટા પરથી ઉતરી ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ 12થી 15 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના ડબ્બામાં ઘણા મુસાફરો ફસાયેલા છે. બચાવ અને રાહત માટે ટીમો રવાના કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ટ્રેનનો એક એસી કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ગોંડા શહેરથી લગભગ 20 કિલોમીટરના અંતરે થઈ હતી. આ ટ્રેન ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા. દુર્ઘટનાગ્રસ્ત કોચમાં ઘણા મુસાફરો ફસાયા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળે સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે. બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

ગોંડામાં ટ્રેન દુર્ઘટના (ડિબ્રુગઢ એક્સપ્રેસ)ની નોંધ લેતા, મુખ્યમંત્રી યોગી આદિજીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી.

ચંદીગઢથી દિબ્રુગઢ સુધી ચાલતી 15904- દિબ્રુગઢ એક્સપ્રેસ ગુરુવારે 11:39 કલાકે ચંદીગઢથી નીકળી હતી. ગુરુવાર બપોરે, જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તીની વચ્ચે ઝિલાહી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જોરદાર ઘડાકો સંભળાયો હતો. જેનાથી મુસાફરો ચિંતિંત થયા હતા. ત્યાં અચાનક ટ્રેન હાલકડોલક થવા લાગી હતી. બાદમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઝિલાહી સ્ટેશન પાસે અકસ્માત અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન એસી કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ તુરંત જ રેલવે પ્રશાસનને કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article